SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપઘસરિકૃતસામા કાંઠે પહોંચાય છે અને જેમ અંધકારવાળે માર્ગ દીવાના પ્રકાશની સહાયથી ગાય છે તેમ વહાણ અને દીપક સમાન સાધુભકિતથી આ સંસાર રૂપી સમુદ્રને જરૂર ઓળંગી શકાય છે. સાધુને ઔષધાદિકનું દાન કરવા વિષે બાહુ સુબાહુનું દષ્ટાંત બે લેકમાં જણાવે છેઅચિત્ત ભેજન પાન વસ્ત્રો સ્થાન ઔષધ આદિને, આપતા મુનિને કરંતા તાસ વિયાવૃત્યને આશ્ચર્યકારક બેગ પણ પામે અલૌકિક શકિતને, દષ્ટાંત બાહુ સુબાહુનું જિમ કામધેનું પણ અને. ૨૦ સ્પષ્ટાર્થ–જે ભવ્ય જીવે સાધુ મુનિરાજને અચિત્ત અને દોષ રહિત ભજન, પીવાનું પાણી, પહેરવાનું વસ્ત્રો, તથા રહેવાને સ્થાન આપે છે તેમજ ઔષધ વગેરે જરૂરી વસ્તુઓ આપે છે. તેમજ તેમની વૈયાવચ્ચ એટલે સેવા ભકિત કરે છે તેઓ બીજા જેને આશ્ચર્ય પમાડે તેવા ભોગ સુખોને પણ પામે છે, તેમજ અલૌકિક એટલે બીજા સામાન્ય જીવમાં ન હોય તેવા ભુજાઓના બલને (શકિતને) પામે છે. આ પ્રસંગે ઉત્તમ ભાવથી મુનિવરની ભકિત કરનાર બાહુ અને સુબાહુ નામના બે મુનિવરનું અને કામધેનુનું પણ દષ્ટાન્ત જાણવું. ૨૦. જલ પાન ચારે નાંખતા કેમલ કરે પંપાળતા, ઈષ્ટાર્થ ઘે તેથી અધિક મુનિભકિત પ્રભુ ઈમ ભાષતા ઔષધાદિક દેઈ મુનિને બહુ ભરત નૃપતિ થયા, વિશ્રામણાદિકથી સુબાહુ બાહુબલી અતિઅલી થયા. ૨૧ સ્પષ્ટાથે-તે ત્રણ દષ્ટાંતની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–શ્રી બહુમુનિએ સાવિક ભાવે મુનિઓને અન્નપાનાદિ લાવી આપ્યા હતા. આવી ભકિતના પ્રભાવે તે શ્રી ભરત ચકવત થયા. ને સુબાહુમુનિ મુનિઓની વૈયાવચ્ચ વગેરે પ્રકારે ભકિત કરવાથી બાહુબલી નામે પ્રભુશ્રી ઋષભદેવના પુત્ર થયા. તે ચકવર્તી હતા નહી, છતાં પણ તેને હંફાવે એવા બાહુના બલને ધારણ કરતા હતા. તથા જેમ કામધેનુ ગાયને પણ આપણે ચાર નાંખીએ, ચોખ્ખું પાણી પાઈએ, ને કેમલ હાથે પંપાળીએ, તો આ લોકના સર્વ વાંછિત ફળે છે. તેમ સાધુઓની ભકિત પણ આ ભવમાં તમામ વાંછિતને પૂર્ણ તો કરે જ છે. તે ઉપરાંત પરભવમાં પણ સ્વર્ગના ને મોક્ષના સુખ જરૂર આપે છે. આ અપેક્ષાએ પૂજ્ય મુનિવરની ભકિત કામધેનુથી પણ વધારે ચઢી જાય એટલે કામધેનુ વગેરે પદાર્થો પરભવમાં મેળવવા લાયક સ્વર્ગ મોક્ષના સુખને દઈ શકતા નથી. ૨૧. બે શ્લોકમાં સાધ્વીની ભકિત શા માટે કરવી? તે જણાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy