SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ રાનાચિંતામણિ ભાગ છે ] --- --- - --- -- - -- કરાવીએ.” તેની આજ્ઞા થતાં અનેક સેવકોએ ચારે દિશામાં જોઈ જોઈને પાછા આવી કહ્યું કે “હે કુમાર ! આ પર્વત બીજે ક્યાંઈ પણ નથી.” ત્યારે જહુકુમાર બે કે “ઠીક છે ત્યારે આપણે આ પર્વતની જ રક્ષા કરીએ આગળ ઉપર પડતા કાળના દેષથી લોકે લોભિયા થશે. તેથી તેઓ અહીં આવીને ઉપદ્રવ કરશે, માટે આની રક્ષા કરવી તે પણ મહા ફલદાયી છે.” એમ કહીને જહુકુમારે દંડરત્નવડે તે પર્વતની ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ક્ષણવારમાં ખાદી. તે દંડર–વડે પૃથ્વી ખોદતી વખતે નાગકુમારના કીડાગ્રહ માટીના વાસણની માફક ભાંગી ગયા. તે જોઈને ઉપદ્રવથી ભય પામેલા નાગદેએ પિતાના ઈંદ્ર જવલનપ્રભ પાસે જઈને તે વાત કહી સંભળાવી. તે સાંભળીને કે પાયમાન થયેલા જવલન પ્રત્યે સગરચક્રીના પુત્રો પાસે આવીને કહ્યું કે “ હે મૂર્તો ! આ પૃથ્વીને શા માટે ખેદી નાંખી? નાગકુમાર દે ક્રોધ પામશે તે તમને બધાને હણી નાંખશે.” તે સાંભળીને જન્દુકુમાર બોલ્યો કે “તીર્થની રક્ષા કરવા માટે અમે આ કામ કર્યું છે, માટે હે જવલનપ્રભ ! અજ્ઞાનથી થયેલા આ અપરાધને આપ ક્ષમા કરે.” તે સાંભળીને “હવે આવું કામ કરશે નહીં.” એમ કહીને જવલનપ્રભ સ્વસ્થાને ગયો. ઇંદ્રના ગયા પછી જહુકુમારે પિતાના ભાઈઓ સાથે વિચાર કર્યો કે “આ ખાઈ પાણી વિના કાળે કરીને ધૂળથી પૂરાઈ જશે માટે તેને ગંગાનદીના જળથી ભરી દઈએ તે ઠીક.” તે વાત બધાએ કબૂલ કરી, એટલે જન્દુકુમારે દંડરત્ન વડે ખેંચીને ગંગાનદીને પ્રવાહ લાવી તે ખાઈમાં નાંખ્યો. તેથી તેના જળવડે સર્પના ઘરોમાં ફરીથી વિશેષ ઉપદ્રવ થયો. ફરીથી સર્વ દેને ક્ષાભ પામેલા જોઈને ક્રોધાયમાન થયેલા જવલન પ્રત્યે તેમના વધને માટે મોટા દષ્ટિવિષ સને મોકલ્યા. તેઓએ બહાર આવીને સગરના પુત્રો સામું વિષની વૃષ્ટિ કરનારી દષ્ટિવડે જોયું કે તરત જ તે સગરચક્રીના સર્વે પુત્રો ભરમીભૂત થઈ ગયા. તે જોઈને શોક કરતા સિન્યને આશ્વાસન આપીને મંત્રી બોલ્યા કે “હવે શેક કરવાથી સ! કારણકે કઈ પણ ભાવિભાવને ઉલ્લંઘન કરી શકતું નથી.” પછી તે સર્વે સામન્તાદિક સૈન્ય સહિત અધ્યા તરફ આવતાં તેમણે વિચાર્યું કે - “સ્વામીના સર્વે પુત્રો ભસ્મ થયા અને આપણે અખંડ શરીરવાળા આવ્યા તે ઘણું જ શરમભરેલું છે, તેથી ચક્રીની પાસે આપણાથી આ વાત શી રીતે કહેવાશે?” એમ વિચારીને તેઓ નિરંતર શોકાતુર રહેતા હતા. તે વાત જાણીને કેઈ એક બ્રાહ્મણે તેમને તે હકીક્ત પૂછી, એટલે તેઓએ સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને પેલા બ્રાહ્મણે તેમને કહ્યું કે “તમારે કોઈ ફિકર કરવી નહીં, હું રાજાને એ વાત નિવેદન કરીશ.” પછી તે બ્રાહ્મણ કેઈ અનાથ મડદું ઉપાડીને રાજમંદિર પાસે લઈ ગયો. ત્યાં તે શબને મૂકીને માટે સ્વરે વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને ચક્રીએ તેને રવાનું કારણ પૂછયું, ત્યારે તે બ્રાહ્મણ છે કે “મારે આ એકજ પુત્ર છે. તેને માટે સર્ષ કર્યો છે. તેથી તે ૧ આ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ સૌધર્મેદ્ર હતા એમ બીજે સ્થળે કહેલું છે. -૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy