SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપદારિકૃત વળી કાંઈ પ્રશ્ન કરે છે કે “અપવર્તન કરવાથી ચેડા કાળમાં અથવા અપર્વતના ન કરે તો જેટલી સ્થિતિવાળું હોય તેટલા ચિરકાળે પણ જે કર્મ બાંધ્યું હોય તે સર્વ જે આપના કહેવા પ્રમાણે અવશ્ય જોગવવું જ પડતું હોય તે પ્રસન્નચંદ્ર વિગેરેએ સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું, તેને તેવા પ્રકારના દુઃખવિપાકને ભેગ તે સાંભળવામાં આવતું નથી. તે તે શુભ ભાવથી થોડા કાળમાંજ કેવળજ્ઞાન પામ્યા છે, તે “સર્વ કર્મ ભોગવવું જ પડે છે” એમ જે આપે કહ્યું તે કઈ રીતે ઘટાવવું?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે “જે કર્મ બાંધેલું છે તે કર્મને પ્રદેશથી તે સર્વે જીવે અવશ્ય ભગવે છે જ; પણ રસથી તે કઈક કર્મ સેગવાય છે, અને કેઈક કર્મ નથી પણ ભેગવાતું. તેનું કારણ એ છે કે શુભ પરિણામના વશથી તે કર્મના રસની અપવર્તના (ક્ષય) થાય છે, તેથી પ્રસન્નચંદ્રાદિકે સાતમી નરક યોગ્ય કર્મોના પ્રદેશ નીરસ (રસ વિનાના) ભેગવ્યા છે, પણ વિપાક ઉદયથી ભેગવ્યા નથી.” વળી કઈ પૂછે છે કે “ જ્યારે પ્રસન્નચંદ્રાદિકે જે કમ રસવાળું બાંધ્યું હતું તે કર્મને નીરસપણે ભેગવ્યું, ત્યારે તે પૂર્વનીજ જેમ કૃતનાશ અને અકૃતાગમ નામના બને દે પ્રાપ્ત થયા.” તેને ખુલાસે આ રીતે સમજ–“ તથાપ્રકારના ઉત્તમ પરિણામથી જે કર્મને રસ ક્ષય પામે છે તેમાં શું અનિષ્ટ થયું ? જેમ સૂર્યને ઉગ્ર તાપથી શેલડીના સાંઠામાં રહેલે રસ સૂકાઈ જાય, તે તેમાં કૃતને નાશ ને અકૃતને આગમ શું થશે ? વળી જે કદાચ જે કર્મ જેવી રીતે બાંધ્યું, તે કર્મ તેવીજ રીતે અવશ્ય જોગવવું પડતું હોય, તે પાપને ક્ષય નહીં થતું હોવાથી સર્વ તપન વિધિ વગેરે ધર્મ ક્રિયાઓ વ્યર્થ થશે, તેમજ તેજ ભવમાં સિદ્ધિ પામનાર જીને પણ કર્મ અવશેષ રહેશે, એટલે કેઈની પણ મુક્તિ થશે નહીં, માટે કેડાછેડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ પણ પ્રદેશ કરીને નીરસપણે ભેગવાય છે એમ જરૂર માનવું જ જોઈએ. વળી અસંખ્ય ભવમાં બાંધેલું ભિન્ન ભિન્ન ગતિને આપનારું કર્મ તે ભવે પણ સત્તામાં હોય છે, તેથી જે સર્વ કર્મને વિપાકવડેજ અનુભવ લેવો પડતો હોય તો તે એક ભવમાં ભિન્ન ભિન્ન ભવના અનુભવને સંભવ થ જોઈએ, પરંતુ તેમ થતું નથી. વળી ઔષધથી સાધ્ય રોગો જેમ નાશ થાય છે તેમ જે કર્મ બાંધતી વખતે તેવા પ્રકારના મંદ પરિણામવડે બાંધ્યું હોય તે કર્મ ઉપક્રમથી સાધ્ય થાય છે; અને અસાધ્ય રોગ જેમ ઔષધથી જતો નથી તેમ તેવા પ્રકારના તીવ્ર અધ્યવસાય (પરિણામ) થી જે કર્મ બાંધ્યું હોય તે યોગ્ય કાળે વિપાકવડે ભેગવવાથી જ નાશ પામે છે, કેમકે કર્મબંધના અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે, અને તે અધ્યવસાય સ્થાનકે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તે સ્થાનકેમાંના કેટલાંએક સ્થાનકે સોપક્રમ કર્મને બંધાવનારા છે, અને કેટલાંક સ્થાનકે નિરુપાક્રમ કર્મના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy