SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ [ શ્રી વિજ્યપધસૂરિકૃત સ્વાધ્યાયનું સ્વરૂપ છે સ્વાધ્યાય પંચધા પ્રોક્તો, મહતનિર્જરાકર તપત્તિનેન સ્યાત-સત્કૃષ્ટસ્તતેડીંતા છે ? અર્થ–સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે કર્મની મોટી નિર્જરાના કરનારા છે. એના વડે તપની પૂર્ણતા થાય છે. માટે જ અરિહંતે તે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહેલો છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે, તેમાં (૧) પહેલો ભેદ વાચના છે. વાચન એટલે સૂત્ર અને અર્થને અભ્યાસ કરે અને કરાવવો તે. તે પ્રકાર વાસ્વામી અને ભદ્ર બાહુસ્વામી વિગેરેની જેમ નિરંતર કરવો. (૨) બીજે પૃચ્છના નામને સ્વાધ્યાય છે. સૂત્ર તથા અર્થ સંબંધી સંદેહ દૂર કરવા માટે અને તેને હૃદયમાં દઢ કરવા માટે બીજા વિશેષજ્ઞાનીને પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના ચિલાતિપુત્ર, મહાબલનો જીવ, સુદર્શન શેઠ અને હરિભદ્ર બ્રાહ્મણ વિગેરેની જેમ અવશ્ય કરવી. (૩) ત્રીજો પરાવર્તન નામને સ્વાધ્યાય છે. ભણી ગયેલા સૂત્રાદિક વિસરી ન જવાય માટે તેનું વારંવાર ગણવું આવૃત્તિ કરવી તે પરાવર્તન કહેવાય છે. તે અતિમુક્તક તથા ક્ષુલ્લક ઋષિની જેમ કરવું, તથા વણકરની જેમ વિસ્તારવું. કેઈ એક વણકર પાંજણ પાતાં તે તંતુઓના પ્રાંત ભાગને પકડીને બંને છેડે ઉભી રહેલી પિતાની બે સ્ત્રીઓ પાસે જ્યારે જ્યારે તે ત્યારે ત્યારે કુચમર્દન તથા અધરચુંબનાદિ કરતું હતું. તેની આ પ્રમાણેની ચેષ્ટાને માર્ગે જતા કોઈ મુનિએ જોઈ, એટલે તે ઉભા રહ્યા. તે વખતે વણકર મુનિને કહ્યું કે “હે સાધુ! તમે શું જુએ છે? આવું સુખ તમે કયાંઈ જોયું છે? તમારે તે સ્વપ્નમાં પણ આવું સુખ કયાંથી હોય? આ પ્રમાણે અભિમાનવાળું તેનું વચન સાંભળીને મુનિએ અવધિજ્ઞાનને ઉપયોગ દીધે. તેથી તે વણકરનું માત્ર એક ક્ષણનું જ આયુષ્ય બાકી રહેલું જેઈને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “હે ભદ્ર ! કેટલી વખત જીવવા માટે આવી કામચેષ્ટા કરે છે ? તારું આયુષ્ય તે હમણાં જ પૂર્ણ થવાનું છે. તે સાંભળીને વણકર ભય પામીને બે કે “ત્યારે તમે મને કોઈ પણ જીવવાને ઉપાય કહો.” પછી મુનિએ તેને નવકાર મંત્ર આપ્યો. તે મંત્રને એક વાર ગણીને તેનું પરાવર્તન કરતા તે મૃત્યુ પામીને સ્વગે ગયે. પિતાના પતિનું અકસ્માત મૃત્યુ જોઈને તેની સ્ત્રીઓએ મુનિને કલંક ચડાવ્યું કે “તમે મારા સ્વામીને મૂઠ વિગેરે પ્રયોગથી મારી નાંખે.” મુનિએ તેમને ઘણો ઉપદેશ તથા શિખામણ આપી, પણ તે સ્ત્રીઓએ પિતાને કદાગ્રહ છોડે નહી, અને ગામના લોકોને ભેળા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણ તે દેવના આગમનની રાહ જોતાં ત્યાં જ ઉભા રહ્યા. એટલામાં તે વણકર દેવ પિતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યું, અને ગામના લોકેને તથા પિતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી, ગુરુને નમી તથા સ્તવને સ્વર્ગે ગયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy