SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ દાનાચિંતામણિ કુંપ સેવન કરજો. એટલે પાંચ મહાવ્રતા અથવા પાંચ અણુવ્રતાનુ શક્તિ પ્રમાણે આરાધન કરો. કારણ કે તેનું આરાધન કરવાથી મુક્તિ મહેલમાં શાશ્વતા આત્મિક આનંદને મેળવશે અથવા તમા સાક્ષનાં સુખાને પામશેા. ૨૭૪ પ્રત્યક્ષ પ્રભુ દેખનારા દેશના સુણતાં જના, પ્રભુ કને શિવમાર્ગ કેરી સાધના કરતા જી; પ્રભુ ગુણાજ વિચારનારા ખોલનારા ગુણિજને, ક્ત પ્રભુના ધન્ય માનું ધન્ય દિન મુજ આજના. ૨૭૫ સ્પષ્ટાઃ—જે મહાપુણ્યવ'તા ભવ્ય જીવા પ્રભુની દેશના સાંભળે છે અને જે પ્રભુ શ્રી સંભવનાથને પ્રત્યક્ષ ( નજર સામે ) જુએ છે. તથા જે ભન્ય જીવા પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કરીને મેાક્ષ માગની એટલે જ્ઞાન દન ચારિત્રની સાધના કરે છે. તેમજ જે આસન્નસિદ્ધિક પુણ્યશાલી જીવેા પ્રભુ શ્રી સંભવનાથના ગુણ્ણાના વિચાર કરે છે અને પ્રભુ દેવના ગુણાની સ્તવના કરે છે અથવા પ્રભુના ગુણાની પ્રશંસા કરે છે. તથા આ પ્રભુદેવના જે ભક્ત (ભક્તિ કરનારા) છે તે તમામ ભગજીવાને હું ધન્ય માનું છું, અને હું મારા આજના આ દિવસને ધન્ય માનું છું. ૨૭૫ ગણધરની દેશનાની પૂર્ણતા પછી પ્રભુનેા વિહારકાલ જણાવે છેઃ— એમ આપી દેશના શ્રી ચારૂ ગણધર વિરમિયા, બેઉ પ્રણમી સુર નૃપાદિક નિજ નિજ સ્થાને ગયા; ચોત્રીશ અતિશયવંત પ્રભુ પરિવાર સહ અન્ય સ્થલે, વિચરતા સાધિક પૂરવ લખ એક વિહરણ ભૂતલે, ૨૭૬ સ્પષ્ટા :—શ્રી ચારૂ ગણધર મહારાજ આ રીતે દેશના આપીને વિરામ પામ્યા, ત્યારે બીજી પેરિસી પણ પૂરી થઈ. પછી પ્રભુ શ્રીસંભવનાથ તથા શ્રીચારૂગણધર એ અનેને પ્રણામ કરીને એટલે સપરિવાર પ્રભુદેવને નમીને ઇન્દ્રાદિક દેવા તથા રાજા વગેરે પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી ચાત્રીસ અતિશયાને ધારણ કરનારા પ્રભુ શ્રીસ`ભવનાથ ભગવાન પરિવાર સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. એ પ્રમાણે પૃથ્વી ઉપર વિહાર કરીને ભન્ય જીવાને પ્રતિષેધ કરતા કરતા શ્રીસ'ભવનાથ પ્રભુ કંઈક અધિક એક લખ પૂર્વી સુધી વિચર્યો. આ પ્રસંગે પ્રભુના પરિવાર વગેરેની સંખ્યા કેટલી હતી ? અને કેટલા કેવલી મુનિવરો હતા? તથા કેટલા ચૌદ પૂર્વી એ હતા ?તેમજ કેટલા મનઃ૫ વજ્ઞાનીએ હતા ? વગેરે તમામ હકીકતા પહેલાં શ્રીચારૂગણુધરે શ્રી સ’ભવનાથ પ્રભુના ૧૭૦ ખેલની અંદર વિસ્તારથી કહી છે તેથી અહીં ફરી જણાવી નથી. ૨૭૬ પ્રભુ સભવનાથની મેતશિખર ઉપર નિર્વાણની મીના, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy