SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચ ]. પુરૂષોને પુણ્યાનુબંધી પુણ્યને ઉદય હોય છે. એટલે તેઓ પૂર્વે બાંધેલું પુણ્ય આ ભવમાં ભોગવતા હોવાથી સુખી હોય છે અને પુણ્ય ભેગવતાં નવું પુણ્ય બાંધતા હોવાથી તેઓ પરભવમાં પણ સર્વ પ્રકારના સુખને ભોગવે છે. એ પ્રમાણે જેઓ પુણ્ય ભેગવે છે અને નવું પુણ્ય કર્મ બાંધે છે તે પુણ્યાનુબંધી પુણ્યવાળા ભવ્ય જી જાણવા. વ્યાજબી જ છે કે આવા પ્રબલ પુણ્યશાલી ને જે સારૂં એટલે આત્માને હિતકર હોય તેજ ગમે. તથા આ મહાબલ રાજા ભૂપગુણ એટલે રાજાના દયા વગેરે ગુણો રૂપી હારને પહેરીને શોભતા હતા. કહેવાનો ભાવાર્થ એ છે કે આ રાજામાં ખરા રાજાના દયા વગેરે તમામ ગુણે હતા. આ રીતે શાંતિથી રાજ્ય કરતાં આ મહાબલ રાજાને કેટલોક કાળ ચાલ્યા ગયે. ત્યાર બાદ એક વખત રાજાએ શાંતિથી શરીર, ધન, કુટુંબ વગેરે પદાર્થોને અનિત્ય એટલે નાશવંત જાણ્યું. અને તેથી તેમને પિતાના આ રાજયાદિની ઉપાધિથી ભરેલા ભવ ઉપર કંટાળો આવ્યો. તેથી તે મહાબલ રાજાએ વિચાર્યું કે મારે રત્નચૂડ નામના એક શેઠિયાના દીકરાની માફક કષાયાદિ ધૂતારાઓથી સાવચેત રહીને સર્વ વિરતિ ચારિત્ર રૂપી વહાણમાં બેસીને સંસાર સમુદ્રને તરી જ, એમાં જ ખરી બહાદુરી છે. આ પ્રસંગે મહાબલ રાજાએ વિચારેલ રત્નચૂડની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી યથા ન્યાયપુરે રત્નચૂડે ન મુઘતાં ગત મહાદિબંધને તહત ધર્મધીનૈવ લભ્યતે ૧ અર્થ --“જેમ ન્યાયપુરમાં રત્નચૂડ મુંઝા નહિ, તેમ ધર્મબુદ્ધિવાળા પુરૂષ મહાદિકના બંધનમાં લોભાતા નથી.” રત્નચડની કથા. આ ભરત ક્ષેત્રને વિષે તાલિપ્તી નામની નગરીમાં રત્નાકર નામે શ્રેષ્ઠી હતે. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેમને રત્નચૂડ નામે એક પુત્ર થયો હતો. તે યુવાન પુત્ર નગરના ઉપવન વિગેરેમાં સ્વેચ્છાથી વિહાર કરતો હતો. એક વખતે રાજમાર્ગે જતાં સન્મુખ આવતી સૌભાગ્યમંજરી નામની વેશ્યા રત્નચૂડના ખભા સાથે અથડાઈ, તેથી મનમાં કચવાઈને તે બેલી-“અરે ! આવા વિશાલ રાજમાર્ગમાં પણ મને સન્મુખ આવતી તું જોતું નથી? આટલો બધો લક્ષમીમદ કરે તને ઘટિત નથી.” કારણ કે પિત્રોપાર્જિતવિત્તિન, વિલાસં કુરુતે ન કર સ લા યઃ સ્વયં લકમી–મુપાજ્ય વિલસત્યો છે “પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી કેણ વિલાસ ન કરે? પણ જે પાર્જિત દ્રવ્યથી વિલાસ કરે તે પુરૂષજ પ્રશંસાને પાત્ર છે.” આ પ્રમાણે કહી વેશ્યા સ્વસ્થાને ચાલી ગઈ. તે સાંભળી રત્નચૂડે મનમાં વિચાર્યું કે “આ વેશ્યાનું વચન મારે સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy