SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ભાગ ] આવવાથી તેણે ખણવાને માટે પોતાને પગ ઉંચો કર્યો, તે વખતે પગ મૂકવાની જગાએ એક સસલું બીજા પ્રાણીઓના હડસેલાથી ભરાયું. ખણી રહ્યા પછી તે હાથી જમીન ઉપર પગ મૂકવા જાય છે ત્યારે પગ મૂકવાની જગાએ સસલાને જુએ છે તે વખતે તે હાથીને વિચાર થયો કે જે હું મારો પગ નીચે મૂકીશ તે આ સસલું જરૂર મરણ પામશે. આવા દયાના પરિણામથી તે હાથીએ એક પગ અદ્ધર રહેવા દીધો. બે દિવસ પછી જ્યારે દાવાનળ શાંત થઈ ગયો ત્યારે એકઠાં થએલાં તે પશુઓ ચાલ્યા ગયા ને સસલું પણ ચાલ્યું ગયું. તે વખતે તે હાથીએ પગ નીચે મૂકવા માંડયો. પરંતુ બે દિવસ સુધી એક અદ્ધર અવસ્થામાં રહેવાથી તે પગ અકડાઈ ગયો હતો તેથી હાથી એકદમ નીચે પડી ગયા અને ત્યાંજ શુભ ભાવમાં મરણ પામીને શ્રેણિક રાજાના મેઘકુમાર નામે પુત્ર થયા. આ પ્રમાણે હાથીના ભાવમાં સસલાને શરણ આપવાથી તે હાથી રાજપુત્ર થયા. તે દયા ભાવને પ્રભાવ જાણ. આ શ્લોકમાં જણાવેલા છેલ્લાં બે દષ્ટાંતે બીજા દુઃખિજીને શરણે રાખવાને બોધ આપે છે. ૯૧ મસ્યની જિમ તરફડે ન સહાય પીડા આંખની, સર્વે સગાં કરતા ઈલાજે લાગણીને વશ બની; તેઓ થતી ના શાંત પીડા ચરણ લેવા ચાહતા, સાજા થતા ચારિત્ર પાળી અનાથી મુનિવર થતા. ૯૨ સ્પષ્ટાઈ–વળી એક રાજાના પુત્રને આંખની એવી આકરી પીડા થઈ કે જેથી તે પાણી વિના માછલું તરફડે તેમ તરફડતા હતા. લાગણીવશ થએલાં સર્વે સગાં વહાલાં આંખની પીડા મટાડવાને માટે અનેક પ્રકારના ઈલાજે કરે છે. તે છતાં પણ જ્યારે આંખની પીડા શાંત થતી નથી. તેથી છેવટે તે કુમાર ચારિત્રનું શરણ સ્વીકારે છે. એટલે એ નિશ્ચય કરે છે કે જે મારી આ આંખની પીડા શાંત થશે તો હું ચારિત્ર ગ્રહણ કરીશ. આ રીતે ચારિત્ર ધર્મના શરણને સ્વીકાર્યા પછી તે કુમારની વેદના શાંત થઈ ગઈ. ત્યાર પછી તેમણે ચારિત્રને ગ્રહણ કર્યું અને તેનું શુદ્ધ રીતે પાલન કરવા લાગ્યા, તે અનાથી મુનિ તરીકે પ્રસિદ્ધ થયા. આ શ્લેકમાં ચારિત્ર ધર્મને પ્રભાવ જણાવ્યો. અનાથી મુનિની માફક શ્રી જિન ધર્મના શરણુથી જરૂર સદ્દગતિના સુખને, અને અંતે મેક્ષના પણ સુખને પામી શકાય છે. ૯૨ વીર પ્રભુનું શરણ લઈ ચમરેન્દ્ર પણ ઉગરી ગયા, ચંડકૌશિક વીર વચને સહસ્ત્રારે સુર થયે; સિદ્ધપ્રભુના શરણથી છ અનંત તરી ગયા, મુનિ શરણથી તાપસાદિ અનંત જીવ તરી ગયા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy