SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપરિકૃતબેભાન થઈ ગયો છે. માટે હે દેવ! તમે તેને જીવાડે.” તે સાંભળીને રાજાએ વિષને બેલાવી તેને ઉપાય કરવા ફરમાવ્યું. તેવામાં કઈ માણસે ત્યાં આવીને કહ્યું કે “જેના ઘરમાં આજ સુધી કે માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરમાંથી ભસ્મ લાવે, તો હું આને જીવતે કરું.” તે સાંભળીને રાજાએ આખા નગરમાં સર્વ ઘેર તેવી ભસ્મ લાવવાને માટે માણસે મોકલ્યા તેઓ પાછા આવીને બેલ્યા કે, “હે રામી ! અમે આખી નગરી જોઈ, પણ જ્યાં કઈ માણસ મરણ પામ્યું ન હોય એવું એક પણ ઘર મળ્યું નહીં.” તે સાંભળી ચક્રી પણ બોલ્યા કે “ અમારા ઘરમાં પણ ઘણા પૂર્વજો મરણ પામેલા છે; તો સર્વને વિષે સામાન્ય રીતે પ્રવર્તનારું જે મૃત્યુ તેની પ્રાપ્તિથી હે બ્રાહ્મણ ! તું શા માટે ખેદ કરે છે? મરેલા પુત્રનો તું શા માટે શોક કરે છે? શેક તજી દઈને કાંઈક આત્મ સાધન કરે; કેમકે તું પણ અજરામર નથી.” તે સાંભળી પેલે બ્રાહ્મણ બે કે “હે દેવ! તે સર્વે હું જાણું છું, પણ આ પુત્ર વિના આજે જ મારા કુળને ક્ષય થશે, માટે તે સ્વામી! કે પણ પ્રકારે આને જીવાડીને મને પુત્રભિક્ષા આપો.” રાજા બોલ્યો કે “હે બ્રાહ્મણ ! મંત્ર, તંત્ર તથા શાસ્ત્રોને અગોચર અને અદશ્ય શત્રુપ વિધિના ઉપર કયો પંડિત પુરુષ પણ પરાક્રમ કરી શકે? કેઈ ન કરી શકે, માટે તું શેકને તજી દે.” બ્રાહ્મણ બેલ્યો કે “સ્વામી ! સર્વ વસ્તુને વિરહ સહન થઈ શકે છે, પણ કુળને ઉદ્યોત કરનાર પુત્રને વિરહ કે સહન કરી શકતું નથી.” ચકીએ કહ્યું કે “અનન્તા ભવમાં અનંતા પુત્રો થયા છે. પોતે પણ અનંતીવાર અનંત કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેમાં કેનું કુળ દીપાવ્યું અને તેનું નહીં? માટે હે બ્રાહ્મણ ! ફેગટ શામાટે શોક કરે છે? અશરણ્યમ વિશ્વમ રાજકમનાયકમ્ | યદેતદપ્રતીકારં, ગ્રસ્મતે યમરક્ષા . ૧. અહો! આ વિશ્વ શરણ વિનાનું, રાજા વિનાનું અને નાયક વિનાનું છે. કેમકે જેને કાંઈ ઉપાય નથી, એવી રીતે આ વિશ્વને યમરૂપી રાક્ષસ ગળી જાય છે.” પિ ધર્મપ્રતીકારે, ન સેડપિ મરણું પ્રતિ શુભાં ગતિ દદાસ્તુ, પ્રતિકર્તીતિ કીત્યંતે ૨ છે જે ધર્મ ઉપાય છે તે પણ મરણનો ઉપાય નથી, પરંતુ તે શુભ ગતિને આપનાર છે માટે તેની પ્રશંસા થાય છે.” તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે “હે સ્વામી ! બીજાને દુઃખી જઈને ઘણા લેક વૈરાગ્યનું વર્ણન કરે છે, પણ જ્યારે તેવું દુઃખ પિતાને જ પ્રાપ્ત થાય ત્યારે જેનું ચિત્ત સ્થિરતા ન મૂકે તેજ પ્રશસ્ય કહેવાય.” ચકીએ કહ્યું કે “જેઓ પોતાનું વચન પાળે નહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy