SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ -- - દેશનાચિંતામણિ ભાગ ૨ ] દ્રવ્ય પુષ્પ સુગંધિ જળની વૃષ્ટિ દુંદુભિનાદ ને, વસ્ત્રને ઉક્ષેપ ૮ તે સમયે કરત દે અને, માનએ અહોદાન સુદાન ઈમ ઉદ્દઘોષણા, હરખે કરી તિમ સાડી બાર કરેડ માને સુરજના. ૪૭ સ્પષ્ટથી–તે વખતે દેવતાઓએ પંચ દિવ્ય પ્રકટાવ્યા, તે આ પ્રમાણે-શ્રી તીર્થકર પ્રભુ જે સ્થલે પારણું કરે તે સ્થળે દ્રવ્યની વૃષ્ટિ કરે. ૧ અને પુષ્પની એટલે સુગંધીદાર ફૂલની વૃષ્ટિ કરે. ૨. તથા સુગંધિદાર પાણીની વૃષ્ટિ કરે ૩ તેમજ આકાશમાં દુદંભી વગાડે. ૪ તથા વસ્ત્રને ઉલ્લેપ કરે એટલે સુંદર વસ્ત્રોને નાંખે. એ પ્રમાણે પ્રભુના પારણાને વિષે પાંચ દીવ્યો (૭૮) જાણવા. તે વખતે મનુષ્યએ અહ દાન ! સુપાત્રદાન! એ પ્રમાણે મોટે સ્વરે દાનની અનુમોદના કરી. અને દેવે હર્ષ પૂર્વક સાડા બાર કડ સેનેયાની વૃષ્ટિ (%) કરી. ૪૭ પ્રભુના વિહાર વગેરેનું વર્ણન કરે છે -- હેમ વૃષ્ટિ કરંત પ્રભુ ત્યાંથી પરસ્થલ વિચરતા, ઇંદ્રિદત્ત પારણ થલે વર રત્નપીઠ કરાવતા; તેજ ભવમાં ઇંદ્રિદત્ત નૃપ મુક્તિ પામ્યા દાનથી, આર્ય દેશ૮૧ વિચરતા પ્રભુ પરીષહો સહે વૈર્યથી. ૪૮ પદાર્થ – પ્રભુ શ્રીઅભિનંદનવામી પારણું કરીને બીજે ઠેકાણે વિહાર કરી ગયા. પ્રભુના ગયા પછી ઈન્દ્રદત્ત રાજાએ પ્રભુના પારણાના સ્થલે ઉત્તમ રત્નજડિત પીઠિકા કરાવી. આ પ્રભુને દાન આપવાના પ્રભાવથી ઈન્દ્રદત્ત રાજા તેજ ભવમાં મોક્ષને (૮૦) પામ્યા. આ શ્રીઅભિનંદન પ્રભુ આર્ય દેશે (૮૧) એટલે સાડી પચીસ આર્ય દેશમાં વિચર્યા હતા. અને ધૈર્ય રાખીને પરિષહેને સહન કરતા હતા. ૪૮ દ્રવ્યાદિ ભેદ અભિગ્રહી૨ નિજ ગુણ રમણતા ધારતા, ' છદ્મસ્થભાવ અઢાર વર્ષે રહત શુભ ધ્યાને રતા; ઉત્કૃષ્ટ તપ અડ માસ૮૪ ઉપસર્ગ થયા નહી ૮૫ નાથને, અપ્રમાદ૬ પ્રભુ આવી અયોધ્યા ૧ હાર સહલા ૮ વને. ૪૯ સ્પષ્ટાથે--વિહારની અંદર છદ્મસ્થ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી દ્રવ્યાદિ ભેદથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને ચાર ભેદે અભિગ્રહો (૮૨) ગ્રહણ કરીને નિજ ગુણ રમણતા એટલે પિતાના જ્ઞાનાદિક ગુણેમાં રમણતા કરતા હતા. એટલે પિતાના આત્મ સ્વરૂપની વિચારણામાં લીન રહેતા હતા. પ્રભુને દીક્ષા લીધા પછી છદ્મસ્થ કાલ (૮૩) અઢાર વર્ષને જાણો. એટલે પ્રભુએ દીક્ષા લીધા પછી અઢાર વર્ષે તેમને કેવલજ્ઞાન પ્રકટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy