SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધરિત મરણ કેને કહેવાય છે તે જણાવે છે– અંત કાલે યમ ઉપાડી જાય ઈમ પરદર્શને. પાપથીજ બચાવવા કહ્યું એમ ના જિનદર્શને જીવનદારી ત્રુટતા કે અંત તેને આવતા, હોય પરભવગમન પ્રાણવિયોગ મરણ જણાવતા. ૭૭ સ્પાર્થ–પરદર્શનમાં મરણ વિષે એમ કહ્યું છે કે જ્યારે મરણ કાળ નજીક આવે છે ત્યારે યમરાજ અથવા યમના દૂતો આવીને તે જીવને ઉપાડી જાય છે અને યમરાજના દરબારમાં તેને ખડો કરે છે. ત્યાં તેને પુણ્ય-પાપનાં શા શા કામો કર્યા છે વગેરે પૂછ વામાં આવે છે. યમરાજના ચોપડામાં તેના પુણ્ય-પાપની નેંધ થાય છે. પછી તેણે કરેલાં પુણ્યપાપને અનુસાર તેને સુખ દુઃખ આપવામાં આવે છે. પરંતુ જનદષ્ટિથી–આ બધું વિચાર કરતાં વ્યાજબી જણાતું નથી. પૂર્વે જણાવેલ–અન્યમતના વચને તે જીવને પાપ કરતાં બચાવવાને માટે એટલે તેને પાપને ભય બતાવવા માટે કહ્યાં છે. આવી માન્યતા જિનદર્શનમાં એટલે જિનેશ્વર ભગવતે કહેલા જિનશાસનને અનુસરે છેજ નહિ. પરંતુ મરણ કેને કહેવાય અને મરણ ક્યારે આવે તેને માટે જિનેશ્વર દેવે જણાવ્યું છે કે જીવનદારી ત્રટતાં એટલે બાંધેલા આયુષ્યમાં ઉપક્રમ લાગવાથી આયુષ્યની દોરી તૂટી જાય અથવા આયુષ્યની અપવર્તન થવાથી તે આયુષ્ય જલદી ભોગવાઈ જાય, કે સામાન્ય રીતે બાંધેલું આયુષ્ય સ્વાભાવિક રીતે જોગવાઈને પૂરું થઈ જાય એમ બેમાંથી ગમે તે એક પ્રકારે જ્યારે આયુષ્ય કમ ભેગવાઈ જાય ત્યારે તે જીવ પરભવમાં જાય છે એટલે તે જીવ પૂર્વે બાંધ્યા પ્રમાણે શુભાશુભ ગતિમાં ચાલ્યો જાય છે. એટલે તે વખતે બાંધેલા નવા આયુષ્યને અબાધાકાલ પૂરે થવાથી તે નવા બાંધેલા આયુષ્યનો ઉદય થાય છે અને એક આયુષ્ય પૂરું થવાથી તરત બીજા આયુષ્યને જે ઉદય થાય, તેજ મરણ કહેવાય છે. પરંતુ આ વખતે યમના દૂતોનું આવવું વગેરે બનાવોમાંને કઈ પણ બનાવ બનતો જ નથી. હવે સંસારિ જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે પ્રથમના આયુષ્યની સાથે સંબંધવાળા (સંગ્નિ પંચેન્દ્રિયની અપેક્ષાએ) જે નવ પ્રાણ હતા તેનો વિયોગ થાય છે. અને આ પ્રાણોને જે વિયોગ થ તેને જ જિનેશ્વર દેવેએ મરણ કહેલું છે. ૭૭ કેઈને પણ મરવું ગમતું નથી તે જણાવે છે – મરવું ગમે ના કોઈને માંકડ તણાં દૃષ્ટાંતથી, જીવન વહાલું સર્વને સુરદને લઈ કટથી; કયારે અને કયાં મરણ શાથી એહ સૌ જાણે નહી, મરણભયથી મિષ્ટ ભેજન ખાય પણ ભાવે નહી. ૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy