SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિપરિકૃતરોકે છે. તથા આત્મપ્રશંસા એટલે પિતાના મુખે પિતાના વખાણ (આપ બડાઈ) કરતા નથી. કારણ કે પિતાના મુખે પિતાના ગુણને વખાણનાર જીવ હલકા ગણાય છે. તેમજ તેઓ બીજા જીવમાં રહેલા ગુણોને ગ્રહણ કરે છે. એટલે પારકા માં રહેલા દુર્ગણે તરફ ન જોતાં તેનામાં રહેલા સદગુણેને ગ્રહણ કરે છે. અને તેઓ ક્ષમા વગેરે ગુણોને ધારણ કરે છે–એટલે બીજા છ ઉપર ક્રોધ વગેરે કરતા નથી. અભિમાન રાખતા નથી. અને કપટ ભાવને ત્યાગ કરે છે. તથા સંતેષ, તપ, સંયમ, સત્ય, શૌચ, શીલાદિ ગુણે ધારણ કરે છે. આવી રીતે રહીને તેઓ પોતાના જીવનને સુખ શાંતિમય બનાવે છે. ૮૩. લેખનાદિ પ્રકારથી જિન વચનને વિસ્તારતા, સર્વ જીવ ખમાવતા ત પાપને આલેચતા આરાધના છેલ્લી કરંતા ચાર શરણને ગ્રહી, ઉત્તમ સમાધિ વિષે સ્મરી નવકાર શુભભાવે રહી. ૮૪ બાંધેલ પરભવ આયુ ઉદયે કે સદગતિ પામતા, - આસન્નસિદ્ધિક કઈ ચાલુ ભવે જ શિવપદ પામતા; આવા જ હસતા મરે કરી યાદ સદ્દગુણ તેમના, બીજા જનો રડતા મરણ એવું જ ઉત્તમ ભવિજના ! ૮૫ સ્પષ્ટાઈ–વળી આ પુણ્યવંતા ભવ્ય છ લેખનાદિ પ્રકારથી એટલે પુસ્તક લખવાં, પુસ્તક લખાવવાં વગેરે પ્રકારથી જિનેશ્વરે કહેલાં વચનેને વિસ્તારે છે એટલે પ્રભુ શ્રી જિનેશ્વર દેવેનાં વચનેને ફેલાવે કરે છે. અને સર્વ જીવેને ખમાવે છે એટલે કોઈ પણ જીવ પ્રત્યે પિતાથી જાણતા કે અજાણતાં કઈ પણ અપરાધ થયો હોય તેની શુભ મન, વચન અને કાયાવડે ક્ષમા માગે છે અને બીજા જીએ કરેલા, પોતાના અપરાધેની ક્ષમા કરે છે. વળી પોતે જે જે પાપકાર્યો કર્યા હોય તેની આલોચના લે છે એટલે ગુરૂની પાસે પોતાનાં કરેલાં પાપ કઈ પણ જાતના સંકેચ વગર પ્રગટ કરે છે. આ પ્રમાણે પિતાનાં પાપ પ્રગટ કરીને પ્રાયશ્ચિત્તાદિ કરવાથી આત્મામાંથી પાપરૂપી શલ્ય દૂર થાય છે અને તેથી આત્મા હળ થાય છે. તથા મરણ વખતે કરવા યોગ્ય છેલ્લી આરાધના સંખના કરે છે અને ચાર શરણ એટલે અરિહંતનું શરણ, સિદ્ધનું શરણું, સાધુઓનું શરણ અને કેવલી ભગવતે કહેલા ધર્મનું શરણું ગ્રહણ કરે છે. તેમજ ઉત્તમ સમાધિ એટલે મનની સ્થિરતાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરીને શુભ ભાવમાં રહે છે. પરંતુ મરતી વખતે મારી પાછળ મારી બરી કે હૈયાં છોકરાં, ધન, દેલત વગેરેનું શું થશે. એવી ખેાટી ચિંતા કરતા નથી. કારણ કે તેઓ સમજે છે કે આ બધી વસ્તુઓ જન્મતાં કેઈ સાથે લાવતું નથી અને મરણ વખતે કઈ સાથે લઈ જઈ શકતું નથી માટે તેની ફેગટ ચિંતા કરવી નકામી છે. પરંતુ તેઓ મરણ વખતે વિચારે છે કે હું એકલો આવ્યો છું, ને એકલો જવાન છું. આ ધન દોલત, કુટુંબ કબીલા વગેરે પદાર્થો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy