SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ દેશનાચિંતામણિ ભાગ ૨] હતે. સંધ્યા સમય થતાં હું અવન્તી નગરીના સ્મશાને જઈ પહોંચ્યા. ત્યાં એક યુવતીને રેતી સાંભળીને મેં તેને પૂછ્યું કે “તું કેમ રુએ છે?” તે બોલી કે “જે માણસ કદી દુઃખ પામ્યું નથી અથવા જે દુઃખ ભાંગવા સમર્થ નથી અથવા જે બીજાનું દુઃખ જાણી દુઃખી થતો નથી તેવા માણસને દુઃખનું વૃત્તાંત કહેવું નહી અને જે દુઃખ પામે છે, જે દુઃખને નિગ્રહ કરવા સમર્થ છે અથવા જે પારકા દુઃખે દુખીઓ થાય છે તેને દુઃખની વાત કહેવી.” તે સાંભળીને મેં કહ્યું કે “હું તારા દુઃખનું નિવારણ કરીશ.” ત્યારે તે બેલી કે “આ શાળી ઉપર ચડાવેલે માણસ મારા સ્વામી છે. તે નિર્દોષ છતાં તેને રાજાએ આવી દશા પમાડી છે. હું રાજપુરૂષથી ભય પામતી “મને કઈ જાણે નહી” એમ વિચારીને આ સંધ્યા સમયે મારા સ્વામી માટે ભેજનાદિક લઈને આવી છું, પણ મારું શરીર નાનું હોવાથી હું તેને ભોજન કરાવવા શક્તિમાન થતી નથી, તેથી હું રુદન કરું છું.તે સાંભળીને મેં તેને કહ્યું કે “મારી પીઠ પર ચડીને તું તારા પતિને ભજન કરાવ.” ત્યારે તેણે મને કહ્યું કે “તારે નીચી દષ્ટિજ રાખવી, ઉંચું જેવું નહીં; જે ઉંચું જોઈશ તે હું પતિવ્રતા હોવાથી લજજા પામીશ.” એમ કહીને તે મારી પીઠપર ચડી પિતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ. ડીવારે મારા પૃષ્ઠ ઉપર રુધિરનાં બિંદુઓ પડવા લાગ્યા. તેથી મેં કાંઈક ઉંચી દષ્ટિ કરી જોયું તો છરાવડે તે માણસનું માંસાદિક લેતી અને તેને કાપી કાપીને પાત્રમાં નાંખતી મેં તેને જોઈ. આવા બિભત્સ કર્મને જોઈ. ને મેં તેને પડતી મૂકી અને ભયથી હું ગામના દરવાજા પાસે આવેલા એક યક્ષના દેરામાં પેઠે. મારી પાછળજ દેડતી આવતી તેણીએ મને જયે; એટલે મારે એક પગ દેરાના ઉમરાની બહાર અને એક પગ અંદર હતું, તેજ વખતે તેણે બહારના પગ ઉપર તેજ અસિવડે પ્રહાર કર્યો અને તેનાથી કપાયેલો મારે ઉપ્રદેશ લઈને તે નાસી ગઈ પછી હું દ્વારદેવીની પાસે કરુણ સ્વરે રુદન કરવા લાગે; તેથી દેવીને કરુણા ઉત્પન્ન થઈ, એટલે કોઈ શૂળીએ ચડાવેલા સજીવન માણસનો ઉપ્રદેશ કાપી લાવીને મારા પગ સાથે સાંધી તેણે મને સાજો કર્યો. પછી હું રાત્રીને જ વખતે મારા સસરાને ઘેર ગયે, ત્યાં ઘરમાં દીવો બળતું હોવાથી દ્વારના છિદ્રમાંથી ઘરની અંદર શું થાય છે તે હું જેવા લાગે, તે તેજ સ્ત્રીને અને તેની માને મદ્ય માંસ ખાતી મેં જોઈ. તેની માએ તેને પૂછયું કે “અહે પુત્રી ! આવું સુંદર તાજું માંસ તું ક્યાંથી લાવી ?” તે બેલી “હે માતા ! આ માંસ તારા જમાઈનું છે.” એમ કહીને તેણે સર્વ વૃત્તાન્ત કહ્યો, ત્યારે તેની માતા બેલી કે “એમ કરવું તને યેગ્ય નહેતું.” પુત્રી બેલી કે “હું શું કરું? તેણે મારા વચન પ્રમાણે કર્યું નહી, અને ઉંચું જોયું, તેથી મેં તેમ કર્યું. આ પ્રમાણે તે બન્નેની વાતો સાંભળીને હું પાછો ફરી દેવીના ચિત્યમાં આવ્યો અને ત્યાં રાત્રી નિગમન કરી, કેઈ સાધુ પાસે ધર્મોપદેશ સાંભળીને મેં દીક્ષા ગ્રહણ કરી. હાલમાં આ સુસ્થિત મુનિની સેવા કરૂં છું. આજે તે પૂર્વનું અનુભવેલું ભય સ્મરણમાં આવ્યું.” તે સાંભળીને અભયકુમારે તેમની અતિ પ્રશંસા કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy