SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] ૩૧૫ દંભને-માયા કપટને ત્યાગ કરજો. અને પ્રાણાતિપાત મૃષાવાદ વગેરે ૧૮ પાપનાં સ્થાનકેને ત્યાગ કરો. પૂજ્ય શ્રીચારૂ ગણધરે આ લેકની શરૂઆતમાં કહેલ મહાપ્રભાવક શ્રી નવકાર મંત્રના સ્મરણાદિકનું સ્વરૂપ-(૧) જિનદાસ (૨) શિવકુમાર (૩) ચેર, (૪) શ્રીમતી (પ) ગોવાળ (શીલવીર શ્રી સુદર્શન શેઠને પૂર્વભવને જીવ), અને (૬) હુંડિક ચક્ષના દષ્ટાંતો સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું. નવકાર ગણવાને કાળ અને તેનું ફળ કહે છે. તુર્થે યામે ત્રિયામાયા, બ્રાહ્મ મુહૂર્ત કૃતઘમાં મુંચેન્નિદ્રા સુધી પંચપરમેષિસ્તુતિ પડે છે અર્થ –“ રાત્રિના ચોથા પહોરે બ્રાહ્મ મુહૂર્તમાં (ચાર ઘડી રાત્રિ બાકી હોય તે વખતે) સદબુદ્ધિવાળા પુરૂષે ઉઠવાને ઉદ્યમ કરી નિદ્રા છોડી દેવી અને પંચપરમેષિની સ્તુતિ કરવી.” શ્લેકનું રહસ્ય એ છે કે નિદ્રાના વશપણાથી કદી રાત્રિના ચોથે પહોરે ઉઠી ન શકાય તે પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યપણે ચૌદમા બ્રાહ્મ મુહૂર્તમાં તે ઉઠવું. પછી શમ્યાનાં વસ્ત્ર તજી દઈ બીજા શુદ્ધ વસ્ત્ર પહેરવાં. પછી પવિત્ર ભૂમિ ઉપર ઉભા રહી અથવા બેસી યા પદ્માસન કરી શ્રાવકે ઈશાન દિશા તરફ રહીને જાપ કરો. જાપના ત્રણ પ્રકાર છે-૧ ઉત્કૃષ્ટ ૨ મધ્યમ અને ૩ જઘન્ય. તેમાં પદ્માદિ વિધિવડે કરવામાં આવે તે ઉત્કૃષ્ટ છે, અને જપમાળાથી કરવામાં આવે તે મધ્યમ છે. પદ્માદિ વિધિ આ પ્રમાણે–ચિત્તની એકાગ્રતા થવાને માટે હદયમાં અષ્ટદળ કમળ સ્થાપિત કરવું, તેની મધ્ય કર્ણિકામાં પ્રથમ પદ, પૂર્વાદિ ચાર દિશાઓમાં બીજું ત્રીજું ચેાથું અને પાંચમું એ ચાર પદ, અને અગ્નિ વિગેરે ચાર વિદિશાઓમાં બાકીના ચાર પદની સ્થાપના કરવી. પછી તે ક્રમ પ્રમાણે જાપ કરવો તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે. જપમાળા (નવકારવાળી) વિગેરેથી જે જાપ કરવો તે તેથી ન્યન મધ્યમ જાપ કહેવાય છે. ઉત્કૃષ્ટ જાપનું મોટું ફળ છે. તે વિષે રોગશાસામાં ત્રિશુક્યા ચિંતન્નસ્ય, શતમષ્ટોત્તર મુનિ શું જાડપિ લભત્યેવ, ચતુર્થતપસ ૧ . ત્રિકરણ શુદ્ધિવડે એકસે આઠ વાર ઉપર બતાવ્યા પ્રમાણે ( અષ્ટ દળ કમળની સ્થાપના કરીને ) જાપ કરનાર મુનિ ભોજન કરતાં છતાં પણ ચતુર્થ તપ ( ઉપવાસ )નું ફળ પામે છે. ” હવે જઘન્ય જાપનું સ્વરૂપ કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy