SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજયપધરિતસર્વ સાધર્મિક તણું ભકિત ભરત ચકી કરે, - તે સુણીને હાલના પણ શ્રાવકે તે નિત કરે; પણ “શકિતને અનુસાર ભક્તિ” એ વચન ના વિસ્મરે, ભરત મેઘ સમા લતા ને રેંટ સમ શ્રાવક ખરે. ૨૪ સર્વ પૃથ્વી તૃત કરતે મેઘ ખેતર માત્રને, રેંટ કરતા તૃપ્ત ધરજે ચિત્તમાં દષ્ટાંતને સાધર્મિની બહુમાનથી સાધેલ ભકિત પોષતી, સાત ક્ષેત્રને સમયને ઉચિત ભકિત દીપતી. ૨૫ સ્પષ્ટાર્થ–પ્રથમ ચક્રવર્તી શ્રી ભરત મહારાજાએ સર્વ સાધર્મિકોની ભક્તિ કરી હતી તે વાત સાંભળીને હાલના શ્રાવકે પણ તે સાધમિકેની ભક્તિ હંમેશાં કરે છે. પરંતુ “શક્તિ પ્રમાણે ભક્તિ કરવી” એ વચનને વિસારવું નહિ. કારણ કે શકિત પ્રમાણે કરેલી ભકિત જ શેભાને પામે છે. અહીં ભરત મહારાજા મેઘ જેવા જાણવા ને શ્રાવકે રેંટ સમાન જાણવા. જેમ મેઘ એટલે વરસાદ સર્વ પૃથ્વીને તૃપ્ત કરે છે એટલે પાણી નાંખીને સર્વ પૃથ્વીને ભીંજવે છે. કારણ કે મેઘમાં સર્વ પૃથ્વીને તૃપ્ત કરવાની શકિત છે. તેમજ રેંટ સર્વ ખેતરને પાણી વડે તૃપ્ત કરે છે. એટલે રેંટની શકિત ખેતરને જ પાણી પૂરું પાડવાની છે, તેથી તે ખેતરને જ તૃપ્ત કરે છે. માટે આ દૃષ્ટાન્તને ધ્યાનમાં લઈને શકિત પ્રમાણે ભકિત કરવાની જણાવી છે. બહુ માન પર્વક કરેલી સાધર્મિકની ભકિત સાત ક્ષેત્રોને પોષણ આપે છે. કારણ કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિનચૈત્ય અને આગમ એ સાતે ક્ષેત્રોને પોષનારા શ્રાવક વગેરે છે, માટે સાધર્મિક શ્રાવકાદિની ભકિત કરવાની જણાવી છે. વળી શકિત પ્રમાણે ભકિત કરવી તે પણ જે સમયે જે ક્ષેત્રની ભકિત કરવા યોગ્ય હોય તેજ ક્ષેત્રની ભકિત કરવી જોઈએ. આ રીતે શકિત પ્રમાણે અને સમયને ઓળખીને સાધમિકેની ભકિત કરવાથી અનંતા જીવે ભવસમુદ્રને તરી ગયા છે, હાલ મહાવિદેહ ક્ષેત્રમાં ભવસમુદ્રને તરે છે, ને ભવિષ્યમાં પણ ભવસમુદ્રને તરશે. ૨૪–૨૫. શ્રાવિકાની ભકિતનું ફળ ત્રણ લોકમાં જણાવે છે – ત્રણ પક્ષ નિર્મલ જેહના જે શ્રાવિકા નરરત્નને, જન્મ આપે તેહથી તે અધિક નથી પણ અનેક પુત્ર જૈન તીર્થપતિ તિમ પૌત્ર ચકી પણ હતા, પુત્રની પહેલાં પ્રથમ જે મેક્ષના સુખ પામતા. ૨૬ સ્પાર્ક –હવે સંઘમાં ચોથું અંગ જે શ્રાવિકા તેની ભકિત શા માટે કરવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy