SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [ શ્રી વિપરિકૃતહવે તે નગરમાં કોઈ આચાર્યના પાંચ શિખે આવ્યા હતા, તેમનાં શિવ, સુવત, ધન્ય, જેણુક અને સુસ્થિત એવાં નામ હતાં. તેમાંથી સુસ્થિત મુનિ જિનકપીપણું અંગીકાર કરવાની ઈચ્છાથી તેની પાંચ પ્રકારની ભાવના ભાવતા હતા, (તુલના કરતા હતા) તેનાં નામ આ પ્રમાણે – તવેણ સણું સુણ ગત્તએણ બેલેણ યા તુલણ પંચહા કુત્તા, જિણકપ પડિરજ્જો ૧ છે અર્થ—“જિનકલ્પ સ્વીકારવાને ઈચ્છનાર મુનિને માટે ત૫, સત્વ, સૂત્ર, એકત્વ અને બળ એ પાંચ પ્રકારની તુલના કહી છે.” (૧) પહેલી તપભાવના આ પ્રમાણે છે કે-પ્રથમ તે પિરસી વગેરે તપને અભ્યાસ કરે છે. તેમાં ગિરિનદીમાં ઉતરતા સિંહની જેમ ભૂખને વિજય કરવાને માટે ત્રણ ગણું તપ કરવું. જેમ કે પર્વતમાંથી નીકળતી નદી જલથી ભરપૂર હોય, તે નદીને ઉતરતે સિંહ સરલ માગ આવે ત્યાં સુધી વક્ર ગતિએ ચાલે, તેવી જ રીતે એક એક ઉપવાસની વૃદ્ધિ કરતાં કાંઈ પણ હાનિ ન થાય તેમ છ માસના ઉપવાસ કરવા સુધી તપને વધારે. (૨) બીજી સત્વ ભાવના આ પ્રમાણે છે કે રાત્રીને વખતે પ્રથમ ઉપાશ્રયમાં રહીને કાર્યોત્સર્ગ કરતાં સપ, ચેર, ગોપાળ તથા ભયંકર સંગ્રામ વિગેરેથી ભય પામે નહી, અને રાત્રીના પહેલા ત્રણ પ્રહર સુધી ધ્યાનમાં લીન રહે, બીલકુલ નિદ્રા લે નહી. તે કાર્યોત્સર્ગ કરવાનાં પાંચ સ્થાન છે. તેમાં પ્રથમ ઉપાશ્રયમાં, બીજું ઉપાશ્રય બહાર, ત્રીજું ચૌટામાં, ચેાથું શન્ય ઘરમાં અને પાંચમું શમશાનમાં. આ સ્થાનમાં ધ્યાનમગ્ન રહેતાં ભયંકર સ્વરુપવાળા દેવતાઓ બીવડાવે તેપણ લગાર પણ ભય પામે નહી; સર્વત્ર નિર્ભય રહે. (આ ભાવનામાં ભય ને નિદ્રાનો જય કરવાને છે). (૩) ત્રીજી સૂત્ર ભાવના એવી રીતે છે કે-નંદીસૂત્ર વિગેરે સર્વ શાસ્ત્ર પોતાના નામની જેમ કઈ પણ વખતે ભૂલે નહી, કઠે રાખે અને કાળના પ્રમાણને સૂત્રને આધારે બરાબર જાણે. શ્વાસોસ, પ્રાણ, તેંક, મુહૂર્ત તથા પિરસી વિગેરે કાળના પ્રમાણને, દિવસે તથા રાત્રીએ મેઘાદિકથી આકાશ છવાયું હોય તે પણ સત્યસ્વરૂપ જાણે, તથા પડિલેહણને કાળ, બે ટંકના પ્રતિક્રમણને કાળ, ભિક્ષાને કાળ તથા વિહારાદિકને કાળ પણ દેહની છાયા ન દેખાતી હોય ત્યારે પણ બરાબર જાણે. (૪) ચોથી એકત્વ ભાવના એવી રીતે છે કે-જે કે પ્રથમ ગૃહસ્થીપણાનું કીધનાદિ સંબંધી મમત્વ સાધુઓએ છોડી દીધું છે, તે પણ પાછળથી આચાર્યાદિક પદ પ્રાપ્ત થવાથી ગચ્છ વિગેરે ઉપર મમત્વ ઉત્પન્ન થાય છે, તે મમત્વ ન કરે, અને દષ્ટિપાત, આલાપ, પરસ્પર કુશળ (સુખશાતા) પૃચ્છા અને કથાવ્યતિકર (વાતચીત કરવી, પ્રક્ષાદિની બીના) કહેવા વિગેરેની જે પ્રથમ પ્રવૃત્તિ હતી, તે સર્વને ત્યાગ કર. છેવટે દેહ અને ઉપાધિ આદિકને મમત્વ પણ તજવે. (૫) પાંચમી બળ ભાવના આ પ્રમાણે છે કે ત૫ પ્રમુખના વશથી જે શરીરનું બળ ક્ષીણ થયું હોય તે પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy