SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ [ શ્રી વિજયપધસૂરિકૃતપલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વિંધ્યાચલ પર્વતની સમીપે વેલ નામના ગામમાં સમા નામે કેઈ બ્રાહ્મણની રૂપવતી પુત્રી થશે, તેને કઈ રાષ્ટ્રકુટ નામને બ્રાહ્મણ પરણશે, ત્યાં તેને યુગલ સંતાન ઉત્પન્ન થશે, એમ દર વર્ષે બબે સંતતિ ઉત્પન્ન થતાં સેળ વર્ષમાં બત્રીશ પુત્ર પુત્રીને સમુદાય થશે. બાળકમાં કઈ તેની પીઠ ઉપર અને કઈ માથા ઉપર ચડી જશે, કઈ પ્રહાર કરશે, કઈ ખાવાનું માગશે, કેઈ ઉસંગમાં મૂત્રાદિક કરશે, એમ રાત્રીદિવસ પુત્રોનાં દુઃખથી પીડા પામીને ઘણે ઉદ્વેગ પામી તે મનમાં વિચાર કરશે કે “મારા કરતાં વંધ્યા સ્ત્રી સારી છે, કે જે સુખે રહે છે અને નિરાંતે ઊંઘે છે.” પછી એકદા સાધ્વીના સંઘાડાને અન્નાદિ હેરાવતાં તેને જાતિસ્મરણ ઉત્પન્ન થશે; તેથી પિતાને પૂર્વ ભાવ જાણીને તે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરશે. પછી અગીઆર અંગને અભ્યાસ કરી સર્વ જનેની સમક્ષ પિતાના પૂર્વભવનું ચરિત્ર પ્રગટ કરી અંતે એક માસના અનશનથી કાળધર્મ પામીને બે સાગરોપમના આયુષ્યવાળો દેવ થશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. સુભદ્રા સાધ્વી સ્વાયાયાદિક ક્રિયામાં પ્રવર્તતાં છતાં પણ બાળકને જોઈને તેના પરના મે હથી સ્વાધ્યાયાદિ ક્રિયામાં શિથિલ થઈ તે તેનું ખરાબ ફળ બીજા મનુષ્યભવમાં ભેળવીને પછી તેની આલોચના કરી પ્રાંતે મુક્તિ પામી.” આ રીતે સ્વાધ્યાયાદિનું વરૂપ સમજીને ભણવા વગેરેમાં જરૂર ઉદ્યમ કરે. બાકીની બીના સરલ છે. ૧૯૬. ગુણવંત ગુરૂ છે વૈઘ ઔષધ જિનસ્વરૂપની ભાવના, જીવ દયાદિક પથ્થભેજન સેવને ત્રણ હેતુના ભાવ રેગ ટળેજ એથી દ્રવ્ય રોગ પ્રશામીએ, એહ રીતે વર્તીએ તે સિદ્ધિના સુખ પામીએ. ૧૯૭ સ્પષ્ટાર્થ-છત્રીસ વગેરે ગુણવાળા ગુરૂઓ, તે વૈદ્ય જેવા છે. જેમ વૈદ્ય રોગીને ઔષધ આપે છે તેમ તેઓ જિન સ્વરૂપ એટલે જિનેશ્વર ભગવંતના સ્વરૂપની વિચારણા રૂપ દવા સંસારી જી રૂપી રેગી જનેને આપે છે. ઔષધની સાથે જેઓ પચ્ચ ભેજનનું સેવન કરે તેમના રેગ જેમ નાશ પામે છે, તેવી રીતે આ સંસારરૂપી રેગને મટાડવાને માટે જીવદયાદિક એટલે અહિંસા, સત્ય વગેરેનું પાલન કરવું તે પચ્ચ ભેજન જાણવું. એવી રીતે શુદ્ધ ગુરૂ રૂપી વૈદ્ય, જિન સ્વરૂપની ભાવના વગેરે સ્વરૂપ ઔષધ અને જીવદયા રૂપ પચ્ચ ભેજનના સેવનથી સંસારમાં રખડવા રૂપ ભાવ રોગોને નાશ જરૂર થાય છે. ભાવગ ટળવાથી એટલે દૂર થવાથી દ્રવ્યોગે પણ શાંત પડી જાય છે. આ પ્રમાણે ગુણવંત ગુરૂના વચન ઉપર શ્રદ્ધા રાખીને જિનસ્વરૂપની ભાવના કરવા પૂર્વક જીવ દયા વગેરેનું પાલન કરનાર ભવ્ય જરૂર સિદ્ધિના સુખને પામે છે. ૧૭ - હવે ઋષભદેવ સંબંધી ઉપગી ૧૭૦ બાબત ૨૮ શ્લોકમાં જણાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy