SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધરૂરિકૃતતે માણસ બોલ્યા કે “આ સુવર્ણરેખા નામની વેશ્યા છે. આ વેશ્યાની સામે એકવાર વાત પણ તે કરી શકે છે કે જે તેને એક સાથે પચાસ હજાર દ્રવ્ય આપે છે.” તે સાંભળીને તેના પર આશક્ત થયેલા શ્રીદત્ત પચાસ હજાર દ્રવ્ય મોકલીને તે સુવર્ણરેખાને પિતાને ત્યાં બોલાવી. પછી પેલી કન્યાને તથા વેશ્યાને–બંનેને એક રથમાં બેસાડીને તે શ્રીદત્ત ક્રીડા કરવા માટે વનમાં ગયા. ત્યાં એક વાનર ઘણી વાનરીઓ સાથે કીડા કરતો હતો તે વનમાં આવ્યું. તેને જોઈને શ્રી દત્ત બેલ્યો કે ધિજન્મ પશુજન્તનાં, યત્ર નાસ્તિ વિકતા કૃત્યાકૃત્યવિભાગન, વિના જન્મ નિરર્થકમ્ ૧ | અર્થ –“પશુઓના જન્મને ધિક્કાર છે કે જેનામાં બિલકુલ વિવેક રહેલ નથી. કાર્ય અને અકાર્યના વિવેચન વિના તેમને જન્મ નિરર્થક છે.” અહો ! માતા, બહેન વિગેરેના વિવેકરહિત એવો આ પશુઓને જન્મ શા કામનો ?” તે સાંભળીને ક્રોધાયમાન થયેલ તે વાનર દાંત પીસીને બે કે “રે દુરાચારી! તું દૂર સળગતા પર્વતને જુએ છે, પણ પગની નીચે રહેલા અગ્નિને જોતો નથી? સુઈ અને સરસવ જેવડાં પરનાં છિદ્રોને જુએ છે પણ પિતાના મોટાં બીલાં જેવડાં દોષોને જેતે નથી? અરે અધમમાં પણ અધમ ! મિત્રને સમુદ્રમાં નાંખીને ભેગને માટે પિતાની જ માતાને તથા પુત્રીને પડખામાં રાખી બેઠો છે અને મારી નિંદા કરે છે ?” એ પ્રમાણે તે વાનર તેની નિર્ભર્સના (તિરસ્કાર) કરીને કુદકા મારતે પોતાના યૂથમાં દાખલ થઈ ગયો. શ્રીદત્ત વિચાર કરવા લાગ્યો કે “ આ વેશ્યા મારી માતા શી રીતે ? અને આ કન્યા મારી પુત્રી શી રીતે ? તે તો સમુદ્રમાંથી મળી છે, અને મારી માતા તે કાંઈક શ્યામ વર્ણવાળી અને શરીરે ઉંચી હતી, અને આ વેશ્યા તે ગૌર વર્ણવાળી અને શરીરે નીચી છે.” એમ વિચારીને તેણે વેશ્યાને પૂછયું, ત્યારે તે બોલી કે “અરે શેઠ! હું તો તમને ઓળખતી નથી. પશુના વચનથી તમે કેમ ભ્રાંતિમાં પડે છે ?તે પણ શ્રીદત્તની શંકા મટી નહીં, તેથી તે વાનરને શોધવા માટે આમ તેમ કરવા લાગ્યો, તેવામાં ત્યાં તેણે એક મુનિને જોયા. તેમને વંદના કરીને શ્રી દત્તે પિતાને સંદેહ પૂછે, એટલે મુનિ બોલ્યા કે “હું અવધિજ્ઞાનથી જાણું છું તેથી કહું છું કે વાનરે જે કહ્યું છે તે સત્ય છે. પ્રથમ તારી પુત્રીની વાત કહું છું–તું તારી પુત્રીને દશ દિવસની મૂકીને વહાણુમાં બેસી પરદેશ ગયે હતો. ત્યારપછી તારા ગામમાં શત્રુના સૈન્યને ઉપદ્રવ થયો. તે વખતે તારી સ્ત્રી પુત્રીને લઈને ભાગી, તે ગંગાને કિનારે આવેલા સિંહપુરમાં પિતાના ભાઈને ઘેર ગઈ. ત્યાં તે ૧૧ વર્ષ સુધી રહી. એકદા તે કન્યાને સર્ષ ડો. તેની માતાએ તથા મામાએ તેના અનેક ઉપાયે કર્યા, પણ વિષ ઉતયું નહીં, તેથી તેને મરેલી ધારીને માતાએ નેહને લીધે એક પેટીમાં નાંખીને ગંગાનદીમાં વહેતી મૂકી. તે પેટી તને મળી; તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy