SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] જોઈએ ? તે જણાવતાં કહે છે કે-જે શ્રાવિકાના ત્રણ પક્ષો એટલે માતા, પિતા તથા શ્વસુર એ ત્રણે નિર્મલ હોય એટલે કે ઈ પણ જાતના કલંક રહિત હોય એવી શ્રાવિકા પુરૂમાં રત્ન જેવા શ્રી તીર્થકરાદિ મહાપુરૂષને જન્મ આપે છે, માટે તે સ્ત્રી પુરૂષથી પણ ચઢિઆતી છે. આ બાબતમાં દાન્ત આપતાં જણાવે છે કે મરૂદેવી માતા ઉત્તમ શ્રાવિકા હતા. કારણ કે તેમણે તે ઋષભદેવ સમાન પુત્રને જન્મ આપે કે જેઓ પ્રથમ તીર્થપતિ અથવા તીર્થંકર થયા. વળી જેમના પુત્રના પુત્ર પ્રથમ ચક્રવત (ભરત ચક્રવર્તી થયા. વળી જેમણે પુત્રના પહેલાં મોક્ષનું સુખ મેળવ્યું. અંતગડ કેવલી થઈ મેક્ષે ગયા. ૨૬. તે મરૂદેવા સમી નારી ન થઈ હોશે નહી, - જિનધર્મને દીપાવનારી શ્રાવિકા પુષ્કળ સહી; બુધ તણો મદ ટાળતી ને ધર્મ પથે જોડતી, શ્રાવિકાની ભકિતનો કરનાર પામે સદ્ગતિ. ૨૭ સ્પષ્ટાર્થ:–આગલી ગાથામાં જણાવેલા સ્વરૂપવાળી મરૂદેવા માતા સમાન કેઈ સ્ત્રી-શ્રાવિકા થઈ નથી અને થશે પણ નહિ. ભૂતકાલમાં બીજી પણ જૈન ધર્મને શોભાવનારી ઘણી શ્રાવિકાઓ થઈ ગએલ છે. જે શ્રાવિકાઓએ પંડિત પુરૂષના અભિમાનને દૂર કર્યો છે. અનેક જીને ધર્મ માર્ગમાં જેડયા છે. ઉપદેશ આપીને મોક્ષનો સાચે માર્ગ બતાવ્યો છે આવા ઉત્તમ ગુણવાળી શ્રાવિકાઓની ભકિત કરનાર જીવ દેવાદિક શુભ ગતિને પામે છે. માટે શ્રાવિકાઓની ભકિત જરૂર કરવા ગ્ય છે. ર૭. શુદ્ધ શીલ ટકાવનારી શ્રાવિકા ત્રણ ભુવનમાં, વખણાય ઉપસર્ગો હતી બંધ કરતી લેકમાં મુનિરાજને પણ સંયમે સ્થિરતા કરાવે શ્રાવિકા, વિવિધ ધર્મારાધને પણ મદદ કરતી શ્રાવિકા. ૨૮ સ્પાઈ–વળી જે શ્રાવિકાઓએ સંકટના સમયમાં પણ પિતાના શીલનું રક્ષણ કર્યું છે, તેથી તેઓ સતીઓ તરીકે પૂજાએલ છે અને જેઓની કીર્તિ ત્રણે જગતમાં ગવાએલી છે. તથા સતી સ્ત્રીઓએ અનેક પ્રકારના ઉપસર્ગોને દૂર કર્યા છે. અને લોકોને બંધ એટલે સારે ઉપદેશ આપીને ધર્મમાં સ્થિર બનાવ્યા છે. તથા જે શ્રાવિકાઓએ મુનિરાજ જેવાઓને પણ ચારિત્રમાં સ્થિર બનાવ્યા છે. તથા દ્વિવિધ ધર્મારાધન એટલે સર્વવિરતિ ધર્મની તથા દેશવિરતિ ધર્મની અથવા સાધુ ધર્મની અને શ્રાવક ધર્મની આરાધનામાં અનેક જીવને મદદ કરી છે. માટે તે શ્રાવિકાઓ અવશ્ય ભકિત કરવા લાયક છે. ૨૮ સંઘભકિત કરનારને કેવાં કેવાં ફળ મળે તે ત્રણ લોકોમાં જણાવે છે– . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy