SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતજીને આનંદિત (રાજી) કરે છે, તેવી રીતે આમ તત્વને વિચાર એટલે આ આત્માનું સ્વરૂપ શું છે? એના ગુણો ક્યા ક્યા છે? વગેરે તત્ત્વની વિચારણા કરનારો જવ પિતાના ચિત્તને હર્ષવાળું બનાવે છે. હે જીવ! આ રીતે જરૂર વિચારજે કે મારે આ જીવ એકલે જવાને છે અને સુખ દુઃખ પણ પિતે એકલે જ ભેગવે છે વગેરે સવરૂપે એકતાની ભાવનાને સમતા ભાવે નિરંતર વિચારજે. અને યથાર્થ સ્વરૂપે એકતાની ભાવના ભાવનાર શ્રી નમિ રાજર્ષિની જેમ પરમાનંદ મહેલ એટલે પરમ આનંદના સ્થાન રૂપ મેક્ષ રૂપી મહેલમાં જઈને પરમ આનંદને ભેગવજે. અહીં શ્રી નમિ રાજર્ષિની બીન ટુંકામાં આ પ્રમાણે જાણવી મિથિલા નામની પ્રસિદ્ધ નગરી હતી. તે નગરીમાં નમિ નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા પરાક્રમી તથા ન્યાયી હતા. કેટલાક વર્ષો સુધી સુખે રાજ્ય કર્યા પછી તે નમિ રાજાને એક વખતે શરીરને વિષે બહુ જ આકરે દાહ જ્વર થયો. તેની શાંતિને માટે અનેક ઔષધે કર્યા છતાં તે દાઉજવર શાંત થયો નહિ. વૈદ્યના કહેવા મુજબ રાણીઓ દાહજવરની શાંતિ માટે નમિરાજાને ચંદન ઘસીને ચેપડતી હતી. તે વખતે રાણીઓએ હાથને વિષે પહેરેલાં કંકણના શદ (ખડખડાટ) થી રાજાના કાનને આઘાત લાગતો હતો, તેથી અધિક પીડા થતી હતી. આ રીતે રાજાને કંકણોના શબ્દથી અધિક પીડા થતી જાણીને રાણીઓએ હાથનાં વધારાનાં કંકણ અનુક્રમે કાઢી નાખ્યાં; ફક્ત મંગલને માટે (સૌભાગ્યવંતીના ચિહ્ન તરીકે) એક એક વલય રહેવા દીધું. આમ કરવાથી કંકણનાં એક બીજા સાથે અથડાવાથી પહેલાં જેવો થતે તે અવાજ બંધ થઈ ગયે. આથી રાજાને કાંઈક શાંતિનો અનુભવ થવા લાગ્યું. રાજાએ પૂછયું કે હવે અવાજ કેમ સંભળાતો નથી. ત્યારે રાણીઓએ જણાવ્યું કે આપને અમારા હાથના કંકણના શબ્દથી અધિક દુઃખ થાય છે એમ જાણીને અમે એક એક કંકણ હાથમાં રહેવા દીધું અને બીજા કંકણે કાઢી નાંખ્યા તેથી હવે અવાજ થતું નથી. આ સાંભળીને રાજાને વિચાર થયે કે-ઘણા પદાર્થોના સંયોગો જ દુઃખદાયી છે. ઘણું કંકણથી દુઃખ થતું હતું, અને ઓછા કંકણોથી દુઃખ પણ એણું ઓછું થાય છે. આ દષ્ટાંતથી જણાય છે કે એકાકીપણામાં જ ખરું સુખ અને શાંતિ છે. જે આ રાત્રે મારે દાહ શાંત થઈ જાય તો મારી ભાવના છે કે હું સર્વ સંગને ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરૂં. આવી વિચારણામાં નમિ રાજા ઉંઘી ગયા. અશાતા વેદનીય કમને ઉદય તેજ રાત્રીમાં બંધ થવાથી નમિ રાજા પીડા રહિત થયા. પિતાની ઈચ્છા સફળ થવાથી (પીડા રહિત થવાથી) સ્વયં પ્રતિબંધ પામેલા સ્વયં બુદ્ધ નમિ રાજાએ પુત્રને ગાદીએ બેસાડી પિતાના હાથે દીક્ષા લીધી. આ વખતે ઈ બ્રાહ્મણના વેષે આવીને નમિરાજાને અનેક પ્રશ્નો પૂછીને રાજ્યને ત્યાગ ન કરવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy