SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપારિકૃતચાર વિદિશાઓ તથા અને ઉપર નીચે એમ દશે દિશા તરફ દીન વદને શરણને માટે જઈ રહે છે, (નજર ફેરવે છે, પરંતુ તેઓને કેઈનું પણ શરણ મળતું નથી. એટલે મરણના ભયથી સ્વજનાદિમાં કઈ પણ તેમનું રક્ષણ કરી શકતું નથી. માટે આવા અભિમાની મનુષ્યના અભિમાનની હદ જ્યાં સુધી તેઓ અંકુશ વગરના આ યમરાજની નજરે અચાનક આવી ચઢયા નથી ત્યાં સુધી જ હોય છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે યમરાજની (મરણની) આગળ ગમે તેવા બળવાન નું બળ પણ કાંઈ કામમાં આવતું નથી. તેથી જ તેઓને ઉદ્દેશીને કહ્યું કે–તેઓ યમરાજની આગળ દીન વદનવાળા થઈ જાય છે. અહીં જણાવેલા યમરાજ શબ્દથી મરણ સમય અથવા આયુષ્યને છેડે સમજ. ૬૨ મહાદિને વશ થઈ બધા તે અશુભ રાખી ભાવના, આકરા વચને વદે કામે ખરાબ કરે ઘણા કર્મ બાંધે ચીકણાં પોતેજ ફલ તે કર્મના, ભગવે રીબાઈને ત્યાં ઢોલ વાગે મરણના. સ્પષ્યાર્થ–પૂર્વે જણાવેલી બીનાને સ્પષ્ટ રીતે સમજાવતા કહે છે કે-પહેલાં જણાવેલા આ બધા સંસારી જી મેતાદિ એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ વગેરેને વશ થઈને અશુભ ભાવના ભાવે છે એટલે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન ધ્યાવે છે અને આકરાં વચને બોલે છે. તથા અનેક જાતના ખરાબ કામ કરે છે તેથી કરીને ચીકણાં અશુભ કર્મો બાંધે છે. અને પોતે બાંધેલા તે અશુભ કર્મોનાં અશુભ ફલોને પણ તેઓ (પતે) રીબાતાં રીબાતાં ભેગવે છે. એવામાં તેમના મરણને ઢેલ અચાનક વાગે છે એટલે મરણને સમય નજીક આવી પહોંચે છે. ૬૩ મનના મનોરથ મન રહ્યા સાથે ન કંઈ પણ લઈ ગયા, કર્મને અનુસાર મળતી ગતિ વિષે સુખ દુઃખ લધા; સેપક્રમાયુષ જીવે સૌ પામે અચાનક મરણને, ઉપક્રમ તણું જેવી અસર જસ જીવનમાં તેવું બને. ૬૪ સ્પષ્ટાથ–પૂર્વે કહ્યા મુજબ જ્યારે મરણ સમય નજીક આવે છે ત્યારે તેઓના મનના મને એટલે મનમાં વિચારેલી અનેક ઈચ્છાઓ મનમાં જ રહી જાય છે. વળી તેઓ તે મરણ વખતે બીજાઓને અનેક રીતે છેતરીને અથવા બળજબરીથી એકઠું કરેલું ધન વગેરેમાંનું કાંઈ પણ સાથે લઈ જતા નથી. એટલે જેવી રીતે ખાલી હાથે આવ્યા હતે તેવી જ રીતે ખાલી હાથે જ તેઓ ચાલ્યા જાય છે. અહીં સમજવાનું એ છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy