SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શિનાચિંતામણી ] સ્પષ્ટાથી–વિપુલવાહન રાજાએ ઉપર જણાવેલા પૂજનીય શ્રી ચતુર્વિધ સંઘની ભાવ પૂર્વક વૈયાવચ્ચ કરી એટલે સેવા ભક્તિ કરી તેથી, તથા તે સંઘને સમાધિ પમાડી એટલે સુખ શાંતિમાં રાખ્યો અથવા દુકાળના વખતમાં સંઘનું રક્ષણ કરી તેને શાંતિ આપી. આ બે કારણથી જિન નામ કર્મનો નિકાચિત બંધ કર્યો. વિપુલવાહન રાજાએ યોગ્ય અવસરે કરેલી આ સાધર્મિક ભક્તિના દૃષ્ટાંતમાંથી અપૂર્વ બેધ એ મળે છે કે–શ્રી ભરતચકી, સૂર્યયશા, દંડવીર્ય વગેરે પૂર્વેના ( વિપુલવાહન રાજાની પહેલાના કાલમાં થયેલા રાજાઓએ કરેલી શ્રી સંઘની ભક્તિને ધ્યાનમાં લઈને જેમ વિપુલવાહન રાજાએ શ્રી સંઘની ભક્તિ પૂર્ણ ઉલ્લાસથી કરીને જિન નામ કર્મને નિકાચિત બંધ કર્યો, તેમ હાલના જૈનેન્દ્ર શાસન રસિક ભવ્ય જીએ પણ પોતાના સમયથી પહેલાંના સમયમાં થઈ ગયેલા કુમારપાલ રાજા, જગડુશાહ, ચંદ્રાવતી નગરીના શ્રાવકે, ચાંપાનેરના રહીશ શ્રાવક ખેમો હડાળા વગેરે વગેરે પુણ્યશાલી ભવ્ય જીવોએ ખરે અવસરે ઉલ્લાસથી કરેલી શ્રી સંઘની ભક્તિનું વર્ણન સાંભળીને, વિચારીને શ્રી સંઘની ભક્તિ જરૂર કરવી જોઈએ. આ મુદ્દાથી પ્રભુશ્રી સંભવનાથના સમયની પછી બનેલા એવા પણ અપૂર્વ બેધદાયક કેટલાએક દષ્ટાંતની બીના કહેવી ઉચિત લાગે છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– પરમહંત શ્રીકુમારપાલ રાજાએ કરેલી સાધર્મિક ભક્તિનું ટૂંક વર્ણનજિનૈઃ સમાનધમ, સાધર્મિકા ઉદાતા વિધાપિ તેષાં વાત્સલ્ય, કાર્ય તદિતિ સક્ષમ છે ૧ છે સમાનધાર્મિકાન વિઠ્ય, વાત્સલ્ય સ્નેહનિર્ભરમા માત્રાદિસ્વજનાદિmોડણ્યધિક ક્રિયતે મુદા છે ૨ છે સ્પાર્થ –શ્રી જિનેશ્વર દેએ સમાન ધર્મવાળાને સાધર્મિક કહેલા છે. તે સાધમિકનું દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારે વાત્સલ્ય કરવું તે વાત્સલ્ય નામને સાતમે દર્શનાચાર કહેવાય છે (૧). સમાન ધર્મવાળાને જોઈને માતા પિતા વગેરે સ્વજનેનું જે વાત્સલ્ય કરીએ તે કરતાં પણ અધિક, ગાઢ સ્નેહપૂર્વક હર્ષથી તેમનું વાત્સલ્ય કરવું (૨). આ બે શ્લેકનું તાત્પર્ય એવું છે કે, જેઓ સમાન ધર્મવાળા હોય તેઓ સાધર્મિક કહેવાય છે. તેમાં પ્રવચન (શાસન) અને લિંગ એ બન્નવડે સાધુ સાધ્વીઓ તથા કેવળ પ્રવચનવડે શ્રાવક શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. તેમાં સાધુ, સાધ્વીઓ, આચાર્ય, ગ્લાન, પ્રાથુર્ણિક (પ્રાહેણા મુનિ), તપસ્વી, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત શિષ્ય વિગેરેનું વિશેષ કરીને વાત્સલ્ય કરવું. તેમજ પુષ્ટાલ બનાદિ કારણે શ્રાવક શ્રાવિકાઓનું પણ સર્વ શક્તિવડે દ્રવ્ય ભાવ બંને પ્રકારનું વાત્સલ્ય તેમને ઉપકારાદિ કરવાવડે કરવું. શ્રાવકોએ શ્રાવક શ્રાવિકાઓનું કુમારપાળ રાજાની જેમ ગ્ય વાત્સલ્ય કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy