SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ રેશનાચિંતામણિ ] ૨૬૭ કીડીઓના દરમાં તથા પિલાણવાળી જમીનમાં જળ જાય તેમ સ્નાન કરવાથી, અને ઉનું જળ અથવા ઓસામણ વગેરે તેને સ્થાને ઢળવાથી એક ઉપવાસ, (૧૫) પાણી ગળતાં ઢળે, ફાટેલા ગળણુથી પાણી ગળે, લાકડાં પુંજ્યા વિના અગ્નિમાં નાખે, સળેલું ધાન્ય ખાંડે, દળે, શેકે, ભરડે કે તડકે મૂકે, ઉકરડો સળગાવે, ક્ષેત્રમાં સૂઢ કરે, વાસીદું અગ્નિમાં નાખે, કે ઉ નાખે, ચોમાસામાં ઢાંક્યા વિના દિવો કરે, ખાટલા ગોદડાં તડકે નાખે, વાસી ગાર લીંપે, વાસી છાણાં થાપે, ચકલી વિગેરેના માળા ભાગે, જીવ જોયા વિના વસ્ત્ર ધુએ, રાત્રિએ સ્નાન કરે, ઘંટી, ખાંડણી, ચૂલો વિગેરે પુંજ્યા વિના ઉપયોગમાં લે, સોય એ, ઈત્યાદિ કાર્ય નિર્ધ્વસ( નિર્દય )પણે કરવાથી દરેક કાર્યમાં જઘન્ય એક ઉપવાસનું, મધ્યમથી ત્રણ ઉપવાસનું અને ઉત્કૃષ્ટ દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે, (૧૬) સુવાવડ કરવાથી બે અથવા ત્રણ ઉપવાસ, (૧૭) ઘણી સ્ત્રીઓની સુવાવડ કરવાથી દશ ઉપવાસ; (૧૮) જળ મૂકાવવાથી એક ઉપવાસ, (૧૯) કૃમિના નાશ માટે ઔષધ ખાધું હોય તે ઉત્કૃષ્ટ દશ ઉપવાસ, (૨૦) જળાશયમાં સ્નાન કરે, લૂગડાં કે ગોદડાં વિગેરે ધુએ તે દશ ઉપવાસ, અને (૨૧) કાંસકી વિગેરેથી કેશ ઓળીને જૂ લીખની વિરાધના કરે તો દશ ઉપવાસ. આ પ્રમાણે આલોચના સાંભળીને જે કઈ પાપની આલોચના ન કરે તે મેટું દુઃખ પામે છે. ધર્મરાજાએ પૂર્વે પોતાના કુમકના ભાવમાં ઘણુ સ્થાવર અને અનન્તકાયાદિકને વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તેણે તે પાપની ગુરુ પાસે આલોચના કરી, અને ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તેજ ભવમાં તે પાછો મેટે ધનવંત શેઠ થયે. લાખો સાધમિકોને અન્નદાન આપીને તેણે સુખી કર્યા. ત્યાર પછી બીજે મનુષ્ય જન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુષ્કાળ પડવાને હતો તે પડ્યો નહી, તેથી તેનું ધર્મરાજા નામ પડયું. એક ગોવાળે બાવળની સૂઈમાં જૂને પરેવીને મારી હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી તે એક સો ને આઠ ભવ સુધી શૂળીથી મરણ પામ્યો હતો. મહેશ્વર નામના શ્રેષ્ઠીની સ્ત્રીએ એક જૂ મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈને તેના વડે તે જૂના પ્રાયશ્ચિત્ત બદલ ચૂકાવિહાર નામનું ચિત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પિતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદસે ને ચુંમાલીશ ગ્રન્થ બનાવ્યા છે. આ વિગેરે દષ્ટાંતો પોતાની મેળે જાણી લેવાં. (૨) હવે બીજા વ્રતનું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે–(૧) પાંચ મોટા અસત્ય છે, તે બેલવાથી જઘન્ય એક આંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત. (૨) અહંકારથી અસત્ય બોલે તો દશ ઉપવાસ, (૨) કલહ કરતાં, ચાડી કરતાં ને બેટું કલંક દેતાં એક આંબિલ, ધર્મને લેપ થાય એવું બોલે તો દશ ઉપવાસ, (૩) શ્રાપ દેવાથી એક ઉપવાસ, ( ૪) દુષ્ટપણાથી કોઈને મારવાનું કહે તો દશ ઉપવાસ, (૫) કેઈના પર ૧ તારું શું થજો ઇત્યાદિ બોલવું તે શ્રાપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy