SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દશનાચિંતામણિ ] ધર્મની ઉત્પત્તિ હવે પુરૂષથી તે સત્ય છે, પણ જરૂર છે પૂજ્ય સાધ્વી તાસ શકિત અપૂર્વ છે લાભ ઉત્તમ આપતી તે ગુરૂજનોને જોઇએ, બાહુબલિને મુક્તિ કારણ બહેન બ્રાહ્મી માનીએ. ૨૨ સ્પષ્ટાર્થ:-સાધ્વીજીની ભકિત શા માટે કરવી ? તેનું કારણ જણાવતાં કહે છે કે જે કે ધર્મની ઉત્પત્તિ પુરૂષથી થાય છે તે વાત સાચી છે, કેમકે તીર્થકરથી ધર્મની ઉત્પત્તિ કહેલી છે, તે તીર્થંકર પુરૂષ હોય છે. અહીં મલીનાથ અપવાદ રૂપે જાણવા –કારણ કે તેઓ સ્ત્રીવેદે તીર્થકર રૂપે ઉત્પન્ન થયા તે અચ્છેરા (આશ્ચર્ય)માં ગણાય છે. તે છતાં પણ સાધ્વીજી મહારાજ પણ જરૂર પૂજનિક-ભકિત કરવા લાયક છે જ. કારણ કે તેમનામાં પણ અપૂર્વ શકિત રહેલી છે. કારણ કે પ્રસંગ આવે તેઓ એટલે સાધ્વીઓ પણ ગુરૂજનોને ઉત્તમ લાભ આપતી જોવામાં આવે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પ્રભુશ્રી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી એ બે રાધ્વીઓ બાહુબલિને મોક્ષની પ્રાપ્તિમાં કારણ રૂપ થયા છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે-શ્રી બાષભદેવ પ્રભુના કહેવાથી આ બંને બહેન–જેઓ દીક્ષા લઈને કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે અને જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઋષભદેવ પ્રભુની પાસે જવું નહિ એવા અભિમાનમાં રહેલા હોવાથી જે મને કેવલજ્ઞાન થતું નથી એવાબાહુબલીની પાસે આવીને “હે વીરા ગજ થકી હેઠા ઊતરે” એવું કહીને ચાલ્યા ગયા. પરંતુ આ વચને વિચાર કરતાં બાહુબલિનું અભિમાન જતું રહેવાથી તેમને તરત કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રર. શ્રમણી તણા ગણને તથા નિત શ્રાવિકાના વર્ગને, | મુકિત માર્ગારાધનામાં સાધ્વીઓ કરે મદદને પાપનો ભય રાખનારી પાપ કરતાં વારતી, તેહવી સાધ્વી તણું શુભભક્તિ શિવસુખ આપતી. ૨૩ સ્પાર્ક – સાધ્વીઓની સેવાભક્તિ કરવાનું વિશેષ કારણ જણાવતાં કહે છે કે તે સાધ્વીઓ શ્રમણી એટલે સાધ્વીઓના સમૂહને તથા શ્રાવિકાઓના સમૂહને મોક્ષ માર્ગની આરાધના કરવામાં હંમેશાં સહાય કરે છે. કારણ કે તે સાધ્વીઓ અન્ય સાધ્વીઓને તથા શ્રાવિકાઓને ધર્મને ઉપદેશ આપે છે. તે સાધ્વીઓ પાપનો ભય રાખે છે તેમજ બીજા પાપ કરનારાઓને ઉપદેશ આપીને પાપ કરતાં રેકે છે, માટે આવી સાધ્વીઓની જેઓ સારી ભક્તિ કરે છે તેઓ પણ તે ભક્તિ કરવાના પ્રતાપે મોક્ષના સુખને મેળવે છે. માટે સાધ્વીજીની ભક્તિ પણ અવશ્ય કરવી જોઈએ. ૨૩. સાધર્મિકની ભક્તિનું ફળ બે શ્લોકમાં જણાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy