SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપઘસરિત પાર્થ–મરનાર પાસે જે ધન હોય છે તેમાંથી તેને સ્ત્રી-પુત્રાદિ પરિવાર ભાગ લે છે પરંતુ તેને (મરનાર જીવ)ના દુઃખમાંથી કઈ ભાગ લેતું નથી. આ સ્વાર્થ મય એટલે સ્વાર્થથી ભરેલી અને ફક્ત સ્વાર્થની જ સગી એવી દુનિયાને વિષે ધનને અશરણ (શરણરૂપ નહિ) એવા ધનને જે શરણ રૂપ માનવામાં આવે છે તેમાં મોહ અને અજ્ઞાન આ છે કારણ રૂપ જાણવાં. એટલે ધનને લીધે માણસ ધારેલું કાર્ય કરી શકે છે, અને સુખમય જીવન ગુજારાય છે, એવી માન્યતામાં મેહ તથા અજ્ઞાન, એ જ બે દેશે કારણ છે. પરંતુ જ્યારે મોહ તથા અજ્ઞાન દૂર થાય છે ત્યારે તે ધન ઉપરને મમત્વ ચાલ્યા જાય છે અને આ ધન, કે જે અર્થ કહેવાય છે તે અર્થ નહિ પરંતુ અનર્થરૂ૫ (અનર્થનું કારણ) છે એવું જાણીને આ ધનને લાત મારીને મહાપુરૂષોએ તેને ત્યાગ કર્યો છે. અને તેમણે જિનેશ્વર ભગવંતે કહેલાં વચનને અનુસારે સાચા શરણરૂપ અરિહંતાદિક ચાર પદાર્થોનું શરણ સ્વીકાર્યું છે. તથા તેના જ પ્રતાપે તેઓ મોક્ષમાર્ગને સાધીને આ સંસાર સમુદ્રનો પાર પામી ગયા છે. હે ભવ્ય જી! આ બીનાને લક્ષમાં રાખીને તમે પણ સાચા શરણને સ્વીકારીને મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી આરાધીને મુક્તિના સુખને પામજો. ૯૫ પારમાર્થિક સ્થિર સ્વાધીન શુદ્ધ સુખ એથી મળે, શાંતિથી નિર્દોષ જીવન વીતરાગ દશા રળે; અરૂપ નિજ ગુણ રમણતાએ ન્યાતિમાં જોતિ ભળે, ધર્મ સાધન સાધ્ય સરતા કર્મ મેલ બધે ટળે. ૯૬ સ્પષ્ટાર્થ –વળી આ અરિહંતાદિક ચાર પદાર્થોના સાચા શરણને સ્વીકારવાથી પારમાર્થિક એટલે વાસ્તવિક અથવા સાચા સ્વરૂપવાળું અને સ્થિર એટલે નાશ ન પામે તેવું તથા સ્વાધીન એટલે પરતંત્રતા વિનાનું તેમજ જેનામાં બીજાની સહાયની અપેક્ષા નથી એવું તેમજ શુદ્ધ સુખ મળે છે. અને તેથી શાંતિ પૂર્વક અને દોષ રહિત જીવન જીવાય છે. જેથી છેવટે વીતરાગ દશા રેળે છે એટલે રાગદ્વેષ રહિતપણારૂપ વીતરાગ દશા (અવસ્થા) પ્રાપ્ત થાય છે. એટલે અરૂપ એટલે રૂ૫ રહિત અથવા રૂપાતીત એવી આત્મ ગુણની રમણતા વડે જ્યોતિમાં તિ મળે છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે–આત્મા પોતાના નિર્મળ આત્મિક ગુણોને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે ધર્મના સાધને (હેતુઓ) વડે સાધ્ય ( ઈષ્ટકાર્ય–મોક્ષની પ્રાપ્તિ ) ની પૂર્ણતા થવાથી કર્મોરૂપી ભાવ મેલ ટળી જાય છે એટલે આત્માને લાગેલાં આત્માના ગુણેને મલીન કરનારાં સઘળાં કર્મોન મલથી નાશ થાય છે. આ બે પ્લેકમાં સાચા શરણની ઓળખાણ, પ્રભાવ વગેરે હકીક્ત જણાવી છે, તે ખાસ યાદ રાખવા જેવી છે. ૯૬. જિન વચન શિવમાર્ગ સાધન બાધકોને દૂર કરે, આરાધનામાં વૃદ્ધિ થીરતા શુદ્ધિ પણ તેથી વરે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy