SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ || શ્રી વિજયપધ્ધસરકૃત થયું. તે છદ્મસ્થપણુના કાલમાં પ્રભુ હંમેશાં શુભ ધ્યાનમાં રહેતા હતા. પ્રભુના સમયમાં ઉત્કૃષ્ટ તપ આઠ માસન (૮૪) હતે. વળી આ પ્રભુને કોઈ પણ જાતના ઉપસર્ગો (૮૫) થયા નહતા. એ પ્રમાણે ભવ્ય જીને બેધ પમાડતા પ્રભુ શ્રીઅભિનંદસ્વામી અપ્રમાદ ભાવે (૮૬) પૃથ્વી તલ ઉપર ૧૮ વર્ષ સુધી વિચારીને એકદા તેજ અયોધ્યા નગરીની (૮૭) બહાર આવેલા સહસ્ત્રાગ્ર વનને વિષે (૮૮) સમોસર્યા. ૪૯ વર પ્રિયંગુ તલે કરી છ° કાઉસ્સગ્ગ ધ્યાને રહે, - શુક્લના બે ભેદ અંતે ઘાતી કર્મો ચઉ દહે; પોષ શુક્લ ચતુર્દશી પૂર્વાહર કાલે મિથુનનો, તિમ પુનર્વસને૯૪ શશિ થતાં લાભ કેવલનાણને ૫૦ સ્વાર્થ –તે ઉદ્યાનને વિષે ઉત્તમ પ્રિયંગુતલે એટલે રાયણના વૃક્ષની નીચે (૮૯) છઠ્ઠને તપ (૯૦) કરીને પ્રભુ શ્રી અભિનંદન સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. અને ચોથા શુકલ ધ્યાનને પ્રથમના બે ભેદના ધ્યાનને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાંની સાથે જ ઉત્તમ એવા કેવલજ્ઞાનને અને કેવલ દર્શનને પામ્યા. એટલે સર્વજ્ઞ અને સર્વદશ થયા. પ્રભુને જ્યારે કેવલજ્ઞાન થયું તે વખતે પિષ સુદ ચૌદશ()ને દિવસ અને પૂર્વાહનને (દિવસના પહેલા ભાગનો) સમય (૨) હતો. તથા મિથુન નામની રાશિ (૩) તેમજ પુનર્વસુ નામના નક્ષત્રનો (૯૪) ચંદ્રમાની સાથે ચોગ ચાલતો હતો. ૫૦ પામતા સર્વજ્ઞ બનતા નારકે પણ આ ક્ષણે, સુખ લહંતા જાણતા સવિ ઇંદ્ર આવી પ્રભુ કને સમવસરણ બનાવતા કંચન કમલ પર ચાલતા, ચેથા જિનેશ્વર પૂર્વના દારે કરીને પેસતા. પી સ્પાર્થ–પ્રભુ શ્રી અભિનંદન સ્વામી કેવલજ્ઞાનને પામવાથી સર્વજ્ઞ બન્યા એટલે ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન તથા ભાવી એમ ત્રણે કાલના સર્વ પર્યાના પણ જાણનારા થયા. આ વખતે નારકીને જીવે પણ સુખનો અનુભવ કરે છે. પ્રભુને કેવલજ્ઞાન થયું છે એવું અવધિજ્ઞાનના ઉપયોગથી જાણીને તમામ ઇકો દેવાદિ પરિવાર સાથે પ્રભુની પાસે આવ્યા. ત્યાર પછી દેવે પ્રભુને ઉપદેશ સાંભળનારને માટે ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરે છે. ત્યાર પછી દેવેઓ રચેલા કમલ ઉપર પોતાના ચરણ કમલ મૂકીને ચેથા શ્રીઅભિનંદન પ્રભુ સમવસરણની પાસે આવીને પૂર્વ દિશાના દ્વારથી અંદરના ગઢમાં આવે છે. પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy