SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ [ શ્રી વિજયપઘમૃતિ(૬) ચૌદ નિયમને ભંગ થાય તે જઘન્યથી એક પુરિમઠુ, અને ઉત્કર્ષથી એક ઉપવાસ (૭) સૂકમ કર્માદાનમાં બે ઉપવાસ અને લુહારને, વાડી વાવવાને (માળીને), રથ (ગાડાં વિગેરે) ઘડવાને ધંધો કરવાથી તથા લાખ, ગળી, મણશીલ, ધાવડી, સાબુ, ભાંગ, ચાર મહા વિગય, પશુ પક્ષીનાં અંગે પાંગ છેદન, અફીણ, હળ અને હથિયાર વિગેરેને વેપાર કરવાથી દશ ઉપવાસ. (૮) વિષ આપીને અથવા અપાવીને પછીથી તેનું નિવારણ કર્યું હોય તે દશ ઉપવાસ, પણ નિવારણ કર્યું ન હોય તો એક ને એંશી ઉપવાસ. (૯) સુઈ બનાવવાથી એક અબેલ. છરી બનાવવાથી ત્રણ ઉપવાસ. હથિયારને વેપાર રાજીયા વજીયા શ્રાવકની જેમ શ્રાવકે નિષેધ (ન કરે.) તેની કથા એવી છે કે “ખંભાતમાં તપગચ્છી રાજય અને વજીયા નામના બે ભાઈએ રહેતા હતા. તેમને ઘણા દૂર દેશથી જલમાર્ગે વહાણે આવ્યાં. તેમાં તરવાર, છરી, કટારી, સુડી, દાતરડાં, તીર, બંદુક, પિસ્તોલ અને બરછી વિગેરે લોઢાનાં બનાવેલાં ઘણાં હથિયારે મોટી કિંમતવાળાં હતાં. તે જોઈને તેણે વિચાર્યું કે “આ હથિયારોથી પરંપરાએ અનેક જીવોની હિંસા થશે, માટે તે સર્વને ભાંગીને ઝીણો ચૂરે કરી ખાડે ખેદી દાટી દેવાં જોઈએ.” આ પ્રમાણે વિચારીને તેમણે પિતાના સેવકને હથિયારને તેવી રીતે દાટી દેવાને હુકમ કર્યો. સેવકે એ ઘણુ ધનને લાભ દેખાડે, તે પણ તેમણે તેમનું કહેવું કબૂલ રાખ્યું નહી.” (૧) રાત્રીભોજનના નિયમનો ભંગ થાય તે ત્રણ ઉપવાસ. રાત્રીએ બીજાને પીરસે તે એક પુરિમઠુ, અને વારંવાર તેમ કરે તે દશ ઉપવાસ. અજાણતાં લગભગ વેળાએ જમવાથી એક આંબિલ. પ્રભાતે ઝલ ઝાંખલ સમયે ખવાય તે એક બિલ. સાધુએને તે સર્વથા જીવનપર્યત રાત્રીજનને નિષેધ કરેલ હોય છે, તેથી તેમણે તે તેની ઈચ્છા માત્ર પણ કરવી નહી. કેમકે ઈચ્છા કરવાથી પણ મોટો દોષ લાગે છે. તે બીના દૃષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવી શ્રીપુર નામના નગરમાં ધનેશ્વર નામના સૂરિ ચાતુર્માસ રહ્યા હતા. તેમનામાં ઉપવાસ કરવાની શક્તિ નહોતી. અન્યદા પર્યુષણ પર્વ આવતાં બીજા સાધુઓ તથા શ્રાવકે છઠ્ઠ, અમ વિગેરે તપ કરવા લાગ્યા. તે વખતે સૂરિએ વિચાર્યું કે “હું ઉપવાસ કરી શકતો નથી, તે પણ આજે તો ઉપવાસ કરું.” એમ વિચારીને તેમણે પ્રથમ પારસીનું પચ્ચકખાણ કર્યું, પછી પુરિમટ્ટનું કર્યું, પછી અવનું કર્યું, એમ વધતું પચ્ચકખાણ કરવા લાગ્યા. બીજા સાધુઓએ ગુરુને કહ્યું કે “અમે આહાર લઈ આવીએ, તમે પચ્ચખાણ પારો.” ગુરુ બેલ્યા કે “આજે તે ઉપવાસજ છે.” પછી સાયંકાળનું પ્રતિક્રમણ કર્યું, સંથારાની વિધિ ભણીને સંથારે કર્યો, પણ ભૂખને લીધે તેમને નિદ્રા આવી નહી. મધ્યરાત્રિએ ગુરુ બોલ્યા કે “હે મુનિઓ ! અસુર થયું છે, માટે અન્ન લઈ આવે.” સાધુઓ બેલ્યા કે “હજુ તે મધ્યરાત્રિને સમય છે, સૂર્યોદય થયો નથી, શંખ વગાડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy