SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] સ્પષ્ટાર્થી–લેકેની અંદર રાજા પ્રવર એટલે ઉત્તમ ગણાય છે. રાજા કરતાં ચક્રવતી ઉત્તમ ગણાય છે કારણ કે તે રાજાઓને પણ રાજા છે. અથવા બધા રાજાઓ પણ તેની સેવા કરે છે. ચક્રવતી કરતાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે. કારણ કે તે દેવના પણ રાજા છે. આ બધાના કરતાં જિનરાજ એટલે તીર્થકર મહારાજ શ્રેષ્ઠ છે. કારણ કે ચક્રવતીઓ અને ઈન્દ્રો પણ તે તીર્થ પતિને સેવે છે. આવા જ્ઞાનસિંધુ એટલે જ્ઞાનના દરિયા અથવા ત્રિકાળજ્ઞાની-કેવલજ્ઞાની તે તીર્થકર દે પણ તે શ્રીસંઘને હમેશાં ભરતચક્રી વગેરેની માફક પ્રણામ કરે છે. વળી જે શ્રીસંઘને ઉન્નત (આબાદીવાળો) કરે છે તે ભવ્ય જી નાં હું વખાણ કરું છું. ૧૭. વિવિધ ઉપમા યોગ્ય છે શ્રીસંઘ ભક્તિ તેહની, તીર્થપતિતા આપતી સંહારતી તતિ પાપની, રત્ન ખાણ સમાન તેમાં ભાવિ જિનવર ગણધરા, મણનાણ અવધિ જ્ઞાનવંતા પ્રમુખ ત્યાં રત્ન ખરા. ૧૮ સ્પષ્ટાર્થ –ઉપરના લેકમાં જેમનું વર્ણન કર્યું છે તેવા અનેક પ્રકારની ઉત્તમ ઉપમાવાળા પૂજ્ય શ્રીસંઘની ભક્તિ તીર્થપતિતા એટલે તીર્થંકરની પદવી પણ આપે છે. કારણ કે તીર્થંકર પદની પ્રાપ્તિ માટે જે વિસ સ્થાનકે (ભેદ) ગણાવ્યા છે તેમાં શ્રીસંઘની ભક્તિ પણ એક સ્થાન રૂપે ગણાવી છે. વળી સંઘની ભકિત પાપની તતિ એટલે પાપના સમૂહનો નાશ કરે છે. તેમજ સંઘને રત્નની ખાણની ઉપમા આપી છે. કારણ કે તે સંઘની અંદર ભવિષ્યમાં થનારા અનેક તીર્થકરે, ગણધરે, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ વગેરે અનેક પ્રકારનાં સાચાં રત્ન રહેલાં છે. ૧૮. સાધુની ભકિત ઉપર ધન શેઠ તથા જવાનંદ વૈદ્યનું દષ્ટાંત કહે છે - ધન શેઠ જીવાનંદ વિશે સાધુની ભક્તિ કરી, સંસાર સાગરને તર્યો તિમ સાધુની ભકિત કરી પામીજે ભવ જલધિ તીરને જેમ ઉત્તમ વહાણથી, જલધિતીરે જાય તમમય માર્ગ કાપે દીપથી. ૧૯ સ્પષ્ટાથ –ધન શેઠના જીવ જે જીવાનંદ નામે વૈદ્યપણે ઉત્પન્ન થયા હતા. તેમણે સાધુની ભકિત કરી એટલે સાધુ મુનિરાજની દવા કરીને તેમના શરીરમાંથી કીડા કાઢીને સારવાર કરી હતી તેથી તે સંસારસમુદ્રને તરી ગયા. કારણ કે તે જીવાનંદ વૈદ્યને જીવ તેજ પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાન થયા અને મેક્ષે ગયા. (વિશેષ હકીકત માટે દેશના ચિંતામણી પહેલો ભાગ જુઓ) હે જીવ! તેમની પેઠે સાધુની ભકિત કરીને આ સંસાર રૂપી સમુદ્રના કાંઠાને તું મેળવ. જેમ ઉત્તમ વહાણની સહાયથી સમુદ્રના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy