SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ૨ ] નથી.” દાસીએ કહ્યું કે “ત્યારે હું પ્રાણ તજીશ.” મહાવત બોલ્યો કે “હું બ્રહ્મદત્ત ચક્રીની જે મૂઢ નથી, કે જેથી સ્ત્રીને વચનથી ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થાઉં.” (તે બ્રહ્મદત્તને બકરાએ બેધ આપ્યો હતે, વિગેરે કથા પૂર્વે લખાઈ ગઈ છે.) તે સાંભળીને દાસી બેલી-“હું મરું તે મારા જીવની જાઉં, તેમાં તારું શું ગયું? તું તે બીજી સ્ત્રીમાં આસક્ત થઈ મારું નામ પણ નહી લે, પરંતુ તારું મન પથ્થર કરતાં પણ વધારે કઠણ દેખાય છે.” ઈત્યાદિક તેમની વાત સાંભળીને ચેલણાએ વિચાર્યું કે “હું જે પ્રાણ ત્યાગ કરું તો તેમાં રાજાને કાંઈ પણ હાનિ થવાની નથી, તેને તે બીજી પાંચ રાણીઓ છે, પણ હું તપ સંયમાદિક કર્યા વિના મનુષ્યજન્મથી ભ્રષ્ટ થાઉં?” એમ વિચારીને તે પાછી રાજા ઉપર અનુરાગવાળી થઈ એકદા તે હારને દોરે તૂટી ગયા. પેલા દદ્રાંક દેવતાએ હાર આપતી વખતે કહ્યું હતું કે “આ હાર તુટ્યા પછી તેને જે સાંધશે તે મસ્તક ફાટવાથી મરણ પામશે.” રાજાએ શહેરમાં પટહ વગડાવ્યો કે “જે આ અઢાર સરને હાર સાંધી આપશે તેને રાજા એક લાખ દિનાર આપશે.” તે સાંભળીને એક વૃદ્ધ મણિકારે (ઝવેરીએ) પિતાના કુટુંબના સુખ માટે તે પટહ ગ્રહણ કર્યો. તે વખતે રાજાએ તેને અ લાખ દ્રવ્ય પ્રથમ આપ્યું અને કહ્યું કે “જ્યારે હાર પૂરે સંધાશે ત્યારે બાકીનું દ્રવ્ય આપીશ.” પછી તે હાર લઈને તે મણિકારે પોતાના ઘરના ભાગમાં એક સરખી ભૂમિપર તે હાર મૂકો, પછી એક સૂમ દેરી ઘી તથા મધથી વાસિત કરીને મેતીનાં છિદ્રમાં પરોવવા લાગ્યું, પણ મોતીનાં છિદ્ર વાંકા હોવાથી તેને સાંધવાને સમર્થ થયો નહી. તેવામાં મધની ગંધથી ઘણી કીડીઓ ત્યાં આવી. તે દેરીને છેડે પકડીને ધીમે ધીમે મેતીનાં છિદ્રમાં ચાલી, એટલે તે દેરી પરવાઈ ગઈ. પછી તે મણિકારે ગાંઠ વાળીને હાર સાંધી દીધે; પરંતુ તત્કાળ તેનું મસ્તક ફાટી ગયું, તેથી તે મૃત્યુ પામીને તેજ ગામમાં વાનર થયો. તેને એકદા દરેક ઘેર ફરતાં ફરતાં પોતાનું ઘર તથા પુત્રાદિકને જોઈને જાતિસ્મરણ થયું. તે જઈને પુત્ર ઉપરની અનુકંપાથી તેણે “હું તમારો પિતા છું” એવા અક્ષર પુત્રની પાસે લખ્યા. તે જોઈને તેના સર્વે સ્વજનેએ આશ્ચર્ય પામી વિચાર્યું કે “અહે ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” પછી તે વાનરે અક્ષર લખ્યા કે “બાકીનું દ્રવ્ય રાજાએ તમને આપ્યું કે નહી ?” પુત્રો બોલ્યા કે “નથી આપ્યું.” તે સાંભળીને તેને રાજા ઉપર દ્વેષ ઉત્પન્ન થયો, પછી તે હારની ચોરી કરવા માટે છિદ્ર જેવા લાગ્યો. એકદા ચેલણ રાણી સાયં કાળે વાવમાં સ્નાન કરતી હતી, તે વખતે તેણે સર્વ અલંકારો ઉતારીને બહાર મૂકયાં હતાં, તેમાં તે હાર દેખીને લાગ ઈ વાનરાએ તે હાર ગુપ્ત રીતે ઉપાડી લીધે અને પિતાના પુત્રને આપે. રાણી ન્હાઈને અલંકાર પહેરવા લાગી તે વખતે હાર જોયો નહી, તેથી તે વિલખી થઈ ગઈ. તેણે તે બીના રાજાને કહી. રાજાએ અભયકુમારને બેલાવીને કહ્યું કે “આ હાર સાત દિવસમાં શોધી લાવ, તે સિવાય તારે જીવવાને ઉપાય દેખાતા નથી.” પછી અભયકુમાર મંત્રીએ તે હારની નિરંતર શોધ કરવા માંડી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy