SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ | શ્રી વિજયપદ્યસરિત આપ્યું તેનું પ્રમાણ (૫૭) તથા લેકાંતિક દે (૫૮) પ્રભુને તીર્થ પ્રવર્તાવવાને વિનંતિ કરવા આવે છે તે બે બાબતે શ્રી અજિતનાથ પ્રભુની પેઠે સમજવી. ૨૫૪ શ્રાવસ્તી ૯ સહસા અશેકે માગશર સુદ પૂનમે,ર મૃગશીર્ષક મિથુને પશ્ચિમાન્હપ છટ્રક તપ પાશ્ચમવયે ૧૭ શ્રેષસિદ્ધાથ૮ સહસયુત ૯ પંચ મુષ્ટિક લોચને, કરતા ગ્રહી ચારિત્ર પામ્યા તેજ ક્ષણ મણનાણને ૭૧ ર૫૫ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રીસંભવનાથે શ્રાવસ્તી નગરીના (૫૯) સહસ્ત્રાગ્ર નામના (૬૦) ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે (૬૧) માગસર સુદ પુનમને દિવસે (૬૨) જ્યારે મૃગશીર્ષ નામે નક્ષત્ર (૬૩) અને મિથુન રાશિ (૬૪) ને ચંદ્રમા હતો, ત્યારે પશ્ચિમન (૬૫) એટલે દિવસના પાછલા અર્ધ ભાગમાં ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે તેમણે છ તપ એટલે બે ઉપવાસન (૬૬) તપ કર્યો હતો. પ્રભુએ આયુષ્યના પાછલા ભાગમાં (૬૭) દીક્ષા લીધી. તે વખતે ઉત્તમ સિદ્ધાર્થી (૬૮) નામની પાલખીમાં બેસીને એક હજાર પુરૂષોની (૬૯) સાથે દીક્ષા લીધી હતી. અને તે વખતે તેમણે પિતાના હાથેજ પંચમુષ્ટિ લોચ (૭૦) કર્યો તથા પ્રભુએ જે વખતે ચારિત્ર લીધું તેજ વખતે તેમને ચેાથું મનઃ પર્યવજ્ઞાન (૭૧) ઉત્પન્ન થયું હતું. ૨૫૫ સુરદૂષ્યર ચાવજીવક શ્રાવસ્તીપુરી ૪ બીજે દિને, સુરેન્દ્રદત્ત પરમાન્નછ દાને તેજ ભવ લહે મુક્તિને આઘભિક્ષા દિવ્ય૩૯ વસુધારા પ્રમાણ અજિત પરે, ઉત્કૃષ્ટ તપ અડ-૧ માસ દ્રવ્યાદિ ચઉ અભિગ્રહને ધરે. ર૫૬ સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભા ઉપર દેવદૂષ્ય (૭૨) વસ્ત્ર મૂકયું. તે વરુ પ્રભુના ખભાને વિષે ચાવજ જીવ (૭૩) એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી રહ્યું. શ્રાવસ્તી નગરીમાં (૭૪) દીક્ષાના દિવસથી પછીના બીજે દિવસે (૭૫) પ્રભુએ સુરેન્દ્રદત્ત રાજાએ (૭૬) હેરાવેલ પરમાત્ર એટલે ખીર વડે (૭૭) પારણું કર્યું. તે દાનના પ્રભાવથી સુરેન્દ્રદત્ત રાજા તેજ ભવમાં મોક્ષના સુખને (૭૮) પાગ્યા. પ્રભુએ ભિક્ષા ગ્રહણ કરી તે વખતે પાંચ દીવ્ય (૭૯) તથા વસુધારા એટલે નૈયા વગેરેની વૃષ્ટિનું પ્રમાણ (૮૦) એ બે બાબતે શ્રી અજિતનાથ પ્રભુની પેઠે સમજવી. અને પ્રભુ શ્રીસંભવનાથના સમયે આઠ માસ (૮૧) પ્રમાણ ઉત્કૃષ્ટ તપ હતું એમ જાણવું. તથા પ્રભુએ દ્રવ્યાદિક ચાર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે અભિગ્રહ (૮૨) ધારણ કર્યા હતા, ૨૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy