SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દશનાચિંતામણિ ] ૨૭૩ નારે હજુ શંખ પણ વગાડ નથી, કુકડાઓ પણ બેલતા નથી. આપેજ અમને શીખવ્યું છે કે “રાત્રીજનથી મૂળ ગુણની હાનિ થાય છે માટે આ વખતે ભિક્ષા લેવા જવું યોગ્ય નથી. લોકે પણ હજુ સુતા છે.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “હે શિષ્ય! શંખ પિતાના પિતા સમુદ્રને મળવા ગયો છે, સૂર્યને રથ ભાંગી ગયે છે, અને કુકડા પણ ઉડીને બીજે ઠેકાણે આકાશમાં ગયા છે. કહ્યું છે કે – “ઉયહિં સરેવિણ શંખ ગય, કુષ્ઠ ગયા નહંસિ રહ ભગ્ગો સૂરય તણે, તેણ ન વિહાઈ રત્તિ” | ૧ | અથ_“શંખ સમુદ્રને મળવા ગયા છે, કુકડા આકાશમાં ગયાં છે, અને સૂર્યને રથ ભાંગી ગયા છે, તેથી રાત્રી વીતી ગઈ જણાતી નથી.” આ પ્રમાણે સાંભળીને સાધુઓ બોલ્યા કે “આપ જે કહે છે તે સત્ય છે, પણ ક્ષુધાતુર માણસે શું શું કરતા નથી? જુઓ! પંચ નશ્યક્તિ પાક્ષિ, સુધાર્તયે ન સંશય: તે લજજા મતિજ્ઞાનં, મદાપિ પંચમ ૧ છે અર્થ–“હે કમળના સરખા નેત્રવાળી સ્ત્રી ! ક્ષુધાતુર માણસનું તેજ, લજજા, બુદ્ધિ, જ્ઞાન અને પાંચમો કામદેવ-એ પાંચે વાનાં નાશ પામે છે, એમાં કાંઈ સંદેહ નથી.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “મેં સુધાની પીડાથી આવું કહ્યું છે, તેથી મને તેને મિથ્યાદુકૃત છે.” એ પ્રમાણે નિષ્કપટપણે સર્વની સમક્ષ પોતાનું પાપ આલેચીને સૂરિ એ ચિત્ત દઢ કર્યું. પછી પ્રાતઃકાળે પણ પોરિસીનું પચ્ચકખાણ કરીને ત્યાર પછી પારણું કર્યું.” ત્રિીજા ગુણવ્રતની આલોચના આ પ્રમાણે છે-શત્રુને ઘાત, રાજાપણાની પ્રાપ્તિ, ગામને ઘાત, અગ્નિ લગાડવાની વૃત્તિ અને હું વિદ્યાધર થાઉં તો ઠીક એવી ઈચ્છા ઈત્યાદિ દુર્બાન કર્યું હોય, “બળદોને દમન કરે, ખેતર ખેડે, ઘોડાઓને કેળવો, હાંકે” ઇત્યાદિ પાપકર્મનો ઉપદેશ કર્યો હોય તો જઘન્યથી એક ઉપવાસ, અને અહંકારથી તેમ કર્યું હોય તો દશ ઉપવાસ. ઢઢણુ ઋષિને જીવ જે પૂર્વ ભવે પુરહિત હતા, તેણે પોતાના ખેતરમાં ૫૦૦ હળવડે એકેક ચાસ વધારે ખેડાવ્યો હતો અને તેથી દેઢ હજાર પ્રાણીએને ભેજનને અંતરાય થયો હતો. તે પાપની આલોચના કરી નહી, તેથી મુનિના ભવમાં તેમને છ મહિને નિર્દોષ આહાર મળ્યો હતો. હળ, યંત્ર, ઉખળ (ખાંડણી), મુશળ (સાંબેલું), ઘંટી, ઘાણી વિગેરે હિંસા થાય તેવી વસ્તુ આપવાથી તથા જિનચૈત્યમાં વિલાસાદિક કરવાથી જઘન્ય એક ઉપવાસ અને ૧ પાંચસે હળ ખેડનારા ૧૦૦૦ બળદ ને તેને હાંકનારા ૫૦૦ માણસો. ૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy