SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાનાચિંતામણિ ભાગ ચાયા ] એવા નિશ્ચય કરી પેાતાની દૃષ્ટિથી ખા જીવા મરે નહિ તે હેતુથી ખીલમાં માંનાંખીને તે સર્પ રહ્યો છે. ૨૫ કાઇને ઉપદ્રવ કરતા નથી એવુ જાણીને તે માગે થઈને જતી ગેાવાલણીએ તેને પીવાને માટે દૂધ મૂકે છે. તેને લીધે એકઠી થએલી કીડીએ તે સર્પને ડંખ મારે છે તેથી અત્યંત પીડા થવા છતાં પણ તે સમતા પૂર્વક સહન કરે છે અને શુભભાવમાં મરીને હસ્ત્રાર દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વીર પ્રભુનું શરણ પામીને તિર્યંચ જાતિના સર્પ પણ દેવગતિ પામ્યા. વ્યાજખી છે કે મહાપુરૂષોના શરણના પ્રભાવ અલૌકિક હોય છે તથા સિદ્ધ પ્રભુના શરણને અંગીકાર કરીને પણ અનંતા જીવે આ સંસાર સમુદ્રને તરી ગયા છે. તેમજ સાધુ મહારાજનું શરણુ અંગીકાર કરીને પણ ઘણા જીવા સંસારસમુદ્રને તરી ગયા છે. જેવી રીતે ગૌતમ સ્વામીને અષ્ટાપદ પર્વત ઉપર ચઢતા જોઈને ચમત્કાર પામેલા પંદરસો તાપસે તેમના શરણે આવીને તેમના શિષ્ય અન્યા અને તે બધા તાપસાને પ્રભુ શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં જતાં સુધીમાં તે કેવલજ્ઞાન પામીને તેજ ભવમાં મેાક્ષના સુખાને પામ્યા. ૯૩ તેમ જિનવર ધર્મના શરણે ઘણાં જીવા તર્યા, શરણુ સાચું તે ન જાણે મેાડ જાલે જે ફસ્યા; નિઃસ્પૃહી ગુણવંત ગુરૂના વચનથી ચઉસરણને, અવધારીએ આરાધીએ તા મુક્તિના મુખ પામીએ. ૯૪ સ્પષ્ટા :-વળી ચાથા શરણરૂપ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મનું શરણ સ્વીકારીને પણ ઘણાં જીવા આ સ`સાર સમુદ્રને તરી ગયા છે. માટે આ ચાર શરણા તેજ સાચાં શરણા જાણવા. જેઓ મેાહ જાળમાં ફસાએલા છે તેએ આ સાચા શરણને જાણી શકતા નથી પરંતુ જેઓ નિઃસ્પૃહી એટલે કોઈ પણ જાતની સાંસારિક પદાર્થોની ઈચ્છા રહિત થઇને પર જીવાની ઉપર ઉપકાર કરનારા છે એવા ગુણવંત ગુરૂદેવાના વચન સાંભળીને આ ચાર શરણને સમજે છે. અને સમજીને તે ચારે શરણાં સ્વીકારે છે તેવા મેક્ષમાર્ગના સાધક ભવ્ય જીવેા મેાક્ષના સુખને પામે છે. માટે આ ધર્મનુ શરણ પણ અવશ્ય અંગીકાર કરવું જોઇએ. ૪ Jain Education International સાચા શરણરૂપ જિન વચનાને સાંભળવાથી શા શા લાભ થાય ? તે પાંચ શ્લેાકેામાં જણાવે છેઃ— પ પિરવાર લેશે ભાગ ધનના ભાગ દુઃખમાં ના લીએ, સ્વામય દુનિયા વિષે અશરણુ શરણરૂપ માનીએ; મેહ અજ્ઞાનાદિ કારણ તેહના ના ભૂલીએ, જિન વચન અનુસાર સાચા શરણને સ્વીકારીએ. For Personal & Private Use Only ૯૫ www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy