SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ]. ૨૭૯ (૪) ચેાથે અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સૂત્રાર્થને મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે. કાયોત્સર્ગાદિકમાં અને અસ્વાધ્યાય દિવસે મુખે પરાવર્તન થઈ શકે નહી, માટે તે વખતે અનુપ્રેક્ષાવડે જ ત જ્ઞાનની સ્મૃતિ વિગેરે થાય છે. પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફલદાયી છે; કેમકે અભ્યાસના વશથી મનનું શૂન્યપણું છતાં પણ મુખવડે પાર્વતના થઈ શકે છે, અને અનુપ્રેક્ષા તો મન સાવધાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રની આરાધના વિગેરેમાં સ્મરણ (અનુપ્રેક્ષા) થી જ વિશેષ સિદ્ધિ થાય છે. કહ્યું છે કે – સંકુલાદ્ધિજને ભવ્ય, સશબ્દાત્મૌનવાનું શુભ મૌનજાન્માનસ શ્રેષ્ઠ, જાપલાણ પર પર છે અર્થ–“ઘણા માણસમાં રહીને જાપ કરવો તે કરતાં એકાંતે જાપ કરે તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ધારણ કરીને કરે તે શ્રેષ્ઠ છે, મૌન જપ કરતાં પણ મનથી જાપ કરે તે શ્રેષ્ઠ છે. એવી રીતે ઉત્તરોત્તર જપ વખાણવા લાયક છે.” વળી સંલેખના, અનશન વિગેરે કરવાથી બહુ ક્ષીણું શરીરવાળા થઈ જવાને લીધે પરાવર્તનાદિક કરવાની શક્તિ જ્યારે રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વિગેરે નિત્યક્રિયા થાય છે અને તેથી જ ઘાતકર્મને ક્ષય થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ને પ્રાંતે સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. (૫) પાંચમે ધર્મકથા નામને સ્વાધ્યાય છે. ધર્મકથા એટલે ધર્મને ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. તે ધર્મ કથા નંદિષેણ ઋષિની જેમ કરવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચનાના ગ્રંથમાં કહ્યું છે કે “એકાસણાને ભંગ થાય તે પાંચસે નવકાર ગણવા. ઉપવાસને ભંગ થાય તે બે હજાર નવકાર ગણવા. નીવીને ભંગ થાય તે છો ને સડસઠ નવકાર ગણવા. આંબિલનો ભંગ થાય તે એક હજાર નવકાર ગણવા. ચોવિહારને ભંગ થાય તે એક ઉપવાસ કરવો, તથા હમેશાં એકસે નવકાર ગણવાથી વર્ષે છત્રીસ હજાર નવકારને સ્વાધ્યાય થાય છે. હંમેશાં બસો નવકાર ગણવાથી એક વર્ષે બેતેર હજાર અને હંમેશાં ત્રણસો ગણવાથી એક વર્ષે એક લાખ અને આઠ હજાર નવકારને સ્વાધ્યાય થાય છે. ઈત્યાદિ પિતાની મેળે જાણી લેવું.” આવી રીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહે છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy