SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધરિતતે કુબેર ભંડારીથી, કેમકે કુબેર ભંડારીના જેવી તમારામાં દાનશક્તિ છે. બીજા ચંડાળથી, કેમકે શત્રના સમહ પ્રત્યે તમે ચંડાળની જેવો કોપ કરે છે. ત્રીજા ધોબીથી, કેમકે જેમ બેબી વસ્ત્ર નીચોવીને પાણી કાઢી નાંખે છે તેમ તમે પણ માણસને નીચવીને તેનું ધન લઈ લ્યો છો. ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિદ્રામાં સૂતેલા બાળકને પણ નિર્દય વીંછીની જેમ સોટી મારીને પીડા ઉપજાવે છે, અને પાંચમાં તમારા પિતાથી તમે ઉત્પન્ન થયા છે, કે જેણે રાજ્યમાં અને ન્યાયમાં તમને સ્થાપન કર્યો છે.” તે સાંભળીને રાજા બહુ આશ્ચર્ય પામ્યા. પછી રાજાએ પિતાની મા પાસે એકાંતમાં જઈને નમન કરી પૂછ્યું કે “હે માતા ! કહો, હું કેટલા પુરૂષથી ઉત્પન્ન થયો છું?” માતાએ કહ્યું કે “હે વત્સ! એ તું શું પૂછે છે? તારા પિતાથીજ તું ઉત્પન્ન થયો છે.” ત્યારે રાજાએ રેહકે કહેલી વાત કરીને કહ્યું કે “હે માતા ! તે રેહક ઘણું કરીને ખોટી બુદ્ધિવાળો નથી, માટે સાચું બોલે.” એમ બહુ આગ્રહથી રાજાએ પૂછયું, ત્યારે તેની માતાએ કહ્યું કે હે વત્સ! જ્યારે તું ગર્ભમાં હતા ત્યારે એક દિવસ હું ગામ બહાર ઉદ્યાનમાં કુબેર દેવની પૂજા કરવા ગઈ હતી. તે પ્રતિમાનું અત્યંત સ્વરૂપ જોઈને મેં તેને હાથ વડે સ્પર્શ કર્યો, તેથી મને કામવાસના વ્યાપ્ત થવાથી ભેગની ઈચ્છા થઈ હતી. ત્યાંથી પાછા આવતાં માગમાં એક ઉત્તમ રૂપવંત ચંડાલને જોઈને તેની સાથે ભેગની ઈચ્છા થઈ હતી. આગળ ચાલતાં એક રુપવંત બેબીને જોઈને પણ તેવીજ ઈચ્છા થઈ હતી. પછી ઘેર આવી ત્યારે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટને વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધે. તેના સ્પર્શથી કામે દીપન થવાને લીધે તેની સાથે પણ ભેગની ઈચ્છા થઈ હતી. એ પ્રમાણે ઈચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા, બાકી પરમાર્થથી તો એક તારે પિતાજ સત્ય પિતા છે.” તે સાંભળીને રાજા માતાને નમન કરીને રેહકની બુદ્ધિથી વિમય પામ્યું, અને તેને સર્વ મંત્રીઓમાં પ્રથમ પદ આપ્યું. આ દષ્ટાંતને ઉપનય (ઘટના) એ છે કે “પૂર્વે પિતે નહી સાંભળેલું અને મનમાં પણ નહી ચિંતવેલું ગૂઢ કાર્ય પણ બુદ્ધિના પ્રભાવથી જાણી-સમજી શકાય છે. તેવી રીતે જ શ્રી જિન ધર્મની આરાધના કરવામાં પણ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં બુદ્ધિને ઉપયોગ કર; જેથી આ લોકમાં ને પરલેકમાં અત્યંત સુખશાંતિમય જીવન ગુજારી અને મેક્ષમાર્ગને નિર્દોષભાવે આરાધી સંસારસમુદ્રને પાર કરી શકાય. ૪ માનતા દાનાદિ ધર્મારાધને તન મન રમે, પુણ્યાનુબંધિ પુણ્ય ઉદયે સુજનને સારું ગમે; ભૂપ ગુણ મણિ હાર પહેરી શેભતા તે નરપતિ, જાણી ક્ષણિક દેહાદિને ભવથીજ કંટાળે અતિ. સ્પષ્ટાર્થ –દાનાદિ એટલે દાન, શીયલ, તપ અને ભાવે એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરવામાં તેમનું ચિત્ત હંમેશાં રમણ કરતું હતું. કારણ કે સુજન એટલે સજજન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy