SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ છે ) ગણકારતા નથી. અને તેઓ આ પ્રમાણે બેલે છે કે-તેને તે ટક ટક ક્યની ટેવ પડી છે. સાઠ વર્ષ થવાથી તેની બુદ્ધિ નાશી ગઈ છે. એને એક ખુણામાં એક પડ રહેવા દે એવાં એવાં વચન સંભળાવીને ઉલટો તેને વધારે હેરાન કરે છે. અને જેને પુત્રાદિક પરિવાર હોતું નથી તે એક્લો હોવાથી તેનાથી પિતાની જરૂરીઆતનું બધું કામ બની શકતું નથી તેથી દુઃખી થાય છે. અધુરામાં પૂરું તે જે તે વૃદ્ધ ( ઘરડા પુરૂષ વગેરે ) માંદે પડે છે તે તેની મુંઝવણને પણ પાર રહેતો નથી. એટલે મારું હવે શું થશે? મારી સારવાર કોણ કરશે? અને મને ખાવાનું કેણ કરી આપશે? એમ અનેક રીતે તે મુંઝાય છે. માટે જ કહ્યું છે કે ઘડપણ બહુ દુઃખદાયી છે. કારણ કે ઘડપણમાં અનેક પ્રકારનાં આકરાં કષ્ટો સહન કરવો પડે છે. તેથી તે વૃદ્ધ ઘડપણને લીધે ઘણે અકળાઈ જાય છે અને તેથી હવે તે મરણ જલદી આવે તે સારૂં. મરણ આવે તે મારે આ દુખમાંથી છુટકારો થઈ જાય એમ બોલ્યા કરે છે. અને હવે તે મારાથી આ દુઃખ સહન થઈ શકતું નથી. એમ વારંવાર અફસોસ કર્યા કરે છે. અને તે જીવ અનેક પ્રકારના કૃધ્યાન વડે નવાં ચીકણાં કર્મોને બાંધે છે. ૭૫ આવી જરા નહિ દેવગતિમાં દેવને નિર્જર કહ્યા, તે અપેક્ષા વચન પણ ન જરા રહિત દેવે ભણ્યા જરા લક્ષણ અંતકાલાદિક વિષે સવિ દેવને.. ઓવન ચિહ્ન વિચારથી સાચા ગણું જિનવચનને. ૭૬ સ્પષ્ટાર્થ –વાળ ધોળા થઈ જાય, ચામડી લબડી પડે, શરીરમાં શક્તિ રહે નહિ, દાંત પડી જાય, મોમાંથી નાનાં બાળકની પેઠે લાળ નીકળ્યા કરે આવી વૃદ્ધાવસ્થા દેવગતિમાં હોતી નથી. એટલે દે આવી વૃદ્ધ અવસ્થા પામતા નથી માટે તેમને નિર્જર કહ્યાં છે. નિર્જર એટલે મનુષ્યના જેવી જરી-(વૃદ્ધાવસ્થા) વિનાના જે હોય, તે નિર્જર કહેવાય. પરંતુ આ રીતે દેવ વૃદ્ધ થતા નથી એ વચન પણ ઉપર જણાવેલી અપેક્ષાવાળું જાણવું. કારણ કે પૂર્વે કહેલી વૃદ્ધમનુષ્યના જેવી જોગવવી પડતી વૃદ્ધાવસ્થા દેને હોતી નથી તે પણ ખરી રીતે દેવે જરારહિત એટલે ઘડપણ વિનાના કહ્યા નથી અથવા દેવામાં પણ જરા કહેલી છે. કારણ કે સર્વ દેવતામાં પણ અંત કાલ વખતે જરાના લક્ષણો જણાય છે એમ તે દેવોને ચ્યવન કાલના જે લક્ષણે કહ્યા છે તે ઉપરથી સિદ્ધ થાય છે. તે લક્ષણે આ પ્રમાણે જાણવા જ્યારે દેવને ચ્યવન કાલ નજીક આવે છે ત્યારે હંમેશાં પ્રફુલ્લિત રહેતી તેમની ફૂલની માળા કરમાવા માંડે છે, તેમના દેહની કાંતિ ઓછી થતી જાય છે. તે દેવોમાં ચિંતાને વધારો થાય છે વગેરે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાય છે. આ રીતે દેવને પણ જરા હોય છે, આવા-જિનેશ્વર દેવનાં વચને સાચાં જ છે. એમ ચક્કસ માનવું જોઈએ. ૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy