SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપધરિતદર્પથી કરે તે દશ ઉપવાસ. કામણ, વશીકરણ વિગેરે કરવાથી દશ ઉપવાસ. સવર, કહ, તળાવ વિગેરે જળાશયનું શેષણ કરાવવાથી અને દાવાનળ લગાડવાથી દશ ઉપવાસ. કઈ સ્થાનકે આ બાબતમાં એકસો ને આઠ ઉપવાસ પણ કહેલા છે. પહેલા શિક્ષાવ્રતમાં સામાયિક કરવાનો નિયમ હોય અને ન કરે તે એક ઉપવાસ ગઠિ સહિત, સામાયિકનો ભંગ થયું હોય તો એક નવી, પર્વતિથિએ આરંભની જયણા ન કરે તે એક પુરિમ, સામાયિકમાં બાદર અપકાય પૃથ્વીકાય અને તેજસ્કાયને સ્પર્શ થાય તે એક આંબિલ, સામાયિકમાં ભીના વસ્ત્રને સ્પર્શ થાય તો એક પુરિમઠું, લીલાં તૃણાદિકનું તથા બીજાદિકનું મર્દન કરે તો એક આંબિલ, પુરુષને સ્ત્રીને સ્પર્શ થાય અથવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય તે એક આંબિલ. આંતરા પૂર્વક સ્પર્શ થાય તે એક નીવી, તેમના વસ્ત્ર વિગેરેનો સ્પર્શ થાય તો એક પુરિમટ્ટ, સુતા સુતાં રાજકથા કરે તે એક પુરિમઠ્ઠ, સાધુને સ્ત્રીને સ્પર્શ થાય તો જઘન્યથી એક પુરિમટ્ટ, મધ્યમ એકાસણું અને ઉત્કૃષ્ટ એક આંબિલ, સર્વ અંગને સ્પર્શ થયો હોય તે દશ ઉપવાસની આલોયણ આવે છે. સાવદ્ય સૂરિએ સાધ્વીના વસ્ત્રને સંઘટ્ટ થયા છતાં તે પાપની આલોચના કરી નહી, તેથી તે અનન્ત દુઃખ પામ્યા; માટે તત્કાળ તેની આલોચના કરવી કે જેથી અલ્પ તપવડે તે કર્મને નાશ થાય. દેશાવકાશિક નામના દશમા વ્રતને ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગે તો એક આંબિલની આલોયણ આવે છે. કાકજંઘ રાજાની જેમ અવશ્ય એનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. અગિયારમા વ્રતમાં લીધેલા નિયમનો ભંગ કરે અથવા બરાબર નિયમ પાળે નહી તો એક ઉપવાસ, અને અતિચાર લાગે તો એક આંબિલ. તેમજ આવસહી નિસિપી બરાબર ન કહે, ઉચ્ચાર અને પ્રસવણની ભૂમિને ન પ્રમાજે, પ્રમાર્યા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે, અવિધિએ બારણાં ઉઘાડે અથવા બંધ કરે, શરીરને પ્રમાર્યા વિના ખજવાળે, ભીંત પુજ્યા વિના તેને ટેકે દઈને બેસે, ગમનાગમન ન આવે, વસતિને પ્રમાર્યા વિના સજઝાય કરે, કેવળ કામળી જ પહેરે, જળ અગ્નિ વિજળી અને પૃથ્વીકાયને સંઘટ્ટ કરે, ઈત્યાદિકના પ્રાયશ્ચિત્ત બદલ પ્રત્યેકે જઘન્યથી પણ નીવીની આલોયણ આવે છે. કાજે ઉદ્ધરે નહી અથવા બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તે જઘન્ય એક પુરિમટ્ટ, અને ઉત્કૃષ્ટ એકાસણું. પૌષધમાં વમન થયું હોય, કારણ વિના દિવસે શયન કર્યું હોય અને જમ્યા પછી વાંદણ ન દીધાં હોય તો પ્રત્યેકે એક એક આંબિલ. મુખવસ્ત્રિકાના સંઘટ્ટમાં એક નીવી, મુખવસ્ત્રિકા ખોવાઈ ગઈ હોય તે એક ઉપવાસ, રજોહરણના સંઘદ્રમાં એક આંબિલ અને રજોહરણ ખોવાઈ જાય તે એક અમ. આ પ્રમાણે પૌષધની આલોચના સાંભળીને ભવ્ય જીએ ઉનાળાની ઋતુમાં તૃષાથી પીડાયા છતાં પણ જળની ઈચ્છા માત્ર કરવી નહી. કદાચ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય તે તત્કાળ તેની આલોચના લેવી, નહી તે નંદ મણિકાર શ્રાવકની જેમ મોટું દુઃખ પ્રાપ્ત થાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy