SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ચિત્તના ધેયને ત્યાગ કરે નહી. મહા ઘેર પરિષહ ઉત્પન્ન થાય, અથવા બીજાં દુર્ધર પ્રાણીઓના ભયજનક ઉપસર્ગો થાય તે પણ પિતાનું ધેય મૂકે નહી. આ પ્રમાણે પાંચ ભાવનાથી જે કાંઈ પણ ક્ષોભ ન પામે તે પછી જિનકલ્પને અંગીકાર કરી શકાય છે. સુસ્થિત મુનિ બીજી સવ ભાવનાએ કરીને આત્માને ભાવતા હતા. તેમાં પણ ઉપાશ્રય બહાર રહીને કાર્યોત્સર્ગ કરવા બીજા સત્વ ગની ભાવના કરતા હતા. તે પચે મુનિઓ અભયકુમાર મંત્રીની યાનશાળામાં માસક૫ રહ્યા હતા. હવે અભયકુમારે ઘણી શેધ કરી તે પણ હાર મળે નહી, તેથી “છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ છે, કેણ જાણે કાલે શું થશે?ઈત્યાદિ વિચારથી શેકાતુર થયેલા તે મંત્રી “આજે તો સાધુ પાસે જઈને તેમની પર્ય પાસના કરૂં” એ વિચાર કરીને ઉપાશ્રયમાં આવી રાત્રિસિહ લઈ ત્યાંજ રાત્રિ રહ્યા. તે સમયે સુસ્થિત મુનિ પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયની બહાર જઈ કાયોત્સર્ગે રહ્યા. અહીં પેલા મણિકારને પુત્રને વિચાર થયો કે “જે કદાચ રાજાને આ હાર મારી પાસે છે એમ ખબર પડશે, તો આખા કુટુંબ સહિત મારા જીવિતની હાનિ થશે.” પછી તેણે તે હાર વાનરને પાછો આપ્યો. માણસ ઉપર કૃપાવાન વાનર તે હાર બીજે કાંઈ ન મૂકતાં સાધુના ઉપાશ્રય પાસે આવે, ત્યાં મુનિને ઉપાશ્રયની બહાર એકલા કાર્યોત્સર્ગે રહેલા જોઈને તેણે તે હાર મુનિના કંઠમાં પહેરાવી દીધું. હવે ઉપાશ્રયમાં રહેલા બીજા ચાર સાધુઓ એક એક પ્રહરના વારા પ્રમાણે સુસ્થિત મુનિના શરીરને પ્રમજવા (તેની સંભાળ લેવા) આવતા હતા. તેમાં પ્રથમ શિવસાધુ પહેલે પ્રહરે કાસગે રહેલા સુસ્થિત મુનિનાં દેહનું પ્રમાર્જન કરવા માટે આવ્યા. તે વખતે તેમના કંઠમાં દિવ્ય કાંતિવાળો હાર જોઈને તેણે ધાર્યું કે “જરુર જેને માટે અભય મંત્રી ચિંતાતુર છે તેજ આ હાર જણાય છે.” પછી સુસ્થિત મુનિના દેહનું પ્રમાર્જન કરીને પહેલો પ્રહાર પૂરો થયે ઉપાશ્રયની અંદર નિસિહિ પ્રવેશ કરતાં તેને બદલે (નિસિહી એમ કહેવાને બદલે) શિવસાધુ બોલ્યો કે “અહે! મહાભય પ્રાપ્ત થયું.” તે સાંભળી અભયે પૂછયું કે “નિર્ભય એવા મુનિઓને ભય કયાંથી હોય?” સાધુએ કહ્યું કે “પૂર્વે અનુભવેલા ભયનું સ્મરણ થયું.” અભયે કહ્યું કે “હે પૂજ્ય! તે વૃત્તાન્ત જાણવા ઈચ્છું છું.” ત્યારે મુનિ બોલ્યા કે અવન્તી નગરીમાં સેમ અને શિવદત્ત નામે બે ભાઈઓ રહેતા હતા. તે બને ધન મેળવવાની ઈચ્છાથી વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક પ્રકારના અધમ તથા કર્માદાનના વ્યાપાર કરીને તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પછી પોતાના ઘર તરફ આવવા તૈયાર થયા. તે વખતે સર્વ ધન એક વાંસળીમાં ભરીને મોટા ભાઈએ તે વાંસળી પિતાની કેડે બાંધી. માર્ગમાં ચાલતાં તેને વિચાર થયો કે “જે હું નાના ભાઈને મારી નાંખું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy