SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપારિત ૨૧ આરાધન કરે છે તેથી મને ઘણું આશ્ચર્ય થાય છે. કારણ કે અહીં સૌથી પહેલાં ભેગતૃષ્ણા એટલે ઈન્દ્રિયોના વિષયોની તૃષ્ણા (ઈચ્છા) તજવીજ જોઈએ ને જે ન તજે તે તેનાં પરિણામે દુર્ગતિના દુઃખ ભોગવવાં પડે છે. આ કામ બહુજ દુષ્કર છે. તેમજ આ ભવ એટલે સંસાર પણ સાર રહિત છે એવું જાણવા છતાં પણ તેને ત્યાગ કરનારા પુણ્યાત્માઓ તે જગતમાં વિરલા જ હોય છે. એટલે ભોગતૃષ્ણા ત્યાગ અને સંસારના સીપુત્રાદિની મમતા તજીને પરમ ઉ૯લાસથી ચારિત્રાદિની આરાધના આ બે સાધને સર્વ જીને સહેજે મળતા નથી, પણ લઘુકમ આસન્નસિદ્ધિક ભવ્યજીવે જ તે પામી શકે છે. ૨૦ સંસાર સાગર તરણ સાધન આપ દર્શાવો મને, આપે ગ્રહેલા મુક્તિ કેરાં પંથમાં જે મને ગિરિ ઉપર જિમ કાંકરાને શેધતાં માણિક મળે, તેમ ક્રીડા કાજ આવેલા મને દર્શન ફળે. સ્પાઈ–હવે રાજકુંવર ગુરૂ મહારાજને પૂછે છે કે હે ગુરૂજી! આપ કૃપા કરીને આ સંસાર સમુદ્રને તરવાનાં સાધને મને જણાવો. અને આપે ગ્રહણ કરેલા મેક્ષના માર્ગની આરાધનામાં મને જેડે. જેમ કેઈ માણસ પર્વત ઉપર ચઢીને કાંકરાને શોધતે હોય અને તેને અચાનક માણેકની એટલે તે નામના રત્નની પ્રાપ્તિ થાય તેવી રીતે અહીંઆ ક્રીડા કરવાને માટે આવેલા મને આપના અણધાર્યા રત્નાદિથી પણ વધારે કીંમતી દર્શન થયાં છે. તેથી મને નકકી જણાય છે કે આપના દર્શન અને ઉત્તમ ગુણેના લાભારૂપ ફળને જરૂર આપશે. ૨૧ આચાર્ય મહારાજ દશ પ્રકારને સાધુધર્મ વગેરે બીના ચાર કેમાં જણાવે છે – • સૂરિ બેલે જેમ માંત્રિકને પિશાચાદિક હુએ, શાંતિ કાજ વિરાગીને રૂપાદિ તિમ તેવા ભવે; સંસાર સાગર તરણ સ્ટીમર સાધુ ધર્મ ન ભૂલીએ, દશ પ્રકારે તેહના સંયમ પ્રમુખ ઈમ જાણીએ. સ્પષ્ટાઈ–ઉપર પ્રમાણેનાં કુંવરનાં વચન સાંભળીને ગુરૂ મહારાજે જણાવ્યું કે જેમ માંત્રિક એટલે મંત્રોને જાણનાર માણસની આગળ ભૂત પિશાચ વગેરે શાંત થઈ જાય છે તેવી રીતે સંસાર ઉપર વૈરાગ્યવાળા જીવની આગળ રૂપ, યૌવન, એશ્વર્ય વગેરે કે જેઓ સામાન્ય જીને ઉન્માદનાં કારણે થાય છે તે વ્યાવહારિક ગુણ પણ આત્મિક શાંતિને પ્રકટાવે છે. હવે સંસાર સમુદ્રને તરી જવાનાં સાધનના સ્વરૂપને જણાવતાં ગુરૂ મહારાજ કહે છે કે હે રાજકુંવર ! આ સંસાર રૂપી સમુદ્રને તરવાને માટે સાધુઓને સર્વવિરતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy