SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ [ શ્રી વિજ્યપધરિકૃતકરવું.” આ પ્રમાણે વિચાર કરો અને મનમાં ખેદ પામતે રચૂડ ઘેર આવ્યો. પુત્રનું ખિન્ન વદન જોઈ તેના પિતાએ પૂછયું-“વત્સ! તારે શી ખોટ છે જેથી તારૂં મુખ સખેદ અને નિસ્તેજ જણાય છે ? જે તારી ઈચ્છા હોય તે કહે, હું તારી ઈચ્છા ક્ષણમાં પૂરી કરીશ.” રત્નચૂડ બેલ્યો-“પિતાજી ! તમારા ઉપાર્જન કરેલા દ્રવ્યથી મારે સુખ જોઈતું નથી, તેથી તમારી આજ્ઞા મેળવી સ્વભુજાથી દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતરે જવા ઈચ્છું છું” પિતાએ કહ્યું-“વત્સ! તું માખણ જેવા કોમલ શરીરવાળો છે, તું દેશાંતરમાં જઈને શું કરીશ?” કહ્યું છે કે ઇંદિયાણિ વશે યસ્ય, સ્ત્રીભિ ન વિલભ્યતે વતું ય વિજાનાતિ, યાતિ દેશાંતરાણિ સરો જેને ઈદ્રિયે વશ હોય, જે સ્ત્રીઓથી લુબ્ધ થાય તેમ ન હોય અને જે બોલવામાં પ્રવીણ થયેલ હોય તે દેશાંતરમાં જઈ શકે છે.” હે પુત્ર! “મેં લક્ષમી ઉપાર્જન કરી છે તે તારે માટે જ છે.” આ પ્રમાણે કહ્યાં છતાં પણ રત્નચૂડે આગ્રહ છેડયે નહિ એટલે તેના પિતાએ આજ્ઞા આપી. તત્કાળ રત્નચૂડ ઘણું વહાણમાં વિવિધ પ્રકારનાં બહુ કિંમતી કરિયાણાં ભરી તૈયાર થયે. ચાલતી વખતે શ્રેષ્ઠીએ આ પ્રમાણે શીખામણ આપી“વત્સ! તું કદી પણ અન્યાયનગર (અનીતિપુર) માં જઈશ નહિ. કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજા છે, અવિચારી નામે મંત્રી છે, ગ્રહીતભક્ષક નામે નગરશેઠ છે, યમઘંટા નામે વેશ્યા છે, અને બીજા ઘતકાર, ચેર, પારદારિક (વ્યભિચારી) વિગેરે અનેક ઠગ લોકો ત્યાં રહે છે. તેમનું સ્વરૂપ જાણ્યા વિના જે ત્યાં જાય છે તેનું સર્વસ્વ ત્યાંના લેકે હરી લે છે, તેથી તે નગર છોડીને બીજે ગમે ત્યાં તું સ્વેચ્છાએ જજે.” આ પ્રમાણે પિતાની શીખામણ સ્વીકારી શુભ દિવસે માંગલ્ય ઉપચાર કરી રત્નચૂડ વહાણમાં બેસી ચાલ્યો. અનેક ગામ, નગર, દ્વીપ વિગેરેમાં ફરતો ફરતે રત્નચૂડ ભવિતવ્યતાના ગે અનિતિનગરેજ આવી ચડે. તે નગરમાં વસનારા ધૂત લોકો તે વહાણને આવતું જોઈ હર્ષ પામ્યા, અને તેની સન્મુખ આવ્યા. તેમને જોઈ રત્નચૂડ શંકા પામ્યો. પછી બંદરને કાંઠે આવ્યો એટલે તેણે કોઈ પુરૂષને પૂછયું-“ભદ્ર! આ દ્વીપનું નામ શું ? ” તે પુરૂષ કહ્યું–‘ચિત્રકૂટ નામે આ દ્વીપ છે, અને આ અનીતિપુર નામનું નગર છે. તે સાંભળી રત્નચૂડ વિચાર કરવા લાગ્યો કે “પિતાએ જે સ્થળે જવાની ના કહી હતી તેજ સ્થળે હું દેવયોગે આવી ચડ; આ વાત સારી થઈ નહિ. પણ મારા વાંછિતને લાભ મને અહીં થશે એમ જણાય છે” કહ્યું છે કે પ્રશસ્તશકુના ચત્રાનુકલપવનસ્તથા ઉત્સાહી મનસāતત, સર્વ લાભસ્ય સૂચક Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy