SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ] તેઓને કપટી જ જાણવા.” બ્રાહ્મણ બોલ્યો કે “ત્યારે હે રાજા! તમારા સાઠ હજાર પુત્રો એકજ સમયે મૃત્યુ પામ્યા છે. માટે તમે પણ શેક કરશો નહીં.” તે સાંભળીને એકદમ બ્રાંતિમાં પડેલે રાજા કાંઈક વિચાર કરે છે, તેટલામાં તો પ્રથમથી સંકેત કરી રાખેલા તે સામન્તાદિકે આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ચક્કી જાણે વજાથી હણાયો હોય તેમ તત્કાળ મૂછ પામીને પૃથ્વી પર પડશે. પછી સેવકોના કરેલા અનેક ઉપચારથી સાવધ થયો છતો અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ છે કે “હે સ્વામી! મને “શોક કરવાનો નિષેધ કરીને અત્યારે આપજ કેમ શેક કરે છે? વિયાગ કોને દુસહન હોય? પરંતુ જેમ વડવાગ્નિને સમુદ્ર સહન કરે છે. તેમ ધીર પુરુષ તેવા વિરહના દુઃખને સહન કરે છે. બીજાને શિખામણ આપવી ત્યારેજ શેભે છે કે જ્યારે સમય આવે ત્યારે પિતાના આત્માને પણ શિખામણ આપે.” આ પ્રમાણેનાં તે બ્રાહ્મણનાં વાથી બહુવારે ચક્રીએ હૈયે લાવીને તે પુત્રોની મરચિત ક્રિયા કરી. એવા અવસરે અષ્ટાપદ પાસેના પ્રદેશમાં રહેનારા મનુષ્યએ આવીને ચક્રીને વિનંતિ કરી કે “હે સ્વામી ! આપના પુત્રોએ જે ગંગાનદીનો પ્રવાહ અષ્ટાપદની ખાઈમાં લાવીને નાંખ્યો છે તે ખાઈને પૂર્ણ કરીને હવે ગામોને ડુબાવવા લાગે છે. માટે તેનું નિવારણ કરી અમારું રક્ષણ કરે.” તે સાંભળીને રાજાએ જહુના પુત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી, તેથી ભગીરથે ત્યાં જઈને અક્રમ તપ કરવાવડે સર્પરાજને પ્રસન્ન કરી તેની આજ્ઞાથી દંડવડે ખેંચીને તે પ્રવાહને ગંગાનદીમાં પાછો લઈ જઈ પૂર્વ તરફના સમુદ્રમાં ઉતાર્યો. ત્યારથી ગંગા અને સાગરના સંગમનું તે સ્થળ તીર્થરૂપ થયું, અને ગંગા નદી પણ જહુના લઈ જવાથી જાહ્નવી અને ભગીરથે તેને સમુદ્રમાં ઉતારી, તેથી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગીરથે પાછા આવીને મોટા ઉત્સવથી અધ્યામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચક્રીએ શત્રુંજયગિરિને સાતમે ઉદ્ધાર કરી અજિતનાથ સ્વામી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને બેતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામ્યા. અન્યદા ભગીરથ રાજાએ શ્રી જિનેશ્વરને પૂછયું કે “હે સ્વામી ! જન્દુકુમાર વિગેરે સાઠ હજાર ભાઈઓ સર્વે સમાન આયુષ્યવાળા કેમ થયા?” સ્વામીએ કહ્યું કે “ પૂર્વે કઈ માટે સંધ યાત્રાને માટે સમેતશિખર તરફ જતાં માર્ગમાં કેઈ નાના ગામડા પાસે આવ્યો. ત્યાં સાઠ હજાર ચોરો રહેતા હતા. તેમને કેઈ એક કુંભારે ઘણા વાર્યા, તોપણ તેઓએ તે સંઘને લૂટયો. ત્યાંથી સંઘ મહાકષ્ટ આગળ ગયો. તે વખતે એ સાઠે હજાર લુંટારાઓએ એક સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. એકદા તે ગામના રહીશ કેઈ રે બીજા ગામમાં જઈને ચોરી કરી. તે ચારને પગલે પગલે ગામના રક્ષકે તે ચોરના ગામ સુધી આવ્યા. પછી આ ગામમાં બધા ચાર જ વસે છે, એમ નિશ્ચય થવાથી તેમણે તે ગામના દરવાજા બંધ કરીને ચોતરફથી અગ્નિ સળગાવ્યું. તે દિવસે પેલે કુંભાર કાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy