SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૮૧ બીજું કાંઈ બોલતા નથી. ત્યારે સુભદ્રા બેલી કે “ તે ધર્મ કહો.” ત્યારે તે સાધ્વીએાએ સારી રીતે ધર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સુભદ્રા બોધ પામી. પછી અપુત્રપણાના દુઃખથી પીડાયેલી તે સુભદ્રાએ કેટલેક કાળે પતિની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરતાં તે સ્વાધ્યાયમાં તત્પર રહેતી, પણ રુપવંત એવાં બાળકને દેખીને મેહના વશથી તે પિતાના ઉદર પર, ખોળામાં, હૃદય ઉપર અને જઘા ઉપર તેમને બેસાડતી, તથા કેટલાંક બાળકને આંગળીને આધાર આપીને જમાડતી અને કેટલાંકને સુખડી વિગેરે ખાવાનું પણ આપતી. કહ્યું છે કે – કેસિં પિ દેઈ ખજું, અનેસિં ભુજ્જયમન્વેસિં અદ્ભુગઇ ઉવટ્ટઇ, હાઈય તહ ફાસુઅજલેણ ૧ છે ધાઈકસ્માઈઆ, જે દેસા જિણવહિં ઈહ ભણિયા ઈહલોઅ પારલોઈએ, દુકખાણ નિબંધણ એએ ૨ અર્થ—“ કેઈ બાળકને ખાવાનું આપે, કેઈને ખવરાવે, કેઈને અત્યંગન (લૈલાદિનું ચળવું ) કરે, ઉવટ્ટણું કરે, તેમજ અચિત્ત જળવડે ન્હાવરાવે, ઈત્યાદિ ધાતુકર્મ (ધાવ્ય માતાએ કરાતાં કાર્ય )થી જે દે જિનેશ્વર ભગવંતે કહેલા છે તે આ લેકમાં ને પરલોકમાં દુઃખના નિબંધનભૂત ( કારણભૂત ) જાણવા” ૧-૨ આ પ્રમાણે સુભદ્રા સાધ્વીની ચેષ્ટા જોઈને બીજી વૃદ્ધા(સ્થવિર, ઘરડી)એ શિખામણ આપી કે “ તને આમ કરવું ઘટતું નથી, સ્વાધ્યાયાદિક ક્રિયામાં તું કેમ પ્રમાદ કરે છે? મુનિઓ તે દ્રવ્ય અને ભાવથી બાળક સાથેની ક્રીડા અથવા તેની ( કીડાની) ઈચ્છાને ત્યાગ કરીને નિરંતર અધ્યાત્મ( મોક્ષમાર્ગની આરાધના )માંજ આસક્ત હોય છે.” તે સાંભળીને સુભદ્રા અતિ ક્રોધ કરીને બીજા ઉપાશ્રયમાં ગઈ, ત્યાં નિરંકુશ થઈને મરજી પ્રમાણે બાળકની સાથે ક્રીડા કરવા લાગી. છેવટે પાક્ષિક અનશનથી કાળ કરીને પ્રથમ સ્વર્ગમાં દેવીપણે ઉત્પન્ન થઈ. એકદા તે સુભદ્રા દેવી શ્રી મહાવીર સ્વામીને વાંદવા માટે સર્વ સમૃદ્ધિ સહિત આવી, ત્યાં પણ પૂર્વના અભ્યાસથી તેમજ બાલક પરના રાગથી ઘણાં બાળકે વિમુવીને નાટક કરી તે પોતાના વિમાનમાં ગઈ. તેના ગયા પછી શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન! આ દેવતાએ ઘણાં બાળકને શા માટે વિકુવ્યં?” જિનેશ્વરે કહ્યું કે “હે ગૌતમ ! એ બહુપુત્રિકા નામની દેવી છે. તેણે પૂર્વ ભવના ( રાગના ) અભ્યાસના વશથી અહીં પણ બાળકે વિકએં હતાં, કેન્દ્રની સભામાં પણ તેણે નૃત્ય કરતી વખતે ઘણાં બાળકે વિકુભ્ય હતાં, તેથી તે દેવી બહુપુત્રિકા નામથી પ્રસિદ્ધ થઈ છે.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેને પૂર્વ ભવ પૂછયો, એટલે સ્વામીએ સર્વ વૃત્તાન્ત (વર્ણન) કહ્યો. ગૌતમસ્વામીએ “હવે પછી તે કયાં જશે?” એવો પ્રશ્ન કર્યો, ત્યારે પ્રભુ બોલ્યા કે “એ દેવી ચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy