SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃતતીર્થકરનું છેલ્લા ભવનું સ્વરૂપ બે શ્લેકમાં જણાવે છે – અંત્ય ભવમાં બાલ્યથી પણ જ્ઞાન આદિ ગુણે ધરે, પ્રૌઢતાદિક દીપતા મુશ્કેલીઓ પરની હરે; યવને આસક્તિ ટાળી શુદ્ધ સંયમ પાલતા, પરીષહો સહતા સમ બને માન અપમાન થતા. ૨૮૧ સ્પષ્ટાથે–તે શ્રીભાવી તીર્થંકરના અંત્ય એટલે જે છેલલા ભવમાં તીર્થકર થઈને મોક્ષે જાય છે તે ભવમાં જન્મથી જ્ઞાન આદિ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન તેમજ સમ્યકત્વ વગેરે ગુણેને ધારણ કરે છે. અને પ્રૌઢતાદિક એટલે પ્રૌઢપણું વગેરે ગુણોથી દીપે છે અને બીજા જીવોની મુશ્કેલીઓને દૂર કરે છે અને જ્યારે તે તીર્થંકર દેવે યુવાવસ્થાને પામે છે, ત્યારે ગૃહસ્થપણામાં પણ વિષયાસક્તિ ભાવને દૂર કરે છે. અને યોગ્ય સમયે શુદ્ધ સંયમનું પાલન કરે છે. તથા પરીષહાદિને સહન કરે છે. તેમજ કે તેમનું બહુમાન કરે અથવા કેઈ તેમનું અપમાન કરે તે પણ તેઓ બંને ઉપર સમભાવ રાખે છે. પરંતુ એકના ઉપર રાગ ને બીજાની ઉપર છેષ રાખતા નથી. ૨૮૧ છાસ્થભાવે મૌન ધરતા સ્વપતારક થઈ અને, વિચરતા પુણ્યપ્રભાવે દેશના ઉપસર્ગને, ટાળે સ્વભાવે શાંતિ સમતાદિક ગુણેને ધારતા, શત્રને પણ બોધ આપી મુક્તિમાર્ગે જોડતા.. ૨૮૨ સ્પષ્ટાથે–દીક્ષા લીધા પછી પ્રભુ શ્રી તીર્થંકર દેવો જ્યાં સુધી છદ્મસ્થપણે વિચરે છે અથવા જ્યાં સુધી તેમને કેવલજ્ઞાન પ્રકટ થતું નથી ત્યાં સુધી મૌનને ધારણ કરે છે એટલે કેવલજ્ઞાન થયા પહેલાં કેઈને ઉપદેશ આપતા નથી. ત્યાર પછી કેવલજ્ઞાન પામીને સ્વપ૨ તારક થાય છે. એટલે પિતે તરે છે અને બીજા ભવ્ય જીને દેશનાદિથી તારે છે. તથા અચિંત્ય પુણ્યના પ્રભાવે તે મહાપુરુષો જ્યાં જ્યાં વિચરે છે, તે દેશ નગરાદિન રોગાદિ ઉપદ્રવને દૂર કરે છે. તેમજ સ્વભાવથી જ શાંતિ તથા સમતા વગેરે ગુણોને ધારણ કરે છે. વળી શત્રુઓને પણ બંધ એટલે ઉપદેશ આપીને મોક્ષમાર્ગમાં જોડે છે. ૨૮૨ જ પ્રભુ જીવન વાંચીને તેમાંથી સાર લેવા જણાવે છે – પ્રભુ જીવનને વાંચજો ને શાંતિથી જ વિચારજે, તત્ત્વ ચિત્ત ધારજે પ્રભુ માર્ગ માંહે વિચરજે, - આત્મગુણરંગી બની બીજા જનેને તારજે, પ્રભુજીવનના લાભ ઈમ મારી શીખામણ માનજે. ૨૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy