SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] બંધને કરાવનાર છે, તેથી જેવા અધ્યવસાયથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભેગવવું પડે છે. આ પ્રમાણે હોવાથી પહેલાં જણાવેલા દેષને અહીં જરા પણ અવકાશ નથી. વળી જેમ ઘણા શિષ્યો એકજ શાસ્ત્ર સાથે જ ભણતા હોય તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે; તથા જેમ અમુક પેજન લાંબા માર્ગમાં ઘણા માણસો એક સાથે ચાલ્યા હોય છતાં તેમની ગતિની તરતમતાથી જવાને સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે, (કેઈ વહેલા પહોંચે છે, કોઈ વિલંબે પહોંચે છે, તેવી જ રીતે એક સરખી સ્થિતિ વાળું કર્મ ઘણું છએ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. એટલે જેમ ભીનું લગડું ભેગું કરીને મૂકયું હોય તે તે લાંબી મુદતે સૂકાય છે, અને તેજ લૂગડું લાંબું કર્યું હોય તે જલદી સૂકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમેથી જલદી ક્ષય પામે છે.” આ તમામ બીના ઉપરથી સમજવાનું એ છે કે જે ભવમાં પ્રથમ કહેલા આયુષ્યને ઘટાડનારા સાત ઉપક્રમે નિરંતર રહેલા છે, તેથી તે આયુષ્યને વિશ્વાસ નથી કે તે ક્યારે પૂરું થશે? માટે કામગાદિકને ત્યાગ કરીને એક ધર્મ જ સારભૂત છે એમ સમજી તેના શરણને ગ્રહણ કરવું જોઈએ તથા– સ્મિન્નાયુષિ સુસ્નેહ, પ્રત્યોં ધાર્યતે નરા પ્રતિક્ષણે ક્ષયં તસ્ય, મત્વા મા મંચ સન્મતિમ્ ૧ અર્થ_“મનુષ્ય જે આયુષ્યના ઉપર નિરંતર નેહ રાખે છે તે આયુષ્ય પ્રતિક્ષણે ક્ષય પામે છે એમ જાણને હે ભવ્ય પ્રાણી ! તું સારી મતિને છેડીશ નહીં. તેમજ ક્ષણયામદિવસમાચ્છલેન, ગચ્છન્તિ જીવિતદલાનિ ઇતિ જાનન્નપિ કથમિહ, ગચ્છસિ નિદ્રાવશું રાત્રી ૧ અર્થ–હે જીવ! “ક્ષણ, પ્રહર, દિવસ અને માસના બહાને આયુષ્યનાં દળિયાં (ભાગ) ચાલ્યાં જ જાય છે, એમ જાણતા છતાં પણ રાત્રિએ નિદ્રાને વશ કેમ થાય છે?” (ઊંઘે છે) બ્રહ્માદત્ત ચકીને આયુષ્યની ચંચળતાને પ્રતિબંધ કરવા માટે મુનિએ કહ્યું હતું કે– ઈહિ જીવિએ રાય અસાસયંમિ, ઘથિ તુ પુણાઈ અકુવમાણે સે સાઅઈ મમ્મુમુહાવણુએ, ધમ્મ અકાઊણ પરમિ લાગે છે અર્થ–“હે રાજન ! આ આયુષ્ય અશાશ્વત છે. તેમાં એક ઘડી પણ જેણે પુયાદિક કાર્ય કર્યું નથી તે મૃત્યુના મુખને પામીને ધર્મ નહીં કરવાથી પરલોકમાં જઈ શેક કરે છે.” આ પ્રમાણે શાસ્ત્રનાં વચનથી આયુષ્ય ક્ષણભંગુર છે એમ જાણીને ભવ્ય જીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy