SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી વિજ્યપધરિકૃતતો આ ધનને ભાગીદાર કેઈ રહે નહી, અને સર્વ ધન મારા હાથમાં જ રહે.” એમ વિચાર કરતો કરતે તે નાના ભાઈ સહિત ગન્ધવતી નદી પાસે આવી પહોંચે એટલે તેણે વિચાર્યું કે “આ દ્રવ્યના પ્રભાવથી પ્રતિક્ષણે મને રૌદ્રધ્યાન થયા કરે છે, માટે આ અનર્થ કરનારી વાંસળીને નદીના મોટા દ્રહમાંજ નાખી દઊં. એમ વિચારીને તેણે તરતજ નદીના મોટા ધરામાં તે વાંસળી નાંખી દીધી. તે જોઈને નાના ભાઈએ કહ્યું કે “અરે ભાઈ! આ તમે શું કર્યું?” મોટે ભાઈ બોલ્યો કે “ દુર્ણ બુદ્ધિ સહિત મેં વાંસળીને અગાધ જળમાં નાંખી દીધી છે.” એમ કહીને તેણે પોતાના દુષ્ટ વિચારે નાના ભાઈને કહ્યા. તે સાંભળીને ના ભાઈ પણ બોલ્યો કે “તમે બહુ સારું કર્યું, મારી પણ તેવીજ દુષ્ટ બુદ્ધિ થતી હતી, તે પણ નાશ પામી.” પછી તે બન્ને ભાઈએ પિતાને ઘેર આવ્યા. અહીં તે વાંસળી એક સુધિત મત્સ્ય (ભૂખ્યું માછલું) ગળી ગયો. તે મસ્ય ભારે થઈ જવાથી તરતજ કઈ એક મચ્છીમારની જાળમાં પકડાયે. તેને મારીને માછીમાર ચૌટામાં વેચવા આવ્યું. તે બન્ને ભાઈઓની માતાએ મૂલ્ય આપીને તે મસ્યા વેચાતો લીધે, અને ઘેર આવીને પોતાની દીકરીને વિદ્યા૨વા આપ્યો. તે દીકરીએ મસ્ય કાપતાં તેમાં વાંસળી દીઠી. તેને છાની રીતે લઈને પિતાના મેળામાં સંતાડી. તે જોઈને માતાએ પૂછયું કે “તે શું સંતાડયું?પુત્રી બેલી કે “કાંઈ નહી.” માતા ખાત્રી કરવા માટે તેની પાસે ગઈ, એટલે પુત્રીએ તેને હાથમાં રહેલા છરાવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, તેથી તે ડોશી મૃત્યુ પામી. પછી ગભરાઈને તે અમારી બહેન એકદમ ઉઠી, એટલે તેના મેળામાંથી તે વાંસળી ભૂમિપર પડતી અમે નજરે જોઈ, તેથી અમને બન્ને ભાઈઓને વિચાર થયો કે “અહે! તેજ આ અનર્થ કરનાર ધન છે કે જેને અમે ફેંકી દીધું હતું !” ઈત્યાદિ વિચારીને માતાની ઉર્વઝિયા (મૃત્યુ થયા પછીની ક્રિયા) કરીને અમે બન્ને ભાઈઓએ વૈરાગ્યથી તે વાંસળીને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. માટે છે શ્રાવક! તે ભય અત્યારે મને યાદ આવ્યું. તમેય જુઓ કે તે અર્થ (ધન) કેવું ભયકારી છે?” અભયકુમાર બેલ્યા કે “હે પૂજ્ય ! આપનું વાક્ય સત્ય છે. ધન નેહવાળા ભાઈઓમાં પણ પરસ્પર પૈર કાવનારું છે, સેંકડે દેવ ઉત્પન્ન કરનારું છે અને હજાર દુબેને આપનારું છે. તેના ભયથી આપે જે આ ચારિત્ર લીધું તે બહુ સારું કર્યું છે; કેમકે દુખને આપનારા એવા અનેક વિકને કરાવનારું ધન છે.” આ દષ્ટાંત સાંભળી અભયકુમાર ધનનું દુઃખદાયી પરિણામ જાણ્યા છતાં પોતે ધનને આદર કર્યો છે એમ વિચારીને તે શિવસાધુની તથા કાયોત્સર્ગ રહેવા સુસ્થિત મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ( તવ સુસ્થિત સાધુ, કાયોત્સર્ગનુષ મુદા ! જ દેહમમાનાથ, હિયાએ સુત્રો થયો છે . ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy