SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ દેશનાચિંતામણિ ભાગ ચ ] આ કન્યા તારી પુત્રી છે. હવે તારી માતાનું વૃત્તાંત સાંભળ–સૂરકાંત રાજાએ તારી માતાને અંતઃપુરમાં રાખી હતી. તેને છોડાવવા માટે તારે પિતા સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને ગુપ્ત રીતે સમાર નામના પલ્લી પતિ પાસે જઈ તેની સેવા કરવા લાગ્યો. તેનાં કહેવાથી પલ્લીપતિએ મોટા સૈન્ય સાથે આવીને તે ગામ ભાંગ્યું. સૂરકાંત રાજા ત્યાંથી નાસી ગયો. પછી તારા પિતાને આગળ કરીને તે પલ્લી પતિ પુરમાં પ્રવેશ કરતો હતો, તેવામાં તારા પિતાના કપાળમાં એક બાણુ લાગવાથી તરત જ મૃત્યુ પામ્યા. અન્યથા ચિંતિત કાર્ય, દૈવન તમન્યથા વર્ષતિ જલદા: શૈલે, જલમન્યત્ર ગચ્છતિ છે ? અન્યથા ચિંતિતં કાર્ય, દેવેન તમન્યથા પ્રિયકૃત હિ પ્રારંભ, સ્વાત્મઘાતાય સોભવતુ ! ૨ છે અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દેવગે અન્યથા (વિપરીત) થયું. કેમકે વરસાદ તે પર્વત પર વરસે છે, પણ પાણી અન્ય સ્થાને જતું રહે છે, તેવી જ રીતે જે કાર્ય જુદી રીતે ચિંતવ્યું હતું તે કાર્ય દૈવયોગે વિપરીત થયું; કેમકે પ્રિયાને છોડાવવા માટે કરેલ પ્રારંભ પોતાના જ ઘાત માટે થયે.” પછી તારી માતા કેઈ બિલના હાથમાં પકડાઈ. ત્યાંથી પણ નાસીને વનમાં ભટકતાં તેણે કઈ વૃક્ષના ફળનું ભક્ષણ કર્યું. તે ફળના પ્રભાવથી તેનું શરીર કાંઈક નીચું અને ગૌર વર્ણવાળું થયું. કારણ કે “મણિ, મંત્ર તથા ઔષધિને મહિમા અચિંત્ય છે.” ત્યાંથી કઈ દેશ તરફ વ્યાપાર કરવા માટે જતા કેઈ વણિક લોકેએ તેને જોઈને “આ કે વનદેવતા છે ” એમ બ્રાંતિ પામીને “તું કેણ છે?” એમ પૂછયું, ત્યારે તે બેલી કે “હું કઈ દેવી નથી, પણ મનુષ્ય સ્ત્રી જાતિ છું.” તેથી તે વણિક લોકેએ તેને લઈને સુવર્ણપુરમાં વેચી. તે રૂપવાળી હોવાથી વિશ્વમવતી નામની વેશ્યાએ એક લક્ષ દ્રવ્ય આપીને તેને વેચાતી લીધી. પછી તેને નૃત્ય વિગેરે શીખવી તેનું સુવર્ણરેખા એવું નામ રાખ્યું. તે કમે કરી રાજાની ચામર વીંઝનારી થઈ. તે આ સુવર્ણરેખા તારી માતા છે. તેણે તને ઓળખ્યો છે, પણ લજજાથી તથા લોભથી તેણે પિતાપણું પ્રગટ કર્યું નથી.” તે સાંભળીને શ્રીદત્ત પૂછયું કે “હે સ્વામી! આપનું વચન સત્ય છે, પરંતુ વાનરને આ વાતની ક્યાંથી ખબર?” મુનિએ કહ્યું કે “તારો પિતા તારી માતાના ધ્યાનથી જ મરીને વ્યંતર થયો છે. તેણે અહીં ભમતાં તને તથા સમશ્રીને જોઈને અકાર્ય કરવા પ્રવૃત્ત થયેલા એવા તને વાનરના શરીરમાં પ્રવેશ કરીને તે કાર્યને નિષેધ કર્યો છે.” તે સાંભળીને શ્રીદત્તે વિચાર્યું કે “અહો! કર્મની કેવી વિષમ ગતિ છે!” ફરીથી મુનિ બેલ્યા કે “તે વ્યંતર ફરીથી પાછો આવીને પૂર્વના મોહને લીધે પિતાની પ્રિયાને લઈ જશે.” તેવામાં તેજ વાનર આવીને સમશ્રીને ઉપાડી બીજા વનમાં ચાલ્યો ગયો. તે જોઈ શ્રી દત્ત માથું ધૂણાવત મુનિને નમી કન્યા સહિત સ્વસ્થાને ગયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy