SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. માટે ધન પેદા કરવામાં ને સાચવવા વગેરેમાં અનેક જાતનાં દુખો સહન કરવા પડે છે. ચેથી દેવ ગતિમાં પણ અનેક પ્રકારનાં દુઓ રહેલાં છે. કારણ કે દેવેને પણ જ્યારે ઍવવાને કાલ નજીક હોય છે ત્યારે હવે મારે આ બધે વૈભવ આનંદ મૂકીને જવું પડશે એવું જાણવાથી દુઃખ થાય છે. અને પિતાના પ્રિય દેવ દેવીનું ચ્યવન થાય ત્યારે પણ દુઃખ થાય છે. તથા પિતાથી વધારે બળવાળા તથા ઋદ્ધિવાળા દેવને જોઈને ઈર્ષો વગેરે થવાથી પણ મનમાં દુઃખ થાય છે. એવી રીતે દેવગતિમાં પણ ત્રાસ એટલે ભય, શેક વગેરે દુખો રહેલાં છે. આ પ્રમાણે ચારે ગતિ રૂપી સંસાર બહુજ દુખેથી ભરેલો હોવાથી આ સંસારમાં રહીને ખરી રીતે સાચા સુખી થવાની આશા રાખવી નકામી છે. માટે જ ચારિત્રમાં પરિષહ તથા ઉપસર્ગોને ભોગવવાં વગેરે સવરૂપ મુશ્કેલીઓ પડે છે તે સર્વેને હું હિતકારી માનું છું. કારણ કે તે મુશ્કેલીઓ તે મને નક્કી શિવશર્મની એટલે મેક્ષ રૂપી સુખને જરૂર આપનારી છે. ૩૩ રાજકુંવર માતાપિતાને કર્મબંધના અને કર્મથી છુટવાના કારણે સમજાવે છે-- ભાવને અનુસાર બંધન મેક્ષ સારા ભાવથી, કર્મનિર્ભરણા પરમ પદ તેમ માઠા ભાવથી; કર્મબંધન બાહુબલિ તિમ મત્સ્યના દૃષ્ટાંતથી, ચારિત્રમાં સારા નિમિત્તો ભાવ નિર્મલ નિયમથી. ૩૪ સ્પષ્ટાથે–તથા હે પૂજય માતાપિતા ! જીવના પરિણામને અનુસારે કર્મને બંધ તથા કર્મથી મૂકાવું થાય છે. જે જીવના સારા ભાવ એટલે અધ્યવસાય હોય તે જીવને કર્મોની નિર્જરા થાય છે એટલે ઘણાં કર્મદલ ભગવાઈને ખરી જાય છે. તેમજ જે જીવના પરિણામ અશુભ વર્તતા હોય તે તે જીવને કર્મોને બંધ થાય છે. જો કે જીવને સમયે સમયે કર્મ બંધ તથા કર્મની નિર્જરા તે થયા કરે છે, પરંતુ જેમ જેમ શુભ પરિણામની વૃદ્ધિ થાય છે તેમ તેમ નવા કર્મોને બંધ ઓછો ઓછો થતો જાય છે અને તેથી કર્મની નિર્જરા અનુક્રમે વધતી જાય છે. અને જેમ જેમ જીવના અશુભ પરિણામની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ કર્મબંધ વધતો જાય છે અને નિર્જરા ઓછી ઓછી થાય છે. આ પ્રસંગે શુભ પરિણામથી થતા કર્મક્ષયની બાબતમાં બાહુબલિની બીના–દષ્ટાંત અને અશુભ પરિણામથી થતા કર્મબંધની બાબતમાં તંદુલિયા માસ્યની બીના ટૂંકામાં અનુક્રમે આ રીતે જાણવી––બાહુબલિ પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવના પુત્ર અને ભરત ચક્રવતીના નાના ભાઈ હતા. બંને ભાઈઓ વચ્ચે મોટું યુદ્ધ થયું. તેમાં બંને ભાઈઓના પરસ્પર યુદ્ધમાં ચક્રવતી હાર્યા અને બાહુબલિ જીત્યા. છેવટે ભરત ચક્રવર્તીએ બાહુબલિને મારવા માટે પિતાનું ચકરત્ન નાનાભાઈ ઉપર મૂકયું. પરંતુ એક (સરખા) ગોત્રના જીવની ઉપર ચકની અસર થતી નથી તેથી ચક્ર બાહુબલિની ચારે તરફ પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું. ત્યાર જa Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy