SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ દશનાચિંતામણિ ભાગ ચેથા ] સોપક્રમ આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે, નવમે ભાગે કે સત્તાવીશમે ભાગે અથવા છેવટે મરણ વખતે છેલ્લા અંતમુહૂર્ત જરૂર આવતા ભવનું આયુષ્ય બાંધે છે. (અહીં કેઈ આચાર્યો સત્તાવીશમા ભાગથી ઉપર પણ આવતા ભવના આયુષ્યના બંધની કલ્પના કરે છે, તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતમુહૂર્ત સુધી કરે છે). નિરુપક્રમ આયુષ્યવાળા જેને માટે આયુષ્યના બંધને કાળ એ છે કે દેવતાઓ, નારકીઓ તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (જુગલિકે) પિતાનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા નિરુપક્રમ આયુષ્યવાળા (ચરમશરીરી શિવાયના ચક્રવતી, બળદેવાદિક શલાકા પુરુષો) પિતાના આયુષ્યને ત્રીજે ભાગે અવશ્ય આગામી ભવનું આયુષ્ય બાંધે છે. અહીં સોપક્રમ આયુષ્યની બાબતમાં કદાચ કેઈ આ પ્રશ્ન કરે કે “જે કંઈ પણ કર્મ તેનો કાળ પ્રાપ્ત થયા વિના ભગવાય, તે કૃતનાશ અને અકૃતાગમ એ બને દૂષણે પ્રાપ્ત થશે; કેમકે પૂર્વે ઘણી સ્થિતિવાળું કર્મ (આયુષ્ય કર્મ) બાંધ્યું હતું તે તેટલી મુદત સુધી ભેગવાયું નહી માટે કૃતનાશ નામનો દોષ આવ્ય; તથા આત્માએ અલ્પસ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું નહોતું તે ભગવ્યું, માટે અકૃતાગમ નામનો દોષ પ્રાપ્ત થયો.” આ પ્રશ્નનો જવાબ આ રીતે છે કે “ મેટી સ્થિતિવાળા કર્મનો કાંઈ ઉપક્રમે કરીને નાશ થતો નથી, પરંતુ અધ્યવસાય વિશેષથી તે કર્મ ઉતાવળે થોડી મુદતમાં જોગવી લેવાય છે. અહીં યુક્તિથી એમ સમજવાનું છે કે સેપક્રમ આયુષ્યવાળા જ જેમ ઘણા કાળ સુધી ભેગવવા લાયક આયુષ્યકમને એકઠું કરીને છેડા કાળમાં ભોગવી લે છે તેમ બધા કર્મોને ઉપક્રમ લાગે છે, કેમકે ઘણું કરીને સારા માઠાં અનિકાચિત એવાં સર્વ કર્મોની શુભાશુભ પરિણામાદિના વશથી ( સ્થિતિ અને રસનો ઘટાડો ) થાય છે, તથા નિકાચિત કર્મોની પણ તીવ્ર તપ પ્રભાવે પ્રકટ થતા શુભ પરિણામના વશથી અપવર્તન થાય છે. એટલે ઘણું કરીને અનિકાચિત સર્વ કર્મપ્રકૃતિનો એજ પ્રમાણે પરિણામના વશથી ઉપક્રમ થાય છે, અને નિકાચિત પ્રકૃતિનો પણ ઉગ્ર તપથી ઉપક્રમ થાય છે.” જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ઘણું ધાન્ય પણ કઈ માણસ ભસ્મક વાતના વ્યાધિથી થડા કાળમાં જ ખાઈ જાય છે, એટલે તે ધાન્યની વર્તમાન સ્થિતિનો નાશ થઈ ગયો એમ ધારવું નહીં, પરંતુ વ્યાધિના બળથી ઘણું ધાન્ય થડા કાળમાં ખવાઈ ગયું; તેવી જ રીતે લાંબી મુદત સુધી ભેગવવા લાયક કર્મ ઘેડી મુદતમાં ભોગવી લીધું તેમ જાણવું; અથવા જેમ આમ્રફળ વિગેરેને ખાડામાં નાંખી ઉપર ઘાસ વિગેરે ઢાંકી રાખીએ તે તે ફલ ડી મુદતમાં પાકી જાય છે, તેવી રીતે તેવાં અનિકાચિત કર્મ પણ ગેડી મુદતમાં ભગવાઈ જાય છે.” ૧. કરેલાનો નાશ. ૨ નહીં કરેલાની પ્રાપ્તિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy