SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] સંભવનાથ નામના તીર્થકર થયા. તેમાં પ્રથમ ભવને વિષે વિપુલવાહન નામના રાજા હતા (તેમની વિશેષ હકીક્ત આગળ જણાવવામાં આવશે.) તે ભવમાં તેમને સમ્યકત્વ વગેરેને લાભ થયો. ત્યાંથી મરણ પામીને આનત નામના નવમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. તે બીજે ભવ જાણવો. ત્રીજા ભવમાં ત્રણ જગતના સ્વામી સંભવનાથ નામના ત્રીજા તીર્થપતિ અથવા તીર્થકર થયા. સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ ભાવમાં તે વિમલ વાહન રાજાએ શ્રી સંઘની દુષ્કાળના વખતમાં ભાવપૂર્વક ભક્તિ કરી, તેથી તેમણે જિનનામકર્મને નિકાચિત બંધ કર્યો. અને મેઘ જોઈને એટલે વાદળાંને ક્ષણ માત્રમાં વિખરાઈ ગયેલાં જોઈને સંસારના પદાર્થોની અનિત્યતા જાણીને સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી રાજ્યને ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. એ વિપુલવાહન રાજાના પ્રથમ ભવને ટૂંક સાર જાણો. ૨. વિપુલવાહન રાજાનું વર્ણન ત્રણ લોકમાં કરે છે – ધાતકીખંડજ ક્ષેમપરા પુરી ઐરાવતે, વિપુલવાહન નૃપ વિભૂષિત સત્ય નીતિ દયા દ્રતે, બાગના જેવી પ્રજાને બાગના રક્ષક સમ, પાલતે અપરાધિને દંડ જિમ નહિ અણગમે. ૩ સ્પષ્ટાર્થી—આપણા જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર બે લાખ જન પ્રમાણ વિસ્તારવાળે ચૂડીના આકારે ગેળ છે. અને તે લવણ સમુદ્રને ફરતે બીજે ધાતકી ખંડ આવેલ છે. તે ધાતકીખંડ ચાર લાખ જન પ્રમાણ વિસ્તારવાળે ચૂડીના આકારે (ગોળાકારે) રહેલો છે. તેમાં આવેલા ઐરાવત નામના ક્ષેત્રમાં ક્ષેમપરા નામની વિશાળ અને રમણીય નગરી છે. તે નગરીમાં વિપુલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા સત્ય, નીતિ અને દયાના ગુણો વડે શેભાયમાન છે. જેમ બાગ-બગીચાને રક્ષક માળી બગીચાનું રક્ષણ કરે તેમ માળી સમાન આ રાજા બાગ જેવી પ્રજાનું રક્ષણ કરે છે. અને જે અપરાધી હોય તેને ઉચિત શિક્ષા પણ કરે છે, તેથી આ રાજા તરફ કેઈને અણગમો નથી. પરંતુ દરેક પ્રજાજનની તેમના ઉપર ઘણી પ્રીતિ છે. ૩ ગુણિજનેને પૂજતો થઈ નમ્ર સ્મરતા નાથને, જિનગુણ પ્રશંસે દેવ ગુરૂ વિણ નમત ના તે અન્યને, ધ્યાનથી મનને તથા સ્વાધ્યાય કરીને જીભને, કરત પાવન પૂજના પ્રભુની કરી નિજ દેહને. ૪ સ્પાર્થ –આ રાજા ગુણવાન પુરૂની પૂજા કરે છે એટલે કે ગુણવાન લાયક માણસોની એગ્ય કદર કરે છે. વળી નમ્રતાપૂર્વક નાથનું એટલે શ્રી જિનેશ્વર દેવનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy