SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ] કરું છું કે આ તમારા દાસને (મને) ભવભવ બહુમાન પૂર્વક તમારી ભક્તિ કરવાને પ્રસંગ મળજે. એ પ્રમાણે પાંચમાં શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિ પૂરી કરીને ઈન્દ્ર મહારાજા અટકયા. તે પછી શ્રીસુમતિનાથ ભગવાને દેશના આપવાને આરંભ કર્યો. અને તે દેશના સભાના બધા જ સમજી શકે એ પ્રમાણે શરૂ કરી. પ્રભુ જે કે અર્ધ માગધી ભાષામાં દેશના આપે છે, પરંતુ તે ભાષા પ્રભુના પ્રબલ પુણ્યના પ્રભાવે અથવા પ્રભુના વચનાતિશયના પ્રભાવે બધા ને પિતા પોતાની ભાષારૂપે પરિણમે છે. તેથી તમામ જી પિત પોતાની ભાષામાં સારી રીતે સમજી જાય છે. ૯૧ શ્રીસુમતિનાથ તીર્થંકરની દેશના ૪૨ લોકોમાં જણાવે છે – હે ભવ્ય છે ! પ્રબલ પુણ્ય મનુજ ભવને પામીને, ન પ્રમાદ કરે હર્ષથી આરાધજે જિનધર્મને, જાણી જ કાર્યકાર્યને કર્તવ્યને ના ભૂલ, સ્વપર કાર્ય વિવેક પામી આત્મકાર્યો સાધજે. સ્પષ્ટાર્થ –હે ભવ્ય જી ! તમે આ મનુષ્ય ભવને ઘણા પુણ્યના ઉદયથી પામ્યા છે. કારણ કે આ મનુષ્યપણું પામવું એ દશ દષ્ટાન્ત કરીને દેહલું કહેલું છે. માટે આવું ઉત્તમ મનુષ્યપણું પામીને તમે શ્રીજિનેશ્વરે કહેલા ધર્મની પરમ ઉલ્લાસથી આરાધના કરજે, પરંતુ આરાધના કરવામાં જરા પણ પ્રમાદ કરશે નહિ. વળી કાર્યકાર્ય એટલે કરવા લાયક કર્તવ્ય કયાં કયાં છે? તે જાણીને તે કાર્યને કરજે અને અકાર્ય એટલે કયું કાર્ય કરવા લાયક નથી તે જાણીને તેવા કાર્યને ત્યાગ કરશે. તેમજ જે કરવા લાયક હોય તે કર્તવ્યોને તમે ભૂલશો નહિ. વળી સ્વકાર્ય કોને કહેવાય અને પરકાર્ય કેને કહેવાય તેને વિવેક કરીને એટલે સારી રીતે સમજીને તેમાંથી આત્મકાર્યો એટલે પિતાના આત્માને હિત કરનારા (ભવસમુદ્રથી તારનારા કાર્યો (સંયમાદિની આરાધના) પરમ ઉલાસથી કરજે. ૯૨ પુત્રાદિ કાજે જે કરે પર કાર્ય તે સવિ જાણીએ, પરકાર્યમાં મુંઝાઈને નિજ કાર્યને ના ભૂલીએ; પર વસ્તુ મેહ નિવારણ શુભ એકતાની ભાવના, આત્મ તત્વ કમલ વિકાસ દિનેશ સમ આ ભાવના. ૯૩ સ્પષ્ટાથ–પરકાર્ય કોને કહેવાય તે સમજાવતાં જણાવે છે કે તમે પુત્રાદિ કાજે એટલે પુત્ર, પુત્રી, સ્ત્રી, ભાઈ, બહેન, સ્ત્રી વગેરે કુટુંબને માટે જે કાર્યો કરે તે સઘળાં પર કાર્યો જ જાણવાં. અહીં સ્વીકાર્યું એટલે પિતાના આત્માના હિતને માટે જે કાર્ય કરવામાં આવે તે કાર્ય સિવાય બીજા બધાંના માટે જે કાર્ય કરવામાં આવે તે પરકાર્ય Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy