SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ २७७ ૩ર૬ [[ શ્રી વિજ્યપધસૂરિકૃતઅંત સમયે સહસ મુનિ સહ સમેતગિરિ નિવણને, પામતા સાદિ અનંતે ટાળતા જન્માદિને ઇંદ્રાદિ શોક ભરેલ હૃદયે અગ્નિ સંસ્કારાદિને, કરત દાઢા વહેંચતા દેવે ગ્રહે દંતાસ્થિને. સ્પષ્ટાર્થ –હવે પ્રભુ શ્રીસંભવનાથ પિતાને અંત સમય નજીક આવ્યો છે એમ જાણીને એક હજાર મુનિવરેના પરિવાર સાથે શ્રી સમેતશિખર ગિરિ ઉપર આવ્યા. ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા દેવાધિદેવ શ્રી સંભવનાથ યેગને રૂંધીને અાગી અવસ્થા પામ્યા. શિલેશી અવસ્થામાં અ–ઈ–ઉ–ઋ–લ ના ઉચ્ચારણ પ્રમાણુ કાલ સુધી રહીને બાકી રહેલા ચાર અઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને જન્મ મરણ દેહ કદિને દૂર કરીને સાદિ અનંત સ્થિતિવાળા મેશના અનંત સુખને પામ્યા. પ્રભુ શ્રી સંભવનાથ જે વખતે મોક્ષે ગયા ત્યારે સાદિ થઈ અને તેમને તે સ્થાન છોડીને કદી પણ ત્યાંથી ફરીથી સંસારમાં આવવાનું નથી, માટે તે અનંત સ્થિતિ કહેવાય. એમ મેક્ષમાં સાદિ અનંત ભાગે રહેવાનું હોવાથી પ્રભુની મેક્ષમાં સાદિ અનંત સ્થિતિ (કાળ) કહી. તે વખતે ઈન્દ્રાદિક દેવેએ શેક ભરેલા હદય વડે (ખિન્ન ચિત્ત) પ્રભુ શ્રીસંભવનાથ વિગેરેના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. (તીર્થંકર વગેરેના શરીરના અગ્નિસંસ્કાર વગેરેની સવિસ્તર બીના કેશના ચિંતામણિના બીજા ભાગમાંથી જાણી લેવી.) પછી સૌધર્મેન્દ્ર મહારાજ વગેરે પ્રભુ શ્રીસંભવનાથ વગેરેની દાઢા વગેરે અવયવો વહેંચી લે છે. અને બીજા દે પ્રભુ શ્રીસંભવનાથ વગેરેના દાંત તથા અસ્થિ (હાડકાં) વહેંચી લે છે. ર૭૭ પ્રભુના નિર્વાણ અંગે દે નંદીશ્વર દ્વીપે જઈને અષ્ટાહિકા ઓચ્છવ કરે છે વગેરે બીના જણાવે છે – નંદીશ્વરે ઓચ્છવ કરી જઈ સ્વર્ગ દાઢા આદિને પૂજતા નિત વિન છેદી અનુભવે સુખ શાંતિને વર્ણવ્યા કલ્યાણક ઈમ પાંચ સંભવનાથના, કલ્યાણ કારણ એહને આરાધજે હે ભવિના! સ્પષ્યા-ત્યાર પછી ઈન્દ્રાદિક દેવે આઠમ નંદીશ્વર નામના દ્વીપને વિષે જઈને ત્યાં પ્રભુ શ્રીસંભવનાથના નિર્વાણ કલ્યાણકને (મેક્ષ ગમન નિમિત્તે) ઓચ્છવ કરે છે. ઓચ્છવ કરીને ત્યાંથી સ્વર્ગમાં પોતપોતાના સ્થાનકે જાય છે. ત્યાં તેઓ પ્રભુની દાઢા અસ્થિ વગેરેને પૂજે છે. કારણ કે દાઢા વગેરેના પૂજનાદિથી દેવલોકમાં તમામ વિદનપદ્રવન નાશ થાય છે અને સુખ શાન્તિની વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે મેં સંભવનાથ પ્રભુના પાંચે કલ્યાણકોનું બહુજ ટૂંકામાં વર્ણન કર્યું. હે ભવ્ય જી! તમે પણ તમારા (આત્માના) કલ્યાણને માટે પરમ ઉલાસથી આ કલ્યાણુકેની સાત્વિકી આરાધના કરજે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy