SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ==== == - - - - - - - | શ્રી વિજથપઘયક્તિપછી બાહુબલિએ પિતાની મૂઠી ભરત રાજાના મસ્તક ઉપર મારવાને ઉગામી. તેજ વખતે બાહુબલિના વિચારમાં મોટું પરિવર્તન (ફેરફાર) થયું. તેથી તેમણે આ રીતે વિચાર્યું કે આ મૂઠીથી મોટા ભાઈને નાશ થશે. ઋષભદેવના પુત્ર થઈને પિતે નાશવંત રાજ્યને માટે મોટાભાઈને માર્યો એવી મારી નિંદા થશે. આ વિચાર લાવીને અને મહાપુરૂષે ઉગામેલી મૂઠી નિષ્ફળ જવી જોઈએ નહિ, તેથી તેમણે તે મૂઠી પિતાના મસ્તક ઉપર મૂકીને લોન્ચ કર્યો. ને ચારિત્રને સ્વીકાર્યું. પછી દેવેએ આપેલે સાધુવેશ ધારણ કરી ત્યાંજ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તેમની ભાવના પિતાના પિતા ઋષભદેવ પ્રભુની પાસે જવાની હતી. પરંતુ તે વખતે તેમને અભિમાનને (માન મોહનીય કમ) ઉદય થયો. તેથી વિચાર કરવા લાગ્યા કે “મારાથી નાના બીજા અણુ ભાઈઓએ પ્રભુની પાસે મારી પહેલાં દીક્ષા લીધી છે. તેથી હાલ જે હું ત્યાં પ્રભુની પાસે) જાઉં તે મારે તે ચારિત્રવંત નાના ભાઈઓને વંદન કરવું પડે. માટે હું કેવલજ્ઞાન મેળવીને પ્રભુ પાસે જઈશ, જેથી તે નાના ભાઈઓને વંદન કરવું પડે નહિ”. આવા વિચારથી તે બાહુબલી મુનિરાજ ત્યાંજ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. એ પ્રમાણે એક વર્ષ સુધી રહ્યા છતાં તેમને કેવલજ્ઞાન થયું નહિ. કારણ કે જ્યાં સુધી અભિમાન રહ્યું હોય ત્યાં સુધી મેહનીય કમને સંપૂર્ણ ક્ષય થાય નહિ અને મોહનીય કર્મને ક્ષય ન થાય તો બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ ઘાતી કર્મોને પણુ ક્ષય ન થાય. અને ઘાતી કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન પણ થાય નહિ. તે વખતે ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મી અને સુંદરી નામની પોતાની બે પુત્રીઓ કે જેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, તે બને સાધ્વીઓને બાહુબલિને બેધ કરાવવાને માટે મોકલી. તેથી તે બંને સાધ્વીઓ પોતાના ભાઈ બાહુબલિ જ્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા ત્યાં આવ્યા. પ્રથમ તે તે બંને સાધ્વીઓ ભાઈને ઓળખી પણ શક્યા નહિ કારણ કે ત્યાં એક વર્ષથી કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા બાહુબલિની દાઢીમાં પક્ષીઓએ માળા કર્યા હતા. અને તેમના આખા શરીર ઉપર વેલડીઓ વીંટાઈ વળી હતી. તેથી મહા મહેનતે ભાઈને ઓળખ્યા. તે વખતે ભાઈને વંદન કરીને પિતાએ કહેવાને કહેલાં વચને આ પ્રમાણે કહ્યાં “હે વીરો ગજ ઉપરથી હેઠા ઊતરે એ પ્રમાણે કહીને બંને સાવીઓ વાંદીને સુખ શાતા પૂછી ચાલ્યા ગયા. - બહેનેએ (સાધ્વીઓએ) કહેલા વચન સાંભળીને બાહુબલિ મુનિએ વિચાર કર્યો કે “હું હાથી ઉપર બેઠો નથી છતાં મને બહેનોએ આ પ્રમાણે કેમ કહ્યું? અને તે સાધ્વીઓ જુઠું તે લગાર પણ બેલે નહિ.” વિચાર કરતાં સમજાયું કે અરે! દીક્ષા પર્યાયથી મેટા એવા નાના ભાઈઓને વંદન કેમ કરાય ? મારા મનમાં રહેલ આ જે અહંકાર એજ ખરે હાથી છે. અને જ્યાં સુધી અભિમાન રૂપી હાથી ઉપર હું રહેલો છું ત્યાં સુધી મને કેવલજ્ઞાન પણ કઈરીતે થાય? માટે મારે હવે પિતાની પાસે જઈને દીક્ષા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy